કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં બે વાર ગુજરાત પ્રવાસ પર આવશે
19-20 ઓક્ટોબરે પોતાના વતન માણસામાં મંદિરના કાર્યક્રમમાં પરિવાર સાથે હાજરી આપશે
31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કેવડિયાની મુલાકાત લેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
મહત્વનું છે કે દર વર્ષે નવરાત્રિમાં ગૃહમંત્રી માણસા મંદિરમાં પૂજા કરવા માટે આવતા હોય છે
WatchGujarat. પ્રાપ્ત વિગતો અનુસાર આગામી દિવસોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે વાર ગુજરાતના પ્રવાસે આવનાર છે. જેમાં પહેલા તેઓ પોતાના વતન માણસાની મુલાકાતે આવશે. મહત્વનું છે કે આ સમયે તેમનો પરિવાર પણ તેમની સાથે પ્રવાસ પર આવશે. જે બાદ તેઓ આગામી 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એક્તા દિવસ નિમિતે કેવડિયાની મુલાકાત લેશે. તાજેતરમાં જ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જે બાદ આ મહિનામાં તેઓ બે વખત ગુજરાતનો પ્રવાસ કરવાના છે.
આ ખાસ કારણથી કરશે બે વખત ગુજરાત પ્રવાસ
આવનારા થોડા દિવસોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે તેવી માહિતી મળી રહી છે. ત્યારે તમને જણાવી દઈ કે તેઓ આગામી 19-20 ઓક્ટોબરે અમદાવાદ આવશે. ત્યાંથી તેઓ પોતાના વતન માણસામાં મંદિરના કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે. આ સમયે અમિત શાહ પરિવાર સાથે કાર્યક્રમમાં હાજરી આપશે. ઉપરાંત 31 ઓક્ટોબરે પણ શાહ ગુજરાત આવવાના છે. ઉલ્લેખનીય છે કે 31 ઓક્ટોબરે સરદાર પટેલનો જન્મદિવસ હોવાથી અમિત શાહ કેવડિયા ખાસ આવશે. મળતી વિગતો અનુસાર 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે.
તાજેતરમાં જ ગુજરાત પ્રવાસે આવ્યા હતા અમિત શાહ
થોડા દિવસ અગાઉ જ અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેમણે પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. મહત્વનું છે કે દર વર્ષે નવરાત્રિમાં ગૃહમંત્રી માણસા મંદિરમાં પૂજા કરવા માટે આવતા હોય છે. જેથી તેઓ આ સમયે પણ માણસા ખાતે કુળદેવી માતાના દર્શન અને પૂજા કરવા જવાના હતા. અગાઉ ના પ્રવાસમાં ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર રેલવે સ્ટેશન પર ટી-સ્ટોલનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત સ્વામીનારાયણ વિશ્વમંગલ ગુરૂકુળ દ્વારા નવનિર્મિત ઇન્ટરનેશનલ સ્કુલ નવીન મકાનનું લોકાર્પણ અને એક ઓક્સિજન પ્લાન્ટનું પણ લોકાર્પણ પણ કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં બે વાર ગુજરાત પ્રવાસ પર આવશે
19-20 ઓક્ટોબરે પોતાના વતન માણસામાં મંદિરના કાર્યક્રમમાં પરિવાર સાથે હાજરી આપશે
31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કેવડિયાની મુલાકાત લેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
મહત્વનું છે કે દર વર્ષે નવરાત્રિમાં ગૃહમંત્રી માણસા મંદિરમાં પૂજા કરવા માટે આવતા હોય છે
WatchGujarat. પ્રાપ્ત વિગતો અનુસાર આગામી દિવસોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે વાર ગુજરાતના પ્રવાસે આવનાર છે. જેમાં પહેલા તેઓ પોતાના વતન માણસાની મુલાકાતે આવશે. મહત્વનું છે કે આ સમયે તેમનો પરિવાર પણ તેમની સાથે પ્રવાસ પર આવશે. જે બાદ તેઓ આગામી 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એક્તા દિવસ નિમિતે કેવડિયાની મુલાકાત લેશે. તાજેતરમાં જ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જે બાદ આ મહિનામાં તેઓ બે વખત ગુજરાતનો પ્રવાસ કરવાના છે.
આ ખાસ કારણથી કરશે બે વખત ગુજરાત પ્રવાસ
આવનારા થોડા દિવસોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે તેવી માહિતી મળી રહી છે. ત્યારે તમને જણાવી દઈ કે તેઓ આગામી 19-20 ઓક્ટોબરે અમદાવાદ આવશે. ત્યાંથી તેઓ પોતાના વતન માણસામાં મંદિરના કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે. આ સમયે અમિત શાહ પરિવાર સાથે કાર્યક્રમમાં હાજરી આપશે. ઉપરાંત 31 ઓક્ટોબરે પણ શાહ ગુજરાત આવવાના છે. ઉલ્લેખનીય છે કે 31 ઓક્ટોબરે સરદાર પટેલનો જન્મદિવસ હોવાથી અમિત શાહ કેવડિયા ખાસ આવશે. મળતી વિગતો અનુસાર 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે.
તાજેતરમાં જ ગુજરાત પ્રવાસે આવ્યા હતા અમિત શાહ
થોડા દિવસ અગાઉ જ અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેમણે પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. મહત્વનું છે કે દર વર્ષે નવરાત્રિમાં ગૃહમંત્રી માણસા મંદિરમાં પૂજા કરવા માટે આવતા હોય છે. જેથી તેઓ આ સમયે પણ માણસા ખાતે કુળદેવી માતાના દર્શન અને પૂજા કરવા જવાના હતા. અગાઉ ના પ્રવાસમાં ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર રેલવે સ્ટેશન પર ટી-સ્ટોલનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત સ્વામીનારાયણ વિશ્વમંગલ ગુરૂકુળ દ્વારા નવનિર્મિત ઇન્ટરનેશનલ સ્કુલ નવીન મકાનનું લોકાર્પણ અને એક ઓક્સિજન પ્લાન્ટનું પણ લોકાર્પણ પણ કર્યું હતું.