કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિકાસ કામો સાથે વતન પ્રમે યોજનાનું પણ લોન્ચિંગ કરશે
શનિવારે ગુજરાત સરકારના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે વિકાસ દિવસની ઉજવણી કરાશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પણ ઉપસ્થિતિ રહેશે
મહાત્મા મંદિર, ગાંધીનગરથી વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ભૂમિપૂજન અને શુભારંભ કરવામાં આવશે
WatchGujarat. રાજ્ય સરકારના શાસનના પાંચ વર્ષ પૂરા થવાના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે સુશાસનના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા 1400 કરોડથી વધુના વિકાસ કામોનું વર્ચ્યુયલી લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત વતન પ્રેમ યોજનાનું પણ લોન્ચિંગ કરવામાં આવશે.
આ અંગે મલતી વિગતો અનુસાર 7મી ઓગસ્ટ એટલે કે આજે રાજ્ય સરકાર દ્વારા વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભારતના ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે. સાથે આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પણ હાજર રહેશે. જેમની ઉપસ્થિતીમાં મહાત્મા મંદિર, ગાંધીનગરથી વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ભૂમિપૂજન તથા શુભારંભ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ સાથે ગૃહ મંત્રી દ્વારા ‘‘વતનપ્રેમ’’યોજનાનો પણ શુભારંભ કરવામાં આવશે.
આ યોજનાઓ અને વિકાસ કામોનું થશે લોકાર્પણ
- પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત રૂ. ૩૮૨ કરોડના રપ હજાર આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.
- ૭૦૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ૪૬ હજાર આવાસનું ખાતમૂહર્ત કરાશે.
- આઇ.ટી.આઇ.ના રૂ. ૨૪૫ કરોડના વિવિધ કામોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
- વિકાસ દિવસે રૂ. ૪૮૯ કરોડની પિયજ-ઉણદ પાઇપલાઇનનું મહેસાણાથી લોકાર્પણ કરવામાં આવશે
- મહત્વનું છે કે ડીસા નેશનલ હાઇવેનો નવનિર્મિત રૂ. ૪૬૪ કરોડના બ્રિજનું લોકાર્પણ થશે
- પ્રધાનમંત્રી આવાસ યોજના અને શહેરી આવાસ યોજનાઓ(EWS/LIG સહિત)ના નિર્માણ પામેલા રૂ. ૩૨૩ કરોડના ૫૧૭૦ આવાસોનું ડ્રો/લોકાર્પણ/ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થશે.
- રૂ. ૨૮૬ કરોડના GEB ૨૧ સબ સ્ટેશનોનું લોકાર્પણ કરાશે
- ૮ સબ સ્ટેશનનું ખાતમૂહર્ત અને રૂ. ૨૬૫ કરોડની ધાંધુસણથી રેડ લક્ષ્મીપુરા પાઇપલાઇનનું મહેસાણાથી લોકાર્પણ થશે.
તમને જણાવી દઈએ કે આ ઉપરાંત ગુજરાત રાજય વાહનવ્યવહાર નિગમ દ્વારા રૂ. ૨૫૫ કરોડના ૧૫૧ બસો, ૫ બસસ્ટેશન અને એક વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાશે. જ્યારે બગોદરા, ધંધુકા, વલ્લભીપુર, ભાવનગર રસ્તાને રૂ. ૧૫૩ કરોડના ખર્ચે ચારમાર્ગીય કરવાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સૌની યોજના – વિકળીયાથી બોર તળાવ (ભાવનગર) ૫૩.૫૩૨ કિ.મી.ની રૂ. ૧૪૬ કરોડની પાઇપલાઇન અને રૂ. ૯૭ કરોડની ભાસરીયા – મહેસાણા પાઇપલાઇનનું લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે રૂ. ૭૫ કરોડની માતપુરથી બ્રહમાણવાડા ઉદવહન પાઇપલાઇન યોજનાનું ખાતમૂર્હત કરવામાં આવશે.
મહત્વનું છે કે ગાંધીનગર-અમદાવાદ વચ્ચે રૂ. ૨૩ કરોડના બે બ્રિજનું પણ આજે લોકાર્પણ કરવામાં આવશે. આમ કુલ આશરે રૂ. ૩૯૦૬ કરોડના કામોનો લોકાર્પણ અને ખાતમૂર્હત ગૃહ મંત્રી દ્વારા આજે કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આજે વિકાસ દિવસ નિમિતે જિલ્લા દીઠ ૧ અને મહાનગર પાલિકા દીઠ ૧ મળીને કુલ ૪૧ કાર્યક્રમો યોજાવવાના છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમોમાં લોકાર્પણ અને ખાતમુહર્તના સ્થળે મહાનુભાવો હાજર રહેશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિકાસ કામો સાથે વતન પ્રમે યોજનાનું પણ લોન્ચિંગ કરશે
શનિવારે ગુજરાત સરકારના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે વિકાસ દિવસની ઉજવણી કરાશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પણ ઉપસ્થિતિ રહેશે
મહાત્મા મંદિર, ગાંધીનગરથી વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ભૂમિપૂજન અને શુભારંભ કરવામાં આવશે
WatchGujarat. રાજ્ય સરકારના શાસનના પાંચ વર્ષ પૂરા થવાના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે સુશાસનના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા 1400 કરોડથી વધુના વિકાસ કામોનું વર્ચ્યુયલી લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત વતન પ્રેમ યોજનાનું પણ લોન્ચિંગ કરવામાં આવશે.
આ અંગે મલતી વિગતો અનુસાર 7મી ઓગસ્ટ એટલે કે આજે રાજ્ય સરકાર દ્વારા વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભારતના ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે. સાથે આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પણ હાજર રહેશે. જેમની ઉપસ્થિતીમાં મહાત્મા મંદિર, ગાંધીનગરથી વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ભૂમિપૂજન તથા શુભારંભ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ સાથે ગૃહ મંત્રી દ્વારા ‘‘વતનપ્રેમ’’યોજનાનો પણ શુભારંભ કરવામાં આવશે.
- ૮ સબ સ્ટેશનનું ખાતમૂહર્ત અને રૂ. ૨૬૫ કરોડની ધાંધુસણથી રેડ લક્ષ્મીપુરા પાઇપલાઇનનું મહેસાણાથી લોકાર્પણ થશે.
તમને જણાવી દઈએ કે આ ઉપરાંત ગુજરાત રાજય વાહનવ્યવહાર નિગમ દ્વારા રૂ. ૨૫૫ કરોડના ૧૫૧ બસો, ૫ બસસ્ટેશન અને એક વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાશે. જ્યારે બગોદરા, ધંધુકા, વલ્લભીપુર, ભાવનગર રસ્તાને રૂ. ૧૫૩ કરોડના ખર્ચે ચારમાર્ગીય કરવાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સૌની યોજના – વિકળીયાથી બોર તળાવ (ભાવનગર) ૫૩.૫૩૨ કિ.મી.ની રૂ. ૧૪૬ કરોડની પાઇપલાઇન અને રૂ. ૯૭ કરોડની ભાસરીયા – મહેસાણા પાઇપલાઇનનું લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે રૂ. ૭૫ કરોડની માતપુરથી બ્રહમાણવાડા ઉદવહન પાઇપલાઇન યોજનાનું ખાતમૂર્હત કરવામાં આવશે.
મહત્વનું છે કે ગાંધીનગર-અમદાવાદ વચ્ચે રૂ. ૨૩ કરોડના બે બ્રિજનું પણ આજે લોકાર્પણ કરવામાં આવશે. આમ કુલ આશરે રૂ. ૩૯૦૬ કરોડના કામોનો લોકાર્પણ અને ખાતમૂર્હત ગૃહ મંત્રી દ્વારા આજે કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આજે વિકાસ દિવસ નિમિતે જિલ્લા દીઠ ૧ અને મહાનગર પાલિકા દીઠ ૧ મળીને કુલ ૪૧ કાર્યક્રમો યોજાવવાના છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમોમાં લોકાર્પણ અને ખાતમુહર્તના સ્થળે મહાનુભાવો હાજર રહેશે.