WatchGujarat. ઘણીવાર એવા કિસ્સાઓ સામે આવે છે, કે ઉંદરો ઘરમાં રહેલી ચીજવસ્તુઓ તથા કિંમતી વસ્તુઓને કોતરીને તેનું નુકશાન કરતા હોય છે. તેથી ઘરના લોકોને ઉંદરોના ત્રાસનો સામનો કરવો પડે છે.ઉંદરો કઈ પળે તેને કોતરી ખાય તે કહી શકાય નહીં. તેથી કંઈપણ વસ્તુઓને ખુલ્લી રાખી શકાતું નથી. ઘણી વાર તમારા ખાવાના સામાનને અને કિંમતી કપડાને કોતરી નાખે છે. રસોડામાં રહેલા અનાજ, ખાવા-પીવાની સામગ્રીઓ ઉંદરોના કારણે સુરક્ષિત રહેતો નથી. તેની સાથે ઘણીવાર ઉંદરો દર બનાવી દે છે ત્યારે દીવાલો નબળી પડી જાય છે. એવામાં ઉંદરોને ઘરમાંથી ભગાવવા માટે એકમાત્ર ઉપાય છે. ઉંદરોને ઘરમાંથી ભગાવવા માટે બજારમાં ઘણા પ્રકારની ઉંદરોને મારવાની દવાઓ ઉપલબ્ધ છે. પરંતુ અમુક ઘરેલુ ઉપાયો દ્વારા તમે તમારા ઘરમાંથી ઉંદરોને ભગાડી શકો છો.
ફુદિનાનું તેલ: ફુદિનાનાં તેલના અનેક ઔષધિય ગુણો છે અને તે આપણને ઘણી રીતે કામ આવી શકે છે. તમે તેના ઉપયોગથી ઘરમાંથી ઉંદરો પણ ભગાવી શકો છે. કારણ કે તેની સુગંધ ખૂબ તીવ્ર હોય છે તેથી ઉંદરો તેની ગંધ સહન કરી શકતા નથી અને ભાગી જાય છે. તેના માટે ફુદિનાના તેલને રૂમાં લગાવીને ઉંદરના દર પાસે કે તેના આવવા જવાના સ્થાન પર લગાવી દેવાથી ઉંદરો ભાગી જશે.
ગાયનું છાણ: જો તમે પણ ઉંદરોના આતંકથી પરેશાન થઇ ગયા છો તો ગાયનું છાણ તમારી સમસ્યાઓ દૂર કરી શકે છે. તેના માટે ગાયના છાણને ઉંદરના દર પાસે રાખી દો.
ડુંગળી: ડુંગળીની ગંધ ખૂબ તીવ્ર હોવાથી ઉંદરો તેનાથી દૂર ભાગે છે. તે માટે એક ડુંગળીને ટૂકડાઓમાં કાપીને ઉંદરોની અવરજવર વાળી જગ્યાઓ પર રાખી દો. તેનાથી પણ ઉંદરો ભાગી જશે.
બિલાડી: જો તમને કોઇ પશુ પાળવાનો શોખ છે.અને ઉંદરોથી પણ પરેશાન છો તો તમે ઘરમાં બિલાડી પાળીને ઉંદરોથી છૂટકારો મેળવી શકો છો. ઉંદરો બિલાડીનો અવાજ સાંભળતા જ ઘરમાં આવવાની હિંમત નહીં કરે. તો આ રીતે તમારો પશુ પાળવાનો શોખ પણ પૂરો થઇ જશે અને ઉંદરો પણ ભાગી જશે.
મરચું પાઉડર: ઘરમાંથી ઉંદરો ભગાવવા માટે તમે રસોડામાં ઉપયોગમાં આવતા લાલ મરચા પાઉડરનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે કંઇ વધુ કરવાની જરૂર નથી,બસ સૂકો મરચા પાઉડર ઉંદરના દર પાસે રાખી દો. તેની ગંધથી પણ ઉંદરો ભાગ જશે.
બટાકાનો પાઉડર: બટાકાના પાઉડર નો છંટકાવ કરો અને તેના ટુકડા દરેક જગ્યાએ મૂકી દો. જ્યાં તમને ઉંદરોના અવરજવરની શક્યતા લાગે ત્યાં આ પાઉડર છાંટી દો.જયારે ઉંદરો બટાકાંના ટુકડા ખાસે ત્યારે તેમના આંતરડા ફૂલવા લાગશે અને છેવટે તે મરી જશે.
પ્લાસ્ટર ઓફ પેરિસ અને કોકો પાઉડર: પ્લાસ્ટર ઓફ પેરિસ અને કોકો પાઉડર ઉંદરોને મારવાનું કામ કરે છે.પ્લાસ્ટર ઓફ પેરિસ અને સાથે 1 ચમચી કોકો પાઉડર મિક્સ કરીને ઉંદરોના અવરજવરની જગ્યા એ છાંટી દો. કારણ કે કોકો પાઉડર ઉંદરોને આકર્ષે છે. તેથી ઉંદરો પાઉડર ખાતાની સાથે ગૂંગળાય જાય છે અને પોતાના જીવ બચાવવા ઘરની બહાર નીકળી જાય છે. અને મરી જાય છે.
WatchGujarat. ઘણીવાર એવા કિસ્સાઓ સામે આવે છે, કે ઉંદરો ઘરમાં રહેલી ચીજવસ્તુઓ તથા કિંમતી વસ્તુઓને કોતરીને તેનું નુકશાન કરતા હોય છે. તેથી ઘરના લોકોને ઉંદરોના ત્રાસનો સામનો કરવો પડે છે.ઉંદરો કઈ પળે તેને કોતરી ખાય તે કહી શકાય નહીં. તેથી કંઈપણ વસ્તુઓને ખુલ્લી રાખી શકાતું નથી. ઘણી વાર તમારા ખાવાના સામાનને અને કિંમતી કપડાને કોતરી નાખે છે. રસોડામાં રહેલા અનાજ, ખાવા-પીવાની સામગ્રીઓ ઉંદરોના કારણે સુરક્ષિત રહેતો નથી. તેની સાથે ઘણીવાર ઉંદરો દર બનાવી દે છે ત્યારે દીવાલો નબળી પડી જાય છે. એવામાં ઉંદરોને ઘરમાંથી ભગાવવા માટે એકમાત્ર ઉપાય છે. ઉંદરોને ઘરમાંથી ભગાવવા માટે બજારમાં ઘણા પ્રકારની ઉંદરોને મારવાની દવાઓ ઉપલબ્ધ છે. પરંતુ અમુક ઘરેલુ ઉપાયો દ્વારા તમે તમારા ઘરમાંથી ઉંદરોને ભગાડી શકો છો.
ફુદિનાનું તેલ: ફુદિનાનાં તેલના અનેક ઔષધિય ગુણો છે અને તે આપણને ઘણી રીતે કામ આવી શકે છે. તમે તેના ઉપયોગથી ઘરમાંથી ઉંદરો પણ ભગાવી શકો છે. કારણ કે તેની સુગંધ ખૂબ તીવ્ર હોય છે તેથી ઉંદરો તેની ગંધ સહન કરી શકતા નથી અને ભાગી જાય છે. તેના માટે ફુદિનાના તેલને રૂમાં લગાવીને ઉંદરના દર પાસે કે તેના આવવા જવાના સ્થાન પર લગાવી દેવાથી ઉંદરો ભાગી જશે.
ગાયનું છાણ: જો તમે પણ ઉંદરોના આતંકથી પરેશાન થઇ ગયા છો તો ગાયનું છાણ તમારી સમસ્યાઓ દૂર કરી શકે છે. તેના માટે ગાયના છાણને ઉંદરના દર પાસે રાખી દો.
ડુંગળી: ડુંગળીની ગંધ ખૂબ તીવ્ર હોવાથી ઉંદરો તેનાથી દૂર ભાગે છે. તે માટે એક ડુંગળીને ટૂકડાઓમાં કાપીને ઉંદરોની અવરજવર વાળી જગ્યાઓ પર રાખી દો. તેનાથી પણ ઉંદરો ભાગી જશે.
બિલાડી: જો તમને કોઇ પશુ પાળવાનો શોખ છે.અને ઉંદરોથી પણ પરેશાન છો તો તમે ઘરમાં બિલાડી પાળીને ઉંદરોથી છૂટકારો મેળવી શકો છો. ઉંદરો બિલાડીનો અવાજ સાંભળતા જ ઘરમાં આવવાની હિંમત નહીં કરે. તો આ રીતે તમારો પશુ પાળવાનો શોખ પણ પૂરો થઇ જશે અને ઉંદરો પણ ભાગી જશે.
મરચું પાઉડર: ઘરમાંથી ઉંદરો ભગાવવા માટે તમે રસોડામાં ઉપયોગમાં આવતા લાલ મરચા પાઉડરનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે કંઇ વધુ કરવાની જરૂર નથી,બસ સૂકો મરચા પાઉડર ઉંદરના દર પાસે રાખી દો. તેની ગંધથી પણ ઉંદરો ભાગ જશે.
બટાકાનો પાઉડર: બટાકાના પાઉડર નો છંટકાવ કરો અને તેના ટુકડા દરેક જગ્યાએ મૂકી દો. જ્યાં તમને ઉંદરોના અવરજવરની શક્યતા લાગે ત્યાં આ પાઉડર છાંટી દો.જયારે ઉંદરો બટાકાંના ટુકડા ખાસે ત્યારે તેમના આંતરડા ફૂલવા લાગશે અને છેવટે તે મરી જશે.
પ્લાસ્ટર ઓફ પેરિસ અને કોકો પાઉડર: પ્લાસ્ટર ઓફ પેરિસ અને કોકો પાઉડર ઉંદરોને મારવાનું કામ કરે છે.પ્લાસ્ટર ઓફ પેરિસ અને સાથે 1 ચમચી કોકો પાઉડર મિક્સ કરીને ઉંદરોના અવરજવરની જગ્યા એ છાંટી દો. કારણ કે કોકો પાઉડર ઉંદરોને આકર્ષે છે. તેથી ઉંદરો પાઉડર ખાતાની સાથે ગૂંગળાય જાય છે અને પોતાના જીવ બચાવવા ઘરની બહાર નીકળી જાય છે. અને મરી જાય છે.