ભાલ વિસ્તારમાં આવેલાં ઘાસનાં મેદાનો કાળિયારને ખુબ જ માફક આવે છે
નેશનલ પાર્ક 3400 હેકટર અને બહારની સાઈડ 2000 હેકટરમાં કાળિયારો વસવાટ કરે છે - કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના RFO અંકુર પટેલ
હાલમાં જ વરસાદ પડેલો હોય હરણો એકજૂથમાં વધારે ફરતા હોય છે - વેળાવદરના સરપંચ મુકેશભાઈ બારૈયા
WatchGujarat. વેળાવદર પાસે આવેલા કાળિયાર રાષ્ટ્રીય અભ્યારણ્યમાં અદભુત નજારો જોવા મળ્યો હતો. જેમાં એકસાથે 3 હજાર જેટલા કાળિયાર જોવા મળ્યા હતા. રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થતા રસ્તાને ક્રોસ કરતું આ કાળિયારનું ટોળું કોઈએ કેમેરામાં કેદ કરી લેતા તેનો વિડીયો વાયરલ થયો છે. 1976માં કાળિયાર નેશનલ પાર્કની સ્થાપના કરવામા આવી હતી. અને આ નેશનલ પાર્કમાં હાલ 3 હજાર કરતા વધુ કાળિયારનો વસવાટ છે.
https://twitter.com/WatchGujarat/status/1420018271651172352?s=20
કાળિયારના વાયરલ થયેલા વીડિયો અંગે વેળાવદરના સરપંચ મુકેશભાઈ બારૈયાએ કહ્યું હતું કે, હાલમાં જ વરસાદ પડેલો હોય હરણો એકજૂથમાં વધારે ફરતા હોય છે. મંગળવારે સવારે મારા નાનાભાઈ મુન્નાભાઈ બારૈયાએ વીડિયો ઉતાર્યો હતો. તે વિસ્તાર વેળાવદરથી બે કિલોમીટર દૂર અભ્યારણ્યની વચ્ચે આવેલો છે. સામાન્ય પ્રજા માટે હાલમાં તો અભ્યારણ્ય બંધ છે, પરંતુ આ પ્રકારના હરણની મુવમેન્ટનો નજારો સામાન્ય રીતે સ્થાનિકોને જોવા મળતો હોય છે.
બીજીતરફ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના RFO અંકુર પટેલે જણાવ્યું હતું કે, નેશનલ પાર્ક 3400 હેકટર અને બહારની સાઈડ 2000 હેકટરમાં કાળિયારો વસવાટ કરે છે. ઉદ્યાનમાં 2500 થી 3000 જેટલા કળિયારો વસવાટ કરે છે. અને હંમેશા ટોળામાં અંદર-બહાર થતા હોય છે. કાળિયારો હંમેશા ટોળામાં જ રહેતા હોય છે, છેલ્લા 5 વર્ષમાં કળિયારોની સંખ્યામાં વધારો થયો છે, અહીં પ્રતિબંધિત વિસ્તાર હોવાથી મુક્ત રીતે ફરી શકે છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, વર્ષ 1976માં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ભાવનગર જિલ્લાના વેળાવદર પાસે કરવામા આવી હતી. જે-તે સમયે ઉદ્યાનનો આરક્ષિત વિસ્તાર 17.88 ચોરસ કિમીનો હતો. ત્યારબાદ સમયાંતરે તેમાં વધારો થતા હાલ 34 કિલોમીટરનો આરક્ષિત વિસ્તાર છે. ભાલ વિસ્તારમાં આવેલાં ઘાસનાં મેદાનો કાળિયારને ખુબ જ માફક આવે છે. સપાટ જમીન, સુકાયેલું ઘાસ અને કાળિયારના ઝૂંડ હમેંશાથી પ્રવાસીઓને આ ઉદ્યાન તરફ આકર્ષિત કરતાં રહ્યાં છે. આ ઉદ્યાનની પ્રાણી સૃષ્ટિમાં ખાસ કરીને કાળિયાર, વરુ, લોમડી, શિયાળ, સસલા, જંગલી બિલાડી મુખ્ય પ્રાણીઓ પણ સાથે વસવાટ કરે છે. તેમજ ઘોરાડ, હુબારા, જંગલી ડુક્કર અને મુશક પણ અહીં જોવા મળતા હોવાનું તેમણે કહ્યું હતું.
ભાલ વિસ્તારમાં આવેલાં ઘાસનાં મેદાનો કાળિયારને ખુબ જ માફક આવે છે
નેશનલ પાર્ક 3400 હેકટર અને બહારની સાઈડ 2000 હેકટરમાં કાળિયારો વસવાટ કરે છે - કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના RFO અંકુર પટેલ
હાલમાં જ વરસાદ પડેલો હોય હરણો એકજૂથમાં વધારે ફરતા હોય છે - વેળાવદરના સરપંચ મુકેશભાઈ બારૈયા
WatchGujarat. વેળાવદર પાસે આવેલા કાળિયાર રાષ્ટ્રીય અભ્યારણ્યમાં અદભુત નજારો જોવા મળ્યો હતો. જેમાં એકસાથે 3 હજાર જેટલા કાળિયાર જોવા મળ્યા હતા. રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થતા રસ્તાને ક્રોસ કરતું આ કાળિયારનું ટોળું કોઈએ કેમેરામાં કેદ કરી લેતા તેનો વિડીયો વાયરલ થયો છે. 1976માં કાળિયાર નેશનલ પાર્કની સ્થાપના કરવામા આવી હતી. અને આ નેશનલ પાર્કમાં હાલ 3 હજાર કરતા વધુ કાળિયારનો વસવાટ છે.
કાળિયારના વાયરલ થયેલા વીડિયો અંગે વેળાવદરના સરપંચ મુકેશભાઈ બારૈયાએ કહ્યું હતું કે, હાલમાં જ વરસાદ પડેલો હોય હરણો એકજૂથમાં વધારે ફરતા હોય છે. મંગળવારે સવારે મારા નાનાભાઈ મુન્નાભાઈ બારૈયાએ વીડિયો ઉતાર્યો હતો. તે વિસ્તાર વેળાવદરથી બે કિલોમીટર દૂર અભ્યારણ્યની વચ્ચે આવેલો છે. સામાન્ય પ્રજા માટે હાલમાં તો અભ્યારણ્ય બંધ છે, પરંતુ આ પ્રકારના હરણની મુવમેન્ટનો નજારો સામાન્ય રીતે સ્થાનિકોને જોવા મળતો હોય છે.
બીજીતરફ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના RFO અંકુર પટેલે જણાવ્યું હતું કે, નેશનલ પાર્ક 3400 હેકટર અને બહારની સાઈડ 2000 હેકટરમાં કાળિયારો વસવાટ કરે છે. ઉદ્યાનમાં 2500 થી 3000 જેટલા કળિયારો વસવાટ કરે છે. અને હંમેશા ટોળામાં અંદર-બહાર થતા હોય છે. કાળિયારો હંમેશા ટોળામાં જ રહેતા હોય છે, છેલ્લા 5 વર્ષમાં કળિયારોની સંખ્યામાં વધારો થયો છે, અહીં પ્રતિબંધિત વિસ્તાર હોવાથી મુક્ત રીતે ફરી શકે છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, વર્ષ 1976માં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ભાવનગર જિલ્લાના વેળાવદર પાસે કરવામા આવી હતી. જે-તે સમયે ઉદ્યાનનો આરક્ષિત વિસ્તાર 17.88 ચોરસ કિમીનો હતો. ત્યારબાદ સમયાંતરે તેમાં વધારો થતા હાલ 34 કિલોમીટરનો આરક્ષિત વિસ્તાર છે. ભાલ વિસ્તારમાં આવેલાં ઘાસનાં મેદાનો કાળિયારને ખુબ જ માફક આવે છે. સપાટ જમીન, સુકાયેલું ઘાસ અને કાળિયારના ઝૂંડ હમેંશાથી પ્રવાસીઓને આ ઉદ્યાન તરફ આકર્ષિત કરતાં રહ્યાં છે. આ ઉદ્યાનની પ્રાણી સૃષ્ટિમાં ખાસ કરીને કાળિયાર, વરુ, લોમડી, શિયાળ, સસલા, જંગલી બિલાડી મુખ્ય પ્રાણીઓ પણ સાથે વસવાટ કરે છે. તેમજ ઘોરાડ, હુબારા, જંગલી ડુક્કર અને મુશક પણ અહીં જોવા મળતા હોવાનું તેમણે કહ્યું હતું.