ફોન પર અજાણ્યા શખ્સ સાથે વાત કરતી પત્નીને ચારિત્ર્યની શંકામાં તેના પતિએ જ મોતને ઘાટ ઉતારી
માત્ર ચાર મહિનાનાં લગ્નજીવનનો કરુણ અંજામ, બંને પરિવારોમાં શોકનો માહોલ
આરોપી પતિને સકંજામાં લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી
WatchGujarat. પતિ-પત્ની વચ્ચે નાની-મોટી બાબતે ખટરાગ થતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. આ પ્રકારના કિસ્સાઓમાં ઘણીવખત કોઈએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ફોન પર અજાણ્યા શખ્સ સાથે વાત કરતી પત્નીને ચારિત્ર્યની શંકામાં તેના પતિએ જ મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું છે. માત્ર ચાર મહિનાનાં લગ્નજીવનનો આ કરુણ અંજામ આવતા બંને પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે. હાલ આરોપી પતિને સકંજામાં લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ ગઢડીયા રોડ પર બરફના કારખાના પાસે રહેતી આશિયાનાબેનને તેના પતિ મહંમદશા બચુશા ફકીરે ચારિત્ર્યની શંકા કરી ગળુ દાબી હત્યા કરી હતી. આશિયાનાબેન ફોનમાં પર પુરૂષ સાથે વાત કરતા હોવાની શંકાએ પતિ મહંમદશા ફકીરે ઝઘડો કર્યો હતો. બાદમાં ચારિત્ર્ય અંગે શંકા - કુશંકા કરી ગળુ દાબી પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. બનાવ અંગે મૃતકનાં પિતા બફાતીશા જમાલશા ફકીરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનાની જાણ થતા જસદણ પી.આઇ. રાણા સહિતનાં સ્ટાફે ઘટના થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. અને મૃતદેહને જસદણ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં બંનેના લગ્ન ચાર મહિના અગાઉ થયા હોવાનું સામે આવ્યું છે. આશીયાનાબેનનું પીયર ભાવનગર જિલ્લાના રંઘોળા તાલુકાના ગઢુલા ગામે આવેલ છે. જેની જાણ તેના પિતાને કરતા તેઓ જસદણ દોડી આવ્યા હતા અને જમાઇ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફોન પર અજાણ્યા શખ્સ સાથે વાત કરતી પત્નીને ચારિત્ર્યની શંકામાં તેના પતિએ જ મોતને ઘાટ ઉતારી
માત્ર ચાર મહિનાનાં લગ્નજીવનનો કરુણ અંજામ, બંને પરિવારોમાં શોકનો માહોલ
આરોપી પતિને સકંજામાં લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી
WatchGujarat. પતિ-પત્ની વચ્ચે નાની-મોટી બાબતે ખટરાગ થતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. આ પ્રકારના કિસ્સાઓમાં ઘણીવખત કોઈએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ફોન પર અજાણ્યા શખ્સ સાથે વાત કરતી પત્નીને ચારિત્ર્યની શંકામાં તેના પતિએ જ મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું છે. માત્ર ચાર મહિનાનાં લગ્નજીવનનો આ કરુણ અંજામ આવતા બંને પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે. હાલ આરોપી પતિને સકંજામાં લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ ગઢડીયા રોડ પર બરફના કારખાના પાસે રહેતી આશિયાનાબેનને તેના પતિ મહંમદશા બચુશા ફકીરે ચારિત્ર્યની શંકા કરી ગળુ દાબી હત્યા કરી હતી. આશિયાનાબેન ફોનમાં પર પુરૂષ સાથે વાત કરતા હોવાની શંકાએ પતિ મહંમદશા ફકીરે ઝઘડો કર્યો હતો. બાદમાં ચારિત્ર્ય અંગે શંકા - કુશંકા કરી ગળુ દાબી પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. બનાવ અંગે મૃતકનાં પિતા બફાતીશા જમાલશા ફકીરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનાની જાણ થતા જસદણ પી.આઇ. રાણા સહિતનાં સ્ટાફે ઘટના થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. અને મૃતદેહને જસદણ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં બંનેના લગ્ન ચાર મહિના અગાઉ થયા હોવાનું સામે આવ્યું છે. આશીયાનાબેનનું પીયર ભાવનગર જિલ્લાના રંઘોળા તાલુકાના ગઢુલા ગામે આવેલ છે. જેની જાણ તેના પિતાને કરતા તેઓ જસદણ દોડી આવ્યા હતા અને જમાઇ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.