IFFCO એ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો, DAP, NPK અને યુરિયાના ભાવ આસમાને પહોંચ્યા
ખાતરની પ્રતિ બેગ પર રૂ. 265 નો ધરખમ વધારો ઝીંકાયો, જગતના તાત માટે મુશ્કેલી ઉભી થઈ
વારંવાર વધતા ખાતરના ભાવે ખેડૂતોની કમર તોડી નાંખી, ભાવ વધારો પરત ખેંચવા ખેડૂતોની માંગ
આજ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો આગામી સમયમાં ખેડૂતો માટે મોટી મુશ્કેલી સર્જાશે
WatchGujarat. રાસાયણિક ખાતના ભાવમાં ફરી એકવાર ધરખમ વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે રાજ્યભરના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ઉલ્લેખનીય છે કે IFFCO એ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરતાં DAP, NPK અને યુરિયાના ભાવ આસમાને પહોંચ્યા છે. ખાતરના ભાવમાં વારંવાર વધારો થતાં ખેડૂતો ત્રાહીમામ પોકારી ગયા છે. જેથી ખેડૂતો દ્વારા ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે.
ખાતરની પ્રતિ બેગ પર રૂ. 265 નો ધરખમ વધારો ઝીંકાયો
તાજેતરમાં ભારતમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થા IFFCO દ્વારા ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે રાસાયણિક ખાતરની પ્રતિ બેગ પર રૂ. 265 નો ધરખમ વધારો ઝીંકાયો. અગાઉ પ્રતિ બેગ ભાવ 1175 રૂપિયા હતો જેનો ભાવ હવે 1440 રૂપિયા થયો. એ જ રીતે ઈફ્કો નપકનો ભાવ અગાઉ 1185 રૂપિયા હતો. જે વધી 1450 રૂપિયા થયો. આ અંગે ખેડૂતોનું કહેવું છે કે, વારંવાર વધતા ખાતરના ભાવે ખેડૂતોની કમર તોડી નાંખી છે. જો આજ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો આગામી સમયમાં ખેડૂતો માટે મોટી મુશ્કેલી સર્જાશે. ખેડૂતોના હિતમાં સરકારે નિણર્ય લઈ વારંવાર ખાતરમાં વધતા ભાવ અટકાવવા જોઈએ.
ભાવ વધારો પરત ખેંચવા ખેડૂતોની માંગ
મહત્વનું છે કે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતી લથડી છે. ઉપરાંત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં આ વર્ષે અતિવૃષ્ટિની સ્થિતી સર્જાતા ખેડૂતોને બેવડીમારનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમયે ઇફકો કંપનીએ ખાતરમાં ભાવવધારો ઝીંકી દેતા ખેડૂતોની હાલત વધુ કફોડી બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં જ દર વર્ષે ઇફકો કંપનીના ખાતરની ખપત રહે છે. જેમાં હવે કંપનીએ તેમાં ભાવવધારો ઝીંકી દેતાં ખેડૂતોએ દર વર્ષે કરોડો રૂપિયા વધુ ચૂકવવા પડશે. દેશની સૌથી મોટી સહકારી ફર્ટીલાઈઝર કંપની ઇફકોએ ખાતરના ભાવમાં અધધ કહી શકાય તેવો ધરખમ ભાવ વધારો ઝીંક્યો છે. જેને પગલે ખેડૂતોની સ્થિતિ બગડી છે. હવે જોવાનું કહ્યુ કે મામલે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવે છે કે નહીં.
- IFFCO એ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો, DAP, NPK અને યુરિયાના ભાવ આસમાને પહોંચ્યા
- ખાતરની પ્રતિ બેગ પર રૂ. 265 નો ધરખમ વધારો ઝીંકાયો, જગતના તાત માટે મુશ્કેલી ઉભી થઈ
- વારંવાર વધતા ખાતરના ભાવે ખેડૂતોની કમર તોડી નાંખી, ભાવ વધારો પરત ખેંચવા ખેડૂતોની માંગ
- આજ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો આગામી સમયમાં ખેડૂતો માટે મોટી મુશ્કેલી સર્જાશે
WatchGujarat. રાસાયણિક ખાતના ભાવમાં ફરી એકવાર ધરખમ વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે રાજ્યભરના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ઉલ્લેખનીય છે કે IFFCO એ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરતાં DAP, NPK અને યુરિયાના ભાવ આસમાને પહોંચ્યા છે. ખાતરના ભાવમાં વારંવાર વધારો થતાં ખેડૂતો ત્રાહીમામ પોકારી ગયા છે. જેથી ખેડૂતો દ્વારા ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે.
ખાતરની પ્રતિ બેગ પર રૂ. 265 નો ધરખમ વધારો ઝીંકાયો
તાજેતરમાં ભારતમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થા IFFCO દ્વારા ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે રાસાયણિક ખાતરની પ્રતિ બેગ પર રૂ. 265 નો ધરખમ વધારો ઝીંકાયો. અગાઉ પ્રતિ બેગ ભાવ 1175 રૂપિયા હતો જેનો ભાવ હવે 1440 રૂપિયા થયો. એ જ રીતે ઈફ્કો નપકનો ભાવ અગાઉ 1185 રૂપિયા હતો. જે વધી 1450 રૂપિયા થયો. આ અંગે ખેડૂતોનું કહેવું છે કે, વારંવાર વધતા ખાતરના ભાવે ખેડૂતોની કમર તોડી નાંખી છે. જો આજ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો આગામી સમયમાં ખેડૂતો માટે મોટી મુશ્કેલી સર્જાશે. ખેડૂતોના હિતમાં સરકારે નિણર્ય લઈ વારંવાર ખાતરમાં વધતા ભાવ અટકાવવા જોઈએ.
ભાવ વધારો પરત ખેંચવા ખેડૂતોની માંગ
મહત્વનું છે કે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતી લથડી છે. ઉપરાંત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં આ વર્ષે અતિવૃષ્ટિની સ્થિતી સર્જાતા ખેડૂતોને બેવડીમારનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમયે ઇફકો કંપનીએ ખાતરમાં ભાવવધારો ઝીંકી દેતા ખેડૂતોની હાલત વધુ કફોડી બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં જ દર વર્ષે ઇફકો કંપનીના ખાતરની ખપત રહે છે. જેમાં હવે કંપનીએ તેમાં ભાવવધારો ઝીંકી દેતાં ખેડૂતોએ દર વર્ષે કરોડો રૂપિયા વધુ ચૂકવવા પડશે. દેશની સૌથી મોટી સહકારી ફર્ટીલાઈઝર કંપની ઇફકોએ ખાતરના ભાવમાં અધધ કહી શકાય તેવો ધરખમ ભાવ વધારો ઝીંક્યો છે. જેને પગલે ખેડૂતોની સ્થિતિ બગડી છે. હવે જોવાનું કહ્યુ કે મામલે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવે છે કે નહીં.