પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અંબિકા ભોજનાલયમાં ચાલતી મફ્ત ભોજન વ્યવસ્થા ફરી બંધ કરાઈ, ટોકન ચાર્જ સાથે ભોજન લઈ શકાશે
ભોજન માટે 16 રૂ.ના ટોકન અને પૂનમના દિવસે મિષ્ઠાન સાથેની થાળી માટે 21 રૂ. ટોકન ચાર્જ ચુકવવા પડશે
અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન માટે આગામી બેસતા વર્ષથી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો
મંદિર ટ્રસ્ટ દ્વારા નવા વર્ષના દિવસોમાં અંબાજી મંદિરમાં દર્શનનો કાર્યક્રમ જાહેર કરાયો
WatchGujarat. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના અંબિકા ભોજનાલયમાં ચાલતી મફત ભોજન વ્યવસ્થા ગત રોજ 1 નવેમ્બરથી બંધ કરવામાં આવી છે. મહત્વનું છે કે અંબાજી મંદિરમાં ટ્રસ્ટ દ્વારા ટોકનદરે ભોજનાલય શરૂ કરાયું છે. આ ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી દિવાળી પર્વને લઈને પણ નિર્ણય લેવાયો છે. જેમાં બેસતા વર્ષથી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેનો કાર્યક્રમ તાજેતરમાં જ જાહેર કરાયો છે.
જય જલીયાણ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલું નિઃશુલ્ક ભોજનાલયનો સમયગાળો સમાપ્ત
મીડિયા રિપોર્ટ અનુસાર, શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં માં ના દર્શનાર્થે આવતા સેંકડો શ્રદ્ધાળુઓમાં ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલયમાં અંબાના રાજભોગ સમા પ્રસાદ સ્વરૂપ ભોજન પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે. ત્યારે અંબિકા ભોજનાલયમાં ચાલતી મફત ભોજન વ્યવસ્થા બંધ કરાઈ છે. જેથી હવે ભોજન માટે 16 રૂપિયાના ટોકન ચાર્જ ચૂકવવો પડશે. આ ઉપરાંત પૂનમના દિવસે મિષ્ઠાન સાથેની થાળી માટે 21 રૂ. ચુકવવા પડશે. આ અંબિકા ભોજનાલય ખાતે જય જલીયાણ ફાઉન્ડેશન દ્વારા છેલ્લાં ચાર માસથી વિના મુલ્યે તમામ ભક્તોને ભોજન કરાવતાં હતાં. પરંતુ ગત રોજ તેનો સમયગળો સમાપ્ત થતાં જય જલીયાણ સદાવ્રતનાં બોર્ડ લાગેલાં હતાં તેને ઉતારી દેવામાં આવ્યા છે.
સદાવ્રતમાં અત્યાર સુધી 8,50,000 ભક્તોને નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો
જોકે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનાલયમાં રાહત દરે ભોજન સુવિધા પૂરી પાડવામાં આવશે. જેમાં માત્ર રૂ.16 માં ભરપેટ ભોજન કરાવાની વ્યવસ્થા ફરી ચાલુ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જય જલીયાણ ફાઉન્ડેશન સદાવ્રતમાં અત્યાર સુધી 8,50,000 ભક્તોએ નિ:શુલ્ક ભોજનનો લાભ લિધો છે. હવે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનાલયમાં બાળકો માટે 11 રૂપિયા અને જનરલ માટો 16 રૂપિયાનાં ટોકનદરે ભોજન વ્યવસ્થા ચાલું કરાઇ છે. હવેથી અંબિકા ભોજનલાયનો સમય સવારે 10:00 વાગ્યા થી બપોરે 03:00 વાગ્યા સુધી અને સાંજે 06.00 થી રાત્રિનાં 9.00 સુધીનો રહેશે.
અંબાજીમાં બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી દર્શનના સમયમાં ફેરફાર
પ્રાપ્ત વિગતો અનુસાર શક્તિપીઠ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન માટે આગામી બેસતા વર્ષથી સમયમાં ફેરફાર કર્યો છે. જેનો કાર્યક્રમ તાજેતરમાં જ આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
આ રહેશે મંદિરમાં દર્શનનો સમય
5 નવેમ્બરથી સવારની આરતી સવારે 6 થી 6.30 કલાકે અને દર્શનનો સમય 6.30 થી 10.45 દરમિયાનનો રહેશે
બપોરે 12 થી 12.15 રાજભોગ તેમજ 12.15 કલાકે અન્નકૂટ અને 12.30 કલાકે આરતીનો સમય રાખવામાં આવ્યો છે.
બપોરની આરતી બાદ સાંજે 16.15 સુધી માતાજીના મંદિરના દર્શનનો સમય રહેશે. તેમજ સાંજે 6 થી 7 સુધી આરતી અને સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે.
6 નવેમ્બર થી 9 નવેમ્બર સુધી સવારે 6.30 થી 7 વાગ્યા સુધી આરતીનો સમય રહેશે.
તેમજ સવારે 7.30 થી 11.30 સુધી દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે. 6 નવેમ્બરે બપોરે 12 કલાકે રાજભોગ ધરાવાશે
જે બાદ બપોરે 12.30 થી 16.15 દર્શન અને સાંજે 6.30 થી 7 આરતીનો સમય રહેશે.
સાંજે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ભક્તો માતાજીના દર્શન કરી શકશે.
જોકે 10મી નવેમ્બરથી રાબેતા મુજબ રાત્રે 9 કલાકે મંદિરમાં દર્શન બંધ થઈ જશે
- પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અંબિકા ભોજનાલયમાં ચાલતી મફ્ત ભોજન વ્યવસ્થા ફરી બંધ કરાઈ, ટોકન ચાર્જ સાથે ભોજન લઈ શકાશે
- ભોજન માટે 16 રૂ.ના ટોકન અને પૂનમના દિવસે મિષ્ઠાન સાથેની થાળી માટે 21 રૂ. ટોકન ચાર્જ ચુકવવા પડશે
- અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન માટે આગામી બેસતા વર્ષથી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો
- મંદિર ટ્રસ્ટ દ્વારા નવા વર્ષના દિવસોમાં અંબાજી મંદિરમાં દર્શનનો કાર્યક્રમ જાહેર કરાયો
WatchGujarat. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના અંબિકા ભોજનાલયમાં ચાલતી મફત ભોજન વ્યવસ્થા ગત રોજ 1 નવેમ્બરથી બંધ કરવામાં આવી છે. મહત્વનું છે કે અંબાજી મંદિરમાં ટ્રસ્ટ દ્વારા ટોકનદરે ભોજનાલય શરૂ કરાયું છે. આ ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી દિવાળી પર્વને લઈને પણ નિર્ણય લેવાયો છે. જેમાં બેસતા વર્ષથી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેનો કાર્યક્રમ તાજેતરમાં જ જાહેર કરાયો છે.
જય જલીયાણ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલું નિઃશુલ્ક ભોજનાલયનો સમયગાળો સમાપ્ત
મીડિયા રિપોર્ટ અનુસાર, શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં માં ના દર્શનાર્થે આવતા સેંકડો શ્રદ્ધાળુઓમાં ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલયમાં અંબાના રાજભોગ સમા પ્રસાદ સ્વરૂપ ભોજન પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે. ત્યારે અંબિકા ભોજનાલયમાં ચાલતી મફત ભોજન વ્યવસ્થા બંધ કરાઈ છે. જેથી હવે ભોજન માટે 16 રૂપિયાના ટોકન ચાર્જ ચૂકવવો પડશે. આ ઉપરાંત પૂનમના દિવસે મિષ્ઠાન સાથેની થાળી માટે 21 રૂ. ચુકવવા પડશે. આ અંબિકા ભોજનાલય ખાતે જય જલીયાણ ફાઉન્ડેશન દ્વારા છેલ્લાં ચાર માસથી વિના મુલ્યે તમામ ભક્તોને ભોજન કરાવતાં હતાં. પરંતુ ગત રોજ તેનો સમયગળો સમાપ્ત થતાં જય જલીયાણ સદાવ્રતનાં બોર્ડ લાગેલાં હતાં તેને ઉતારી દેવામાં આવ્યા છે.
સદાવ્રતમાં અત્યાર સુધી 8,50,000 ભક્તોને નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો
જોકે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનાલયમાં રાહત દરે ભોજન સુવિધા પૂરી પાડવામાં આવશે. જેમાં માત્ર રૂ.16 માં ભરપેટ ભોજન કરાવાની વ્યવસ્થા ફરી ચાલુ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જય જલીયાણ ફાઉન્ડેશન સદાવ્રતમાં અત્યાર સુધી 8,50,000 ભક્તોએ નિ:શુલ્ક ભોજનનો લાભ લિધો છે. હવે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનાલયમાં બાળકો માટે 11 રૂપિયા અને જનરલ માટો 16 રૂપિયાનાં ટોકનદરે ભોજન વ્યવસ્થા ચાલું કરાઇ છે. હવેથી અંબિકા ભોજનલાયનો સમય સવારે 10:00 વાગ્યા થી બપોરે 03:00 વાગ્યા સુધી અને સાંજે 06.00 થી રાત્રિનાં 9.00 સુધીનો રહેશે.
અંબાજીમાં બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી દર્શનના સમયમાં ફેરફાર
પ્રાપ્ત વિગતો અનુસાર શક્તિપીઠ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન માટે આગામી બેસતા વર્ષથી સમયમાં ફેરફાર કર્યો છે. જેનો કાર્યક્રમ તાજેતરમાં જ આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
આ રહેશે મંદિરમાં દર્શનનો સમય
- 5 નવેમ્બરથી સવારની આરતી સવારે 6 થી 6.30 કલાકે અને દર્શનનો સમય 6.30 થી 10.45 દરમિયાનનો રહેશે
- બપોરે 12 થી 12.15 રાજભોગ તેમજ 12.15 કલાકે અન્નકૂટ અને 12.30 કલાકે આરતીનો સમય રાખવામાં આવ્યો છે.
- બપોરની આરતી બાદ સાંજે 16.15 સુધી માતાજીના મંદિરના દર્શનનો સમય રહેશે. તેમજ સાંજે 6 થી 7 સુધી આરતી અને સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે.
- 6 નવેમ્બર થી 9 નવેમ્બર સુધી સવારે 6.30 થી 7 વાગ્યા સુધી આરતીનો સમય રહેશે.
- તેમજ સવારે 7.30 થી 11.30 સુધી દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે. 6 નવેમ્બરે બપોરે 12 કલાકે રાજભોગ ધરાવાશે
- જે બાદ બપોરે 12.30 થી 16.15 દર્શન અને સાંજે 6.30 થી 7 આરતીનો સમય રહેશે.
- સાંજે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ભક્તો માતાજીના દર્શન કરી શકશે.
- જોકે 10મી નવેમ્બરથી રાબેતા મુજબ રાત્રે 9 કલાકે મંદિરમાં દર્શન બંધ થઈ જશે