વડોદરા એમ.એસ.યુનિવર્સિટી દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
કોવિડ-19ના કારણે માતા કે પિતાને ગુમાવનાર વિદ્યાર્થીઓને ડિગ્રી પૂરી થતા સુધી મફ્ત શિક્ષણ અપાશે
યુનિવર્સિટીના કુલ 18 વિદ્યાર્થીઓમાંથી 16ની અરજી મંજૂર કરાઈ
16 વિદ્યાર્થીઓની ડિગ્રી પૂરી થતા સુધીની ફીની રકમ 5 લાખ 95 હજાર યુનિ. દ્વારા માફ કરાઈ
WatchGujarat. એમ.એસ. યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત યુનિ.ના 16 વિદ્યાર્થીઓની ડિગ્રી પૂરી ન થાય ત્યા સુધી મફ્ત શિક્ષણ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબરની સિન્ડીકેટ બેઠકમાં સર્વાનુમતે યુનિવર્સિટી દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જે મુજબ એમ.એસ. યુનિ.માં અભ્યાસ કરતાં જે વિદ્યાર્થીઓએ કોરોના મહામારીના કારણે પોતાના માતા કે પિતાને ગુમાવ્યા હોય તેમને ડિગ્રી પૂરી થતા સુધી મફ્ત શિક્ષણ આપવામાં આવશે.
કોવિડ-19ના કારણે માતા કે પિતાને ગુમાવનાર વિદ્યાર્થીઓને ડિગ્રી પૂરી થતા સુધી મફ્ત શિક્ષણ અપાશે
પ્રાપ્ત વિગતો અનુસાર એમ.એસ.યુનિ. દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી કે, જે કોઈ વિદ્યાર્થીના માતા કે પિતા કોરોના મહામારીના કારણે મૃત્યુ પામ્યા હસે તે વિદ્યાર્થીઓનો સંપૂર્ણ ખર્ચ યુનિવર્સિટી આપશે. જે બાદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં 18 વિદ્યાર્થીઓ દ્વારા અરજી કરવામાં આવી હતી. જેની ચકાસણી કર્યા બાદ 16 વિદ્યાર્થીઓની અરજી યુનિ. દ્વારા મંજૂર કરવામાં આવી છે. જેથી આ 16 વિદ્યાર્થીઓ જ્યાં સુધી તેમની ડિગ્રી યુનિવર્સિટીમાંથી નહીં મેળવે ત્યાં સુધીની 5 લાખ 95 હજાર ફી યુનિવર્સિટી ભરશે.
યુનિવર્સિટીના કુલ 18 વિદ્યાર્થીઓમાંથી 16ની અરજી મંજૂર કરાઈ
અત્રે ઉલ્લેખનીય છે કે આ નિર્ણયનો લાભ લેવા માટે કુલ 18 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જેમાંથી 2 વિદ્યાર્થીઓ ફ્રોડ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે ગુજરાતની આ પ્રથમ યુનિવર્સિટી હશે કે જે જેમાં કોરોનાને કારણે માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીનું ડિગ્રી સુધીનું ભણતર ફ્રિ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર કે.એમ.ચૂડાસમા દ્વારા અપિલ કરવામાં આવી છે કે, હજી એવા વિદ્યાર્થીઓ હોય કે જેમના માતા કે પિતા કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હોય તો તેઓ ફેકલ્ટીનો સંપર્ક કરે અને લાભ મેળવે.
આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં કે.એમ.ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા ગત મહિને સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જે વિદ્યાર્થીઓએ કોરોના મહામારીને કારણે પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેઓનું આગળ ભણતર અટકે નહીં અને સાથે સાથે તેમની આર્થિક પરિસ્થિતી ન બગડે તે માટે થઈ આ ઉમદા વિચાર યુનિવર્સિટીએ દાખવ્યો હતો. આ જાહેરનામું બહાર પાડ્યા બાદ 18 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જેમાં યુનિ. નિયમ મુજબ ચકાસી 16 વિદ્યાર્થીની અરજી સ્વિકારવામાં આવી છે. જેમને નિઃશુલ્ક શિક્ષણ આપવાનો અંદાજીત 5 લાખ 95 હજાર જેટલો ખર્ચ થશે. આ સ્કીમ સાધન સંપન્ન છે. જો હજી પણ કોઈ વિદ્યાર્થી આ યોજનાનો લાભ મેળવવાની પાત્રતા ધરાવતા હોય તેઓ લેખિતમાં અરજી કરી શકે છે. આ યોજના આજે પણ લાગુ છે. આ પછી પણ કોઈ વિદ્યાર્થી અરજી કરશે તો યુનિવર્સિટી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
વડોદરા એમ.એસ.યુનિવર્સિટી દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
કોવિડ-19ના કારણે માતા કે પિતાને ગુમાવનાર વિદ્યાર્થીઓને ડિગ્રી પૂરી થતા સુધી મફ્ત શિક્ષણ અપાશે
યુનિવર્સિટીના કુલ 18 વિદ્યાર્થીઓમાંથી 16ની અરજી મંજૂર કરાઈ
16 વિદ્યાર્થીઓની ડિગ્રી પૂરી થતા સુધીની ફીની રકમ 5 લાખ 95 હજાર યુનિ. દ્વારા માફ કરાઈ
WatchGujarat. એમ.એસ. યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત યુનિ.ના 16 વિદ્યાર્થીઓની ડિગ્રી પૂરી ન થાય ત્યા સુધી મફ્ત શિક્ષણ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબરની સિન્ડીકેટ બેઠકમાં સર્વાનુમતે યુનિવર્સિટી દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જે મુજબ એમ.એસ. યુનિ.માં અભ્યાસ કરતાં જે વિદ્યાર્થીઓએ કોરોના મહામારીના કારણે પોતાના માતા કે પિતાને ગુમાવ્યા હોય તેમને ડિગ્રી પૂરી થતા સુધી મફ્ત શિક્ષણ આપવામાં આવશે.
કોવિડ-19ના કારણે માતા કે પિતાને ગુમાવનાર વિદ્યાર્થીઓને ડિગ્રી પૂરી થતા સુધી મફ્ત શિક્ષણ અપાશે
પ્રાપ્ત વિગતો અનુસાર એમ.એસ.યુનિ. દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી કે, જે કોઈ વિદ્યાર્થીના માતા કે પિતા કોરોના મહામારીના કારણે મૃત્યુ પામ્યા હસે તે વિદ્યાર્થીઓનો સંપૂર્ણ ખર્ચ યુનિવર્સિટી આપશે. જે બાદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં 18 વિદ્યાર્થીઓ દ્વારા અરજી કરવામાં આવી હતી. જેની ચકાસણી કર્યા બાદ 16 વિદ્યાર્થીઓની અરજી યુનિ. દ્વારા મંજૂર કરવામાં આવી છે. જેથી આ 16 વિદ્યાર્થીઓ જ્યાં સુધી તેમની ડિગ્રી યુનિવર્સિટીમાંથી નહીં મેળવે ત્યાં સુધીની 5 લાખ 95 હજાર ફી યુનિવર્સિટી ભરશે.
યુનિવર્સિટીના કુલ 18 વિદ્યાર્થીઓમાંથી 16ની અરજી મંજૂર કરાઈ
અત્રે ઉલ્લેખનીય છે કે આ નિર્ણયનો લાભ લેવા માટે કુલ 18 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જેમાંથી 2 વિદ્યાર્થીઓ ફ્રોડ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે ગુજરાતની આ પ્રથમ યુનિવર્સિટી હશે કે જે જેમાં કોરોનાને કારણે માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીનું ડિગ્રી સુધીનું ભણતર ફ્રિ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર કે.એમ.ચૂડાસમા દ્વારા અપિલ કરવામાં આવી છે કે, હજી એવા વિદ્યાર્થીઓ હોય કે જેમના માતા કે પિતા કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હોય તો તેઓ ફેકલ્ટીનો સંપર્ક કરે અને લાભ મેળવે.
આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં કે.એમ.ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા ગત મહિને સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જે વિદ્યાર્થીઓએ કોરોના મહામારીને કારણે પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેઓનું આગળ ભણતર અટકે નહીં અને સાથે સાથે તેમની આર્થિક પરિસ્થિતી ન બગડે તે માટે થઈ આ ઉમદા વિચાર યુનિવર્સિટીએ દાખવ્યો હતો. આ જાહેરનામું બહાર પાડ્યા બાદ 18 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જેમાં યુનિ. નિયમ મુજબ ચકાસી 16 વિદ્યાર્થીની અરજી સ્વિકારવામાં આવી છે. જેમને નિઃશુલ્ક શિક્ષણ આપવાનો અંદાજીત 5 લાખ 95 હજાર જેટલો ખર્ચ થશે. આ સ્કીમ સાધન સંપન્ન છે. જો હજી પણ કોઈ વિદ્યાર્થી આ યોજનાનો લાભ મેળવવાની પાત્રતા ધરાવતા હોય તેઓ લેખિતમાં અરજી કરી શકે છે. આ યોજના આજે પણ લાગુ છે. આ પછી પણ કોઈ વિદ્યાર્થી અરજી કરશે તો યુનિવર્સિટી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે.