ઓમીક્રોન વેરિઅન્ટની દહેશત વચ્ચે ઓફલાઈન શિક્ષણ મામલે રાજ્યના આરોગ્ય મંત્રીનું મહત્વનું નિવેદન
શાળાઓ બંધ કરવાનું હાલ તબક્કે કોઈ આયોજન નથી- નિમીષાબેન સુથાર
જીએફએલ કંપનીમાં બ્લાસ્ટ થતા ઈજાગ્રસ્ત થયેલા કામદારોની મુલાકાત સમયે આરોગ્યમંત્રીએ નિવેદન આપ્યું
સ્કૂલમાં જે તે શહેરની આરોગ્ય ટીમ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે- આરોગ્ય મંત્રી
WatchGujarat. દેશભરમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની દહેશત જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ એક પછી એક મહાનગરોની શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. આ વધી રહેલા કોરોના કેસો વચ્ચે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ રાખવા બાબતે રાજ્યના આરોગ્યમંત્રી નિમીષાબેન સુથાર દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હાલ તબક્કે શાળાઓ બંધ કરવાનું કોઈ આયોજન નથી.
બે દિવસ અગાઉ પંચમહાલ જિલ્લાના રણજીત નગર પાસેની જીએફએલ કંપનીમાં થયેલા વિસ્ફોટક બ્લાસ્ટમાં કુલ 7 કામદારોના મોત થયા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત કામદારો પૈકીના બે દર્દીઓને વડોદરા ખાતે સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે આજે રાજ્યના આરોગ્યમંત્રી નિમીષાબેન સુથાર આ બે દર્દીઓની વડોદરા ખાતે મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. જે સમયે મીડિયા સાથે વાતચિત કરતાં નિમીષાબેને જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળી ગયું હોવાની વાલીઓ દ્વારા ફરિયાદો ઉઠી રહી હતી. જેથી જ વાલીઓને સાથે રાખીને રાજ્યની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું. કોરોનાના કેસોને લઈ સ્કૂલ બંધ કરવાની જ્યાં સુધી વાત છે, ત્યારે જે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવી રહ્યા છે ત્યાં જે તે શહેરની આરોગ્ય ટીમ દ્વારા તકેદારી તરીકે કામ કરવામાં આવી રહ્યું છે. આથી હાલના તબક્કે સ્કૂલો બંધ કરવાની કોઇ વિચારણા નથી.
જીએફએલ કંપનીમાં થયેલા બ્લાસ્ટના સામાન્ય ઇજાગ્રસ્તોને હાલોલની હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે બે વધુ ગંભીર દર્દીઓ અશ્વિનભાઇ અને સુગ્રીવભાઇને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેઓની નિમીષાબેન સુથાર દ્વારા આજે મુલાકાત લેવામાં આવી છે. આરોગ્યમંત્રીએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, હાલ બંન્ને દર્દીઓની તબિયત સુધારા પર છે. આ બ્લાસ્ટમાં મૃતકોના પરિવાર અને ઇજાગ્રસ્તોની સહાય માટે સરકારમાં બેઠક થયા બાદ નક્કી કરવામાં આવશે. હાલમાં ઇજાગ્રસ્તોને સારી સારવાર મળે અને તેઓ જલદીથી સ્વસ્થ થઇ જાય તેના ઉપર અમારુ ધ્યાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે દર્દીઓની મુલાકાત સમયે નિમીષાબેને દર્દીઓના પરિવારને પણ સાત્વના આપી હતી. આ સાથે તબીબી ટીમ સાથે પણ ચર્ચા કરી હતી. આ અગાઉ શુક્રવારે તેમણએ હાલોલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની પણ મુલાકાત લીધી હતી.
ઓમીક્રોન વેરિઅન્ટની દહેશત વચ્ચે ઓફલાઈન શિક્ષણ મામલે રાજ્યના આરોગ્ય મંત્રીનું મહત્વનું નિવેદન
શાળાઓ બંધ કરવાનું હાલ તબક્કે કોઈ આયોજન નથી- નિમીષાબેન સુથાર
સ્કૂલમાં જે તે શહેરની આરોગ્ય ટીમ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે- આરોગ્ય મંત્રી
WatchGujarat. દેશભરમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની દહેશત જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ એક પછી એક મહાનગરોની શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. આ વધી રહેલા કોરોના કેસો વચ્ચે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ રાખવા બાબતે રાજ્યના આરોગ્યમંત્રી નિમીષાબેન સુથાર દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હાલ તબક્કે શાળાઓ બંધ કરવાનું કોઈ આયોજન નથી.
બે દિવસ અગાઉ પંચમહાલ જિલ્લાના રણજીત નગર પાસેની જીએફએલ કંપનીમાં થયેલા વિસ્ફોટક બ્લાસ્ટમાં કુલ 7 કામદારોના મોત થયા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત કામદારો પૈકીના બે દર્દીઓને વડોદરા ખાતે સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે આજે રાજ્યના આરોગ્યમંત્રી નિમીષાબેન સુથાર આ બે દર્દીઓની વડોદરા ખાતે મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. જે સમયે મીડિયા સાથે વાતચિત કરતાં નિમીષાબેને જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળી ગયું હોવાની વાલીઓ દ્વારા ફરિયાદો ઉઠી રહી હતી. જેથી જ વાલીઓને સાથે રાખીને રાજ્યની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું. કોરોનાના કેસોને લઈ સ્કૂલ બંધ કરવાની જ્યાં સુધી વાત છે, ત્યારે જે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવી રહ્યા છે ત્યાં જે તે શહેરની આરોગ્ય ટીમ દ્વારા તકેદારી તરીકે કામ કરવામાં આવી રહ્યું છે. આથી હાલના તબક્કે સ્કૂલો બંધ કરવાની કોઇ વિચારણા નથી.
જીએફએલ કંપનીમાં થયેલા બ્લાસ્ટના સામાન્ય ઇજાગ્રસ્તોને હાલોલની હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે બે વધુ ગંભીર દર્દીઓ અશ્વિનભાઇ અને સુગ્રીવભાઇને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેઓની નિમીષાબેન સુથાર દ્વારા આજે મુલાકાત લેવામાં આવી છે. આરોગ્યમંત્રીએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, હાલ બંન્ને દર્દીઓની તબિયત સુધારા પર છે. આ બ્લાસ્ટમાં મૃતકોના પરિવાર અને ઇજાગ્રસ્તોની સહાય માટે સરકારમાં બેઠક થયા બાદ નક્કી કરવામાં આવશે. હાલમાં ઇજાગ્રસ્તોને સારી સારવાર મળે અને તેઓ જલદીથી સ્વસ્થ થઇ જાય તેના ઉપર અમારુ ધ્યાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે દર્દીઓની મુલાકાત સમયે નિમીષાબેને દર્દીઓના પરિવારને પણ સાત્વના આપી હતી. આ સાથે તબીબી ટીમ સાથે પણ ચર્ચા કરી હતી. આ અગાઉ શુક્રવારે તેમણએ હાલોલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની પણ મુલાકાત લીધી હતી.