રેસકોર્સના બાલભવન ખાતે ધરામિત્ર આહાર-આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું
સળગતી પાણીપૂરીનો સ્વાદપ્રેમી જનતાએ ભરપૂર લાભ લીધો
ગત 7 જાન્યુઆરીથી કંઇક નવું આપવાની મહેચ્છાથી સળગતી પાણીપૂરીની મેળામાં શરૂઆત કરી-પાણીપૂરી બનાવતાં કાશ્મીરાબેન
WatchGujarat. દેશમાં પાણીપુરીનાં ચાહકોની સંખ્યા ખુબ મોટી છે. ભાગ્યે જ કોઈ એક એવી વ્યક્તિ હશે જેને પાણીપુરી પસંદ નહીં હોય. મોટાભાગના લોકોને તીખી, મીઠી અને ઠંડા પાણીની સાથે પાણીપુરી પસંદ હોય છે પરંતુ કોઈ આગની સાથે પાણીપુરી ખાય તો? હાં, સળગતી પાણીપુરી. તેને ફાયર પાણીપુરી કહેવામાં આવી રહી છે. આ પાણીપુરીમાં પાણી નહીં પણ કપૂર લાગેલી હોય છે, જેની મદદથી દુકાનદાર તેના પર આગ લાગે છે. આ ફાયર પાણીપુરી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેને ખાતા સમયે મોઢામાં કોઈ નુકસાન થતું નથી. જેને લઈને કડકડતી ઠંડીમાં લોકોને ફાયર પાણીપુરી ખાવાનું ઘેલું લાગ્યું છે.
રેસકોર્સના બાલભવન ખાતે ધરામિત્ર આહાર-આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ખાન-પાનની જુદી જુદી વાનગીઓ અને એને બનાવવા માટેની ઓર્ગેનિક ચીજવસ્તુઓના વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાની વિશેષતા એ હતી કે ત્યાં સળગતી પાણીપૂરીનો સ્વાદપ્રેમી જનતાએ ભરપૂર લાભ લીધો હતો. આ પાણીપૂરી બનાવતાં કાશ્મીરાબેન રાઠોડે જણાવ્યું હતું કે હું ઘણા સમયથી સૌરાષ્ટ્રભરમાં યોજાતા મેળાઓમાં ખાસ પાણીપૂરીનો સ્ટોલ રાખું છું.
ગત 7 જાન્યુઆરીથી કંઇક નવું આપવાની મહેચ્છાથી સળગતી પાણીપૂરીની મેળામાં શરૂઆત કરી હતી. આ પાણીપૂરીમાં બટાટાં, ચણા, દહીં, લાલ-લીલી ચટણી, બુંદી, ગુલકંદ સહિતની ચીજવસ્તુઓ નાખવામાં આવે છે. સાથે જ તેમાં પાણી નહીં પણ કપૂર લાગેલી હોય છે, જેની મદદથી તેના પર આગ લાગે છે. આ ફાયર પાણીપૂરી ખાનારી વ્યક્તિના મોંમાં મૂકવામાં આવે છે, પરંતુ તેને કોઇ દાઝી જવા જેવી કોઇ અસર થતી નથી. ગત 7 જાન્યુઆરીથી ત્રણ દિવસના આ મેળામાં અનેક બહેનોએ ફાયર પાણીપૂરીની મોજ માણી હતી. તેમજ આ પાણીપુરી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ઉલ્લેખનીય છે કે, આ સળગતી પાણીપૂરીમાં બટાટાંનો મસાલો, ચણા, ડુંગળી પૂરીમાં ભરવામાં આવે છે, જેમાં બાદમાં પાણીપૂરી પર પ્રાકૃતિક કપૂર મૂકવામાં આવે છે અને લાઇટરથી કે દીવાસળથી તેને સળગાવી ગ્રાહકના મોઢામાં મૂકવામાં આવે છે. સળગતી પાણીપૂરી જેવી ગ્રાહકના મોઢામાં જાય ત્યારે મોઢું બંધ કરવાથી આગ ઓલવાય જાય છે અને ધુમાડા બહાર નીકળે છે. આ સળગતી પાણીપૂરીનો ગ્રાહકોને અલગ જ ટેસ્ટ આવે છે. પ્રાકૃતિક કપૂર ખાય પણ શકાય છે, જેનાથી શરીરને ફાયદા પણ થાય છે. રાજકોટનાં 150 ફૂટ રિંગરોડ પર છેલ્લા 7 વર્ષથી મળતું સળગતું પાન પણ લોકોમાં ભારે પ્રિય છે. ત્યારે હવે સળગતી પાણીપુરી લોકોમાં ચર્ચાનો વિષય બની છે.
રેસકોર્સના બાલભવન ખાતે ધરામિત્ર આહાર-આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું
WatchGujarat. દેશમાં પાણીપુરીનાં ચાહકોની સંખ્યા ખુબ મોટી છે. ભાગ્યે જ કોઈ એક એવી વ્યક્તિ હશે જેને પાણીપુરી પસંદ નહીં હોય. મોટાભાગના લોકોને તીખી, મીઠી અને ઠંડા પાણીની સાથે પાણીપુરી પસંદ હોય છે પરંતુ કોઈ આગની સાથે પાણીપુરી ખાય તો? હાં, સળગતી પાણીપુરી. તેને ફાયર પાણીપુરી કહેવામાં આવી રહી છે. આ પાણીપુરીમાં પાણી નહીં પણ કપૂર લાગેલી હોય છે, જેની મદદથી દુકાનદાર તેના પર આગ લાગે છે. આ ફાયર પાણીપુરી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેને ખાતા સમયે મોઢામાં કોઈ નુકસાન થતું નથી. જેને લઈને કડકડતી ઠંડીમાં લોકોને ફાયર પાણીપુરી ખાવાનું ઘેલું લાગ્યું છે.
રેસકોર્સના બાલભવન ખાતે ધરામિત્ર આહાર-આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ખાન-પાનની જુદી જુદી વાનગીઓ અને એને બનાવવા માટેની ઓર્ગેનિક ચીજવસ્તુઓના વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાની વિશેષતા એ હતી કે ત્યાં સળગતી પાણીપૂરીનો સ્વાદપ્રેમી જનતાએ ભરપૂર લાભ લીધો હતો. આ પાણીપૂરી બનાવતાં કાશ્મીરાબેન રાઠોડે જણાવ્યું હતું કે હું ઘણા સમયથી સૌરાષ્ટ્રભરમાં યોજાતા મેળાઓમાં ખાસ પાણીપૂરીનો સ્ટોલ રાખું છું.
ગત 7 જાન્યુઆરીથી કંઇક નવું આપવાની મહેચ્છાથી સળગતી પાણીપૂરીની મેળામાં શરૂઆત કરી હતી. આ પાણીપૂરીમાં બટાટાં, ચણા, દહીં, લાલ-લીલી ચટણી, બુંદી, ગુલકંદ સહિતની ચીજવસ્તુઓ નાખવામાં આવે છે. સાથે જ તેમાં પાણી નહીં પણ કપૂર લાગેલી હોય છે, જેની મદદથી તેના પર આગ લાગે છે. આ ફાયર પાણીપૂરી ખાનારી વ્યક્તિના મોંમાં મૂકવામાં આવે છે, પરંતુ તેને કોઇ દાઝી જવા જેવી કોઇ અસર થતી નથી. ગત 7 જાન્યુઆરીથી ત્રણ દિવસના આ મેળામાં અનેક બહેનોએ ફાયર પાણીપૂરીની મોજ માણી હતી. તેમજ આ પાણીપુરી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ઉલ્લેખનીય છે કે, આ સળગતી પાણીપૂરીમાં બટાટાંનો મસાલો, ચણા, ડુંગળી પૂરીમાં ભરવામાં આવે છે, જેમાં બાદમાં પાણીપૂરી પર પ્રાકૃતિક કપૂર મૂકવામાં આવે છે અને લાઇટરથી કે દીવાસળથી તેને સળગાવી ગ્રાહકના મોઢામાં મૂકવામાં આવે છે. સળગતી પાણીપૂરી જેવી ગ્રાહકના મોઢામાં જાય ત્યારે મોઢું બંધ કરવાથી આગ ઓલવાય જાય છે અને ધુમાડા બહાર નીકળે છે. આ સળગતી પાણીપૂરીનો ગ્રાહકોને અલગ જ ટેસ્ટ આવે છે. પ્રાકૃતિક કપૂર ખાય પણ શકાય છે, જેનાથી શરીરને ફાયદા પણ થાય છે. રાજકોટનાં 150 ફૂટ રિંગરોડ પર છેલ્લા 7 વર્ષથી મળતું સળગતું પાન પણ લોકોમાં ભારે પ્રિય છે. ત્યારે હવે સળગતી પાણીપુરી લોકોમાં ચર્ચાનો વિષય બની છે.