રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીની એક પછી એક ફરિયાદો ઉઠી રહી છે
વોર્ડ નંબર 12માં દૂષિત પાણીને કારણે જ 50 જેટલા લોકોને ઝાડા-ઉલ્ટી થયા બાદ પાણીનાં નમૂના લેવાયા હતા
મનપાની લાઈન ઉપરાંત બોરનું પાણી દૂષિત હોવાનું ખુલ્યા બાદ મેયર એક્શન મોડમાં આવ્યા
WatchGujarat. છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીની એક પછી એક ફરિયાદો ઉઠી રહી છે. તાજેતરમાં મેયર ડો. પ્રદીપ ડવનાં વોર્ડ નંબર 12માં દૂષિત પાણીને કારણે જ 50 જેટલા લોકોને ઝાડા-ઉલ્ટી થયા બાદ પાણીનાં નમૂના લેવાયા હતા. જેમાં મનપાની લાઈન ઉપરાંત બોરનું પાણી દૂષિત હોવાનું ખુલ્યા બાદ મેયર એક્શન મોડમાં આવ્યા છે. અને શહેરનાં તમામ વોર્ડમાંથી પણ બોર સહિતનાં પાણીનું સેમ્પલ લેવા મ્યુ. કમિશ્નરને પત્ર લખીને રજૂઆત કરી છે. જેને પગલે વોટર વર્ક્સ શાખા દ્વારા પાણીના નમૂના લઈને પુથ્થકરણ માટે મોકલવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.
મેયર ડો.પ્રદિપ ડવે મ્યુ. કમિશ્નર અમિત અરોરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, વોર્ડ નં.12 સહિત અન્ય કેટલાક વોર્ડમાં પણ પાણીમાં ડ્રેનેજ, કેમીકલ કે ઘરમાં રહેલા બોરમાં પ્રદુષણ ભળવાના કારણે જુદા જુદા વિસ્તારમાં લોકોને ઝાડા-ઉલ્ટી થયાના બનાવ બન્યા છે. બોરના પાણીના કારણે પણ આવું બન્યું હોય છતાં રાજકોટ મહાપાલિકાને લોકોના રોષનો ભોગ બનવું પડે છે. તો શહેરના લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે વોટર વર્કસ વિભાગ દ્વારા તમામ વિસ્તારની વાલ્વ ચેમ્બરોની સતત સફાઇ કરાવવી જરૂરી છે. આ ઉપરાંત ડ્રેનેજ કે કેમીકલનું પાણી ભળતું હોય તો તે માટેની પણ તપાસ ઝુંબેશના સ્વરૂપમાં કરાવવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે, વોર્ડ નં.12માં મેયરે કોર્પો.ની લાઇન ઉપરાંત એપાર્ટમેન્ટના બોરમાંથી પણ પાણીના નમુના લીધા હતા. જેમાં મનપાની એક લાઇન અને બોરના ત્રણ સેમ્પલ ફેઇલ ગયા હતા. આથી શહેરમાં મનપાની લાઇન ઉપરાંત બોરના પાણીનું પરીક્ષણ કરવા મેયરે જણાવ્યું છે. જે અંતર્ગત તમામ વોર્ડમાંથી પીવાના પાણીનાં નમુના મેળવી તેની ચકાસણી કરવા તુરંત કાર્યવાહી કરવામાં આવનાર છે. જો કે બોરના પાણીમાં ડ્રેનેજનું પાણી ભળતું હોય તો તેને અટકાવવા શુ પગલાં લઈ શકાય તેની રણનીતિ હવે પછી ઘડવામાં આવશે.
- રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીની એક પછી એક ફરિયાદો ઉઠી રહી છે
- વોર્ડ નંબર 12માં દૂષિત પાણીને કારણે જ 50 જેટલા લોકોને ઝાડા-ઉલ્ટી થયા બાદ પાણીનાં નમૂના લેવાયા હતા
- મનપાની લાઈન ઉપરાંત બોરનું પાણી દૂષિત હોવાનું ખુલ્યા બાદ મેયર એક્શન મોડમાં આવ્યા
WatchGujarat. છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીની એક પછી એક ફરિયાદો ઉઠી રહી છે. તાજેતરમાં મેયર ડો. પ્રદીપ ડવનાં વોર્ડ નંબર 12માં દૂષિત પાણીને કારણે જ 50 જેટલા લોકોને ઝાડા-ઉલ્ટી થયા બાદ પાણીનાં નમૂના લેવાયા હતા. જેમાં મનપાની લાઈન ઉપરાંત બોરનું પાણી દૂષિત હોવાનું ખુલ્યા બાદ મેયર એક્શન મોડમાં આવ્યા છે. અને શહેરનાં તમામ વોર્ડમાંથી પણ બોર સહિતનાં પાણીનું સેમ્પલ લેવા મ્યુ. કમિશ્નરને પત્ર લખીને રજૂઆત કરી છે. જેને પગલે વોટર વર્ક્સ શાખા દ્વારા પાણીના નમૂના લઈને પુથ્થકરણ માટે મોકલવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.
મેયર ડો.પ્રદિપ ડવે મ્યુ. કમિશ્નર અમિત અરોરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, વોર્ડ નં.12 સહિત અન્ય કેટલાક વોર્ડમાં પણ પાણીમાં ડ્રેનેજ, કેમીકલ કે ઘરમાં રહેલા બોરમાં પ્રદુષણ ભળવાના કારણે જુદા જુદા વિસ્તારમાં લોકોને ઝાડા-ઉલ્ટી થયાના બનાવ બન્યા છે. બોરના પાણીના કારણે પણ આવું બન્યું હોય છતાં રાજકોટ મહાપાલિકાને લોકોના રોષનો ભોગ બનવું પડે છે. તો શહેરના લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે વોટર વર્કસ વિભાગ દ્વારા તમામ વિસ્તારની વાલ્વ ચેમ્બરોની સતત સફાઇ કરાવવી જરૂરી છે. આ ઉપરાંત ડ્રેનેજ કે કેમીકલનું પાણી ભળતું હોય તો તે માટેની પણ તપાસ ઝુંબેશના સ્વરૂપમાં કરાવવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે, વોર્ડ નં.12માં મેયરે કોર્પો.ની લાઇન ઉપરાંત એપાર્ટમેન્ટના બોરમાંથી પણ પાણીના નમુના લીધા હતા. જેમાં મનપાની એક લાઇન અને બોરના ત્રણ સેમ્પલ ફેઇલ ગયા હતા. આથી શહેરમાં મનપાની લાઇન ઉપરાંત બોરના પાણીનું પરીક્ષણ કરવા મેયરે જણાવ્યું છે. જે અંતર્ગત તમામ વોર્ડમાંથી પીવાના પાણીનાં નમુના મેળવી તેની ચકાસણી કરવા તુરંત કાર્યવાહી કરવામાં આવનાર છે. જો કે બોરના પાણીમાં ડ્રેનેજનું પાણી ભળતું હોય તો તેને અટકાવવા શુ પગલાં લઈ શકાય તેની રણનીતિ હવે પછી ઘડવામાં આવશે.