હરિધામ સોખડા ખાતે સંતો દ્વારા એક યુવકને ઘેરીને માર મારવા ઘટના સામે આવી હતી
ગ્રામ્ય એસ.પી. સુધીર દેસાઈએ આજે આ મામલે પ્રેસકોન્ફ્રાન્સ યોજી
મંદિરના જે લોકો પર આરોપ મુકવામાં આવ્યો છે તેમના નિવેદન લેવાની કામગીરી ચાલી રહી-એસ.પી. સુધીર દેસાઈ
WatchGujarat. હરિધામ સોખડા ખાતે સંતો દ્વારા એક યુવકને ઘેરીને માર મારવા મામલે આજે ગ્રામ્ય એસ.પી. સુધીર દેસાઈએ પ્રેસકોન્ફ્રાન્સનું આયોજન કર્યું હતું. જેમાં જણાવ્યું કે, 6 તારીખે અનુજ ચૌહાણની અરજી બાદ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. મંદિરના જે લોકો પર આરોપ મુકવામાં આવ્યો છે તેમના નિવેદન લેવાની કામગીરી ચાલી રહી છે. પરિજનોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
6 જાન્યુઆરીના રોજ હરિધામ સોખડાનો એક વિડીયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં હરિધામ પરિસરમાં 4 જેટલા સંતોએ ઘેરી વળીને મંદિરમાં સેવા આપનાર યુવકને માર માર્યો હતો. વિડીયો વાયરલ થતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. ઘટના બાદ મંદિરમાં સેવા આપતા યુવક અનુજ ચૌહાણને માર મારવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી હતી. સંતો દ્વારા કરવામાં આવેલા કૃત્યથી અનુજ ચૌહાનનો પરિવાર ડઘાઈ ગયો હતો. અને અનુજને મંદિરમાંથી પરત ઘરે લઈ આવ્યા હતા. તથા તેની સાથે થયેલી ઘટનાની તાપસ માટે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. અરજીને ધ્યાને રાખીને પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સંતોએ વિડીયો ઉતારવા બાબતે અનુજને માર માર્યો હોવાનું મનાઇ રહ્યું છે.
સમગ્ર મામલે આજરોજ ગ્રામ્ય એસ.પી. સુધીર દેસાઈએ પ્રેસ કૉન્ફ્રાન્સ કરી હતી. જેમાં જણાવ્યું કે. 6 જાન્યુઆરીના રોજ વિડીયો સામે આવ્યો હતો. વિડીયો સામે આવ્યા બાદ ભોગબનનાર અનુજ ચૌહાણે મામલાની તપાસ અર્થે અરજી આપી હતી. તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઘટના બાદ અનુજનો પરિવારે બહાર જવાનું હોવાનું જણાવ્યું હતું. વાયરલ વીડિયોમાં જોવા મળનાર લોકોની ઓળખ કરીને તેમના નિવેદનો લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. અનુજની અરજીમાં જે લોકો સામે આરોપ છે તે લોકો ના પણ નિવેદન લેવાયા છે. અનુજના પરિજને પોલીસને પોતે સુરક્ષિત ન હોવા અંગે કોઈ જાણ કરી નથી. સંતોએ ઘેરી લઈને યુવકને માર મારવા પાછળ કોઈ વિડીયો હોવાનું સામે આવ્યું નથી.
હરિધામ સોખડા ખાતે સંતો દ્વારા એક યુવકને ઘેરીને માર મારવા ઘટના સામે આવી હતી
ગ્રામ્ય એસ.પી. સુધીર દેસાઈએ આજે આ મામલે પ્રેસકોન્ફ્રાન્સ યોજી
મંદિરના જે લોકો પર આરોપ મુકવામાં આવ્યો છે તેમના નિવેદન લેવાની કામગીરી ચાલી રહી-એસ.પી. સુધીર દેસાઈ
WatchGujarat. હરિધામ સોખડા ખાતે સંતો દ્વારા એક યુવકને ઘેરીને માર મારવા મામલે આજે ગ્રામ્ય એસ.પી. સુધીર દેસાઈએ પ્રેસકોન્ફ્રાન્સનું આયોજન કર્યું હતું. જેમાં જણાવ્યું કે, 6 તારીખે અનુજ ચૌહાણની અરજી બાદ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. મંદિરના જે લોકો પર આરોપ મુકવામાં આવ્યો છે તેમના નિવેદન લેવાની કામગીરી ચાલી રહી છે. પરિજનોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
6 જાન્યુઆરીના રોજ હરિધામ સોખડાનો એક વિડીયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં હરિધામ પરિસરમાં 4 જેટલા સંતોએ ઘેરી વળીને મંદિરમાં સેવા આપનાર યુવકને માર માર્યો હતો. વિડીયો વાયરલ થતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. ઘટના બાદ મંદિરમાં સેવા આપતા યુવક અનુજ ચૌહાણને માર મારવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી હતી. સંતો દ્વારા કરવામાં આવેલા કૃત્યથી અનુજ ચૌહાનનો પરિવાર ડઘાઈ ગયો હતો. અને અનુજને મંદિરમાંથી પરત ઘરે લઈ આવ્યા હતા. તથા તેની સાથે થયેલી ઘટનાની તાપસ માટે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. અરજીને ધ્યાને રાખીને પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સંતોએ વિડીયો ઉતારવા બાબતે અનુજને માર માર્યો હોવાનું મનાઇ રહ્યું છે.
સમગ્ર મામલે આજરોજ ગ્રામ્ય એસ.પી. સુધીર દેસાઈએ પ્રેસ કૉન્ફ્રાન્સ કરી હતી. જેમાં જણાવ્યું કે. 6 જાન્યુઆરીના રોજ વિડીયો સામે આવ્યો હતો. વિડીયો સામે આવ્યા બાદ ભોગબનનાર અનુજ ચૌહાણે મામલાની તપાસ અર્થે અરજી આપી હતી. તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઘટના બાદ અનુજનો પરિવારે બહાર જવાનું હોવાનું જણાવ્યું હતું. વાયરલ વીડિયોમાં જોવા મળનાર લોકોની ઓળખ કરીને તેમના નિવેદનો લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. અનુજની અરજીમાં જે લોકો સામે આરોપ છે તે લોકો ના પણ નિવેદન લેવાયા છે. અનુજના પરિજને પોલીસને પોતે સુરક્ષિત ન હોવા અંગે કોઈ જાણ કરી નથી. સંતોએ ઘેરી લઈને યુવકને માર મારવા પાછળ કોઈ વિડીયો હોવાનું સામે આવ્યું નથી.