અજબ પ્રેમ કી ગજબ કહાની સમગ્ર પંથકની અંદર ચર્ચાનો વિષય બન્યો
ત્રણ સંતાનની માતાને કુવારા યુવક સાથે પ્રેમ થતા મળી આકરી સજા
મહીલાના નાક,કાન કાપી મુંડન કરી 8 કલાકથી વધુ ઢોર માર માર્યો
Watchgujarat.રાજકોટના જેતપુરમાં આવેલ પીઠડીયા ટોલનાકા પાસેના નવા પુલ ઉપર રહેતી એક ત્રણ સંતાનની માતાને એક કુવારા યુવક સાથે આંખ મળી જતા બંને પ્રેમી પંખીડા પલાયન થઈ ગયા હતા. ત્યારબાદ પકડાય થતા એવી આકરી સજા કરવામાં આવી કે તમે વિચારતા થઇ જશો. પરણિત મહિલા પલાયન થયા બાદ પરત પોતાના સંતાનોને મળવાના ઇરાદા માટે આવી હતી. જે બાદ આ બંને પ્રેમી પંખીડાઓને આકરી સજા કરવામાં આવી હતી.
પરણિત મહિલાનાં જણાવ્યા મુજબ તેમનો પતિ તેમને ખૂબ દુઃખ ત્રાસ આપતો અને તેમને મારકુટ કરતો હતો. તેથી મહિલાની સહનશીલતા ખૂટી અને દુઃખ ત્રાસથી કંટાળી આ પગલું ભર્યુ હોવાનું પણ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
પ્રેમી યુવકે જણાવ્યું હતું કે તે પોતાના કામથી જઈ રહ્યો હતો ત્યારે પરણિત મહિલાના જેઠને ખબર પડી જતાં બન્નેની શોધખોળ શરૂ કરી હતી. જેમાં આ પ્રેમી પંખીડાઓ સંતાઈ ગયા હતા. જે બાદ યુવકને જોઈ જતાં તેમને ઝડપી લેવામાં આવ્યો હતો. બાદમાં બન્નેને લઈ જઈને ટોલ નાકા પાસેની જગ્યા પાસે તેમને સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
આ પ્રેમી પંખીડાને એટલો ઢોર માર મારવામાં આવ્યો હતો કે તેમના પર દસ જેટલા વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. જેમાં સાસરીયાવાળાએ માર માર્યા બાદ પરિણીત મહિલાના કાન અને નાક કાપી નાખ્યું હતું અને બાદમાં આ પરિણીત મહિલાનું મુંડન કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. તો બીજી તરફ પ્રેમી યુવકને પણ માર મારવામાં આવ્યો હોવાનું પણ યુવકે જણાવ્યું હતું અને તેમનું પણ મુંડન કરીને તેમને ડામ આપવામાં આવ્યા હતા. ત્યારે હાલ આ પરણિત મહિલા અને યુવક જેતપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, ત્યારે જેતપુરની આ અજબ પ્રેમ કી ગજબ કહાની સમગ્ર પંથકની અંદર ચર્ચાનો વિષય બન્યો છે.
અજબ પ્રેમ કી ગજબ કહાની સમગ્ર પંથકની અંદર ચર્ચાનો વિષય બન્યો
ત્રણ સંતાનની માતાને કુવારા યુવક સાથે પ્રેમ થતા મળી આકરી સજા
મહીલાના નાક,કાન કાપી મુંડન કરી 8 કલાકથી વધુ ઢોર માર માર્યો
Watchgujarat.રાજકોટના જેતપુરમાં આવેલ પીઠડીયા ટોલનાકા પાસેના નવા પુલ ઉપર રહેતી એક ત્રણ સંતાનની માતાને એક કુવારા યુવક સાથે આંખ મળી જતા બંને પ્રેમી પંખીડા પલાયન થઈ ગયા હતા. ત્યારબાદ પકડાય થતા એવી આકરી સજા કરવામાં આવી કે તમે વિચારતા થઇ જશો. પરણિત મહિલા પલાયન થયા બાદ પરત પોતાના સંતાનોને મળવાના ઇરાદા માટે આવી હતી. જે બાદ આ બંને પ્રેમી પંખીડાઓને આકરી સજા કરવામાં આવી હતી.
પરણિત મહિલાનાં જણાવ્યા મુજબ તેમનો પતિ તેમને ખૂબ દુઃખ ત્રાસ આપતો અને તેમને મારકુટ કરતો હતો. તેથી મહિલાની સહનશીલતા ખૂટી અને દુઃખ ત્રાસથી કંટાળી આ પગલું ભર્યુ હોવાનું પણ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
પ્રેમી યુવકે જણાવ્યું હતું કે તે પોતાના કામથી જઈ રહ્યો હતો ત્યારે પરણિત મહિલાના જેઠને ખબર પડી જતાં બન્નેની શોધખોળ શરૂ કરી હતી. જેમાં આ પ્રેમી પંખીડાઓ સંતાઈ ગયા હતા. જે બાદ યુવકને જોઈ જતાં તેમને ઝડપી લેવામાં આવ્યો હતો. બાદમાં બન્નેને લઈ જઈને ટોલ નાકા પાસેની જગ્યા પાસે તેમને સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
આ પ્રેમી પંખીડાને એટલો ઢોર માર મારવામાં આવ્યો હતો કે તેમના પર દસ જેટલા વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. જેમાં સાસરીયાવાળાએ માર માર્યા બાદ પરિણીત મહિલાના કાન અને નાક કાપી નાખ્યું હતું અને બાદમાં આ પરિણીત મહિલાનું મુંડન કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. તો બીજી તરફ પ્રેમી યુવકને પણ માર મારવામાં આવ્યો હોવાનું પણ યુવકે જણાવ્યું હતું અને તેમનું પણ મુંડન કરીને તેમને ડામ આપવામાં આવ્યા હતા. ત્યારે હાલ આ પરણિત મહિલા અને યુવક જેતપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, ત્યારે જેતપુરની આ અજબ પ્રેમ કી ગજબ કહાની સમગ્ર પંથકની અંદર ચર્ચાનો વિષય બન્યો છે.