જામનગરમાં રખડતાં ઢોરનો આતંક વધ્યો, ઘરમાં ઘૂસીને ગાયનો ઘોડિયામાં સૂતેલા બાળક અને મહિલા પર હુમલો
જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં સવારે રહેણાક મકાનમાં ઢોર ઘુસી ગયું હતું
મકાનમાં ગાય ઘુસી જતા જ ઘરમાં નાશ ભાગ મચી જવા પામી હતી, જેમાં એક મહિલા ઈજાગ્રસ્ત થતાં સારવાર આર્થે હોસ્પિટલ ખસેડાયાં
નાના બાળકને ઘોડિયામાંથી બહાર ઢસડીને ગાય બહાર લઈ આવી, સદભાગ્યે બાળકનો આબાદ બચાવ
મહાનગરપાલિકાના સત્તાધીશો ઢોરના કાયમી ત્રાસ અંગે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાંગ ઉઠી
WatchGujarat. રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. શહેરના રસ્તાઓ પર અડિંગો જમાવીને બેસતા, ગંદકી ફેલાવતા અને નાગરિકો પર હુમલો કરતા આ રખડતા ઢોરોના માલિકો પર સરકારનો કોઈ અંકુશ નથી. જેથી ઢોરોના આતંકની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. તાજેતરમાં જામનગર શહેરની એક આવી જ ઘટના સામે આવી છે. જ્યાં ઘરમાં નાના બાળકને ઘોડિયામાંથી બહાર ઢસડીને ગાય લઈ આવી હતી. અને સદભાગ્યે બાળકનો આબાદ બચાવ થયો હતો. રસ્તે કનડગત કરતા રખડતા ઢોર હવે ઘરમાં ઘૂસીને આતંક મચાવી રહ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જોકે આ ઘટનાના દ્રશ્યો ખૂબ જ ભયાવહ હતા.
https://youtu.be/lABFCkvaZrw
જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે તંત્ર કાયમની ઉપાધિમાં કોઈ રાહત આપી શકતું નથી. જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં સવારે રહેણાક મકાનમાં ઢોર ઘુસી ગયું હતું. રહેણાંક મકાનમાં ગાય ઘુસી જતા જ ઘરમાં નાશ ભાગ મચી જવા પામી હતી. રખડતુ ઢોર ઘરના કમ્પાઉન્ડમાં આવી ચઢ્યુ હતું, જેના બાદ તે ઘરમાં ગયુ હતું. ઘરના ઘોડિયામાં જ્યાંશું નામનું બાળક સૂતુ હતું, ત્યારે ઢોરના શિંગડામાં ઘોડિયુ ભરાઈ ગયુ હતું. જેથી બાળક નીચે પડ્યુ હતું. ઘોડિળુ શિંગડામાં ફસાતા ઢોર ભૂરાટે ચઢ્યુ હતું. જોકે, ઘોડિયામાં સૂતા બાળકનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો. પરંતુ ઢોરના આ આતંકમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. જેને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અગાઉ પણ જામનગરમાં અનેક એવી ઘટનાઓ બની હતી કે જેમાં લોકોને ઢોરના ત્રાસનો ભોગ બનવો પડ્યો હોય. આ પ્રકારના બનાવ બાદ તંત્ર કરવાની નક્કર કામગીરી કરી શકતું નથી. માત્ર કરવા ખાતર નિયમો બનાવી કામગીરી કર્યાનો સંતોષ માને છે. તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. મહાનગરપાલિકાના સત્તાધીશો ઢોરના કાયમી ત્રાસ અંગે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં લાગણી અને માંગણી ઉઠી રહી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી દ્વારા રખડતા ઢોર મામલે ઢોર માલિકો વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા સહિતના મુદ્દે IPC કલમ-304 સહિતનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ જાહેરનામાની કડક અમલવારી હાથ ધરવામાં આવશે તેવુ તેમાં જણાવાયુ હતું. તેમજ જે ઢોર માલિકો દ્વારા તેમના પશુઓથી લોકોને ઇજા કે અન્ય કોઈ નુકસાન થશે તેના બદલ ફોજદારી ગુનો નોંધવા સહિતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જામનગર કમિશનરની આ સૂફીયાની વાતોનો કોઈ અમલ થયો નથી. જામનગરમાં હજી પણ રખડતા ઢોરો જોવા મળે છે, અને નાગરિકો પર હુમલાના બનાવો બનતા રહે છે.
જામનગરમાં રખડતાં ઢોરનો આતંક વધ્યો, ઘરમાં ઘૂસીને ગાયનો ઘોડિયામાં સૂતેલા બાળક અને મહિલા પર હુમલો
જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં સવારે રહેણાક મકાનમાં ઢોર ઘુસી ગયું હતું
મકાનમાં ગાય ઘુસી જતા જ ઘરમાં નાશ ભાગ મચી જવા પામી હતી, જેમાં એક મહિલા ઈજાગ્રસ્ત થતાં સારવાર આર્થે હોસ્પિટલ ખસેડાયાં
નાના બાળકને ઘોડિયામાંથી બહાર ઢસડીને ગાય બહાર લઈ આવી, સદભાગ્યે બાળકનો આબાદ બચાવ
મહાનગરપાલિકાના સત્તાધીશો ઢોરના કાયમી ત્રાસ અંગે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાંગ ઉઠી
WatchGujarat. રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. શહેરના રસ્તાઓ પર અડિંગો જમાવીને બેસતા, ગંદકી ફેલાવતા અને નાગરિકો પર હુમલો કરતા આ રખડતા ઢોરોના માલિકો પર સરકારનો કોઈ અંકુશ નથી. જેથી ઢોરોના આતંકની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. તાજેતરમાં જામનગર શહેરની એક આવી જ ઘટના સામે આવી છે. જ્યાં ઘરમાં નાના બાળકને ઘોડિયામાંથી બહાર ઢસડીને ગાય લઈ આવી હતી. અને સદભાગ્યે બાળકનો આબાદ બચાવ થયો હતો. રસ્તે કનડગત કરતા રખડતા ઢોર હવે ઘરમાં ઘૂસીને આતંક મચાવી રહ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જોકે આ ઘટનાના દ્રશ્યો ખૂબ જ ભયાવહ હતા.
જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે તંત્ર કાયમની ઉપાધિમાં કોઈ રાહત આપી શકતું નથી. જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં સવારે રહેણાક મકાનમાં ઢોર ઘુસી ગયું હતું. રહેણાંક મકાનમાં ગાય ઘુસી જતા જ ઘરમાં નાશ ભાગ મચી જવા પામી હતી. રખડતુ ઢોર ઘરના કમ્પાઉન્ડમાં આવી ચઢ્યુ હતું, જેના બાદ તે ઘરમાં ગયુ હતું. ઘરના ઘોડિયામાં જ્યાંશું નામનું બાળક સૂતુ હતું, ત્યારે ઢોરના શિંગડામાં ઘોડિયુ ભરાઈ ગયુ હતું. જેથી બાળક નીચે પડ્યુ હતું. ઘોડિળુ શિંગડામાં ફસાતા ઢોર ભૂરાટે ચઢ્યુ હતું. જોકે, ઘોડિયામાં સૂતા બાળકનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો. પરંતુ ઢોરના આ આતંકમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. જેને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અગાઉ પણ જામનગરમાં અનેક એવી ઘટનાઓ બની હતી કે જેમાં લોકોને ઢોરના ત્રાસનો ભોગ બનવો પડ્યો હોય. આ પ્રકારના બનાવ બાદ તંત્ર કરવાની નક્કર કામગીરી કરી શકતું નથી. માત્ર કરવા ખાતર નિયમો બનાવી કામગીરી કર્યાનો સંતોષ માને છે. તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. મહાનગરપાલિકાના સત્તાધીશો ઢોરના કાયમી ત્રાસ અંગે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં લાગણી અને માંગણી ઉઠી રહી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી દ્વારા રખડતા ઢોર મામલે ઢોર માલિકો વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા સહિતના મુદ્દે IPC કલમ-304 સહિતનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ જાહેરનામાની કડક અમલવારી હાથ ધરવામાં આવશે તેવુ તેમાં જણાવાયુ હતું. તેમજ જે ઢોર માલિકો દ્વારા તેમના પશુઓથી લોકોને ઇજા કે અન્ય કોઈ નુકસાન થશે તેના બદલ ફોજદારી ગુનો નોંધવા સહિતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જામનગર કમિશનરની આ સૂફીયાની વાતોનો કોઈ અમલ થયો નથી. જામનગરમાં હજી પણ રખડતા ઢોરો જોવા મળે છે, અને નાગરિકો પર હુમલાના બનાવો બનતા રહે છે.