જામનગરમાં માનવતાને શર્મસાર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે
પથારીવશ માતાને સંતાને એટલા માટે તરછોડી કે તેને મિલકતમાં ભાગ ન મળ્યો
આખરે મામલો 181 સુધી પહોંચતા નિવેડો આવ્યો
WatchGujarat. જામનગર નજીકના એક ગામમાં એક દિકરાના નામને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં દીકરાએ મિલકત માટે થઇને પથારીવશ માતાને પોતાના સાથે રાખવાની ના પાડી છે. તા. 15ના સાંજે 5 વાગ્યે 181માં એક દીકરીનો ફોન આવ્યો કે, તેમના સગાં ભાઈઓ તેમની માતાને હાલ પોતાના સાથે રાખવા માટે તૈયાર નથી તે માહિતી 181 ટીમને આપી હતી.
મીડિયા અહેવાલ મુજબ, 181ની ટીમના કાઉન્સેલર પોપટ પૂર્વી, એએસઆઇ તારાબેન ચૌહાણ તથા પાયલોટ સુરજીતસિંહ વાઘેલા તુરંત જ મદદ માટે જેતે સ્થળે પહોંચી ગયા હતાં અને સ્થળ પર જઈ વાતચીત કરતા તેમનાં દિકરીના જણાવ્યા મુજબ, તેઓ 6 બહેનો અને 2 ભાઈઓ છે, તેમના માતાને 4 પેરાલિસિસના એટેક આવ્યા છે. લોકડાઉનમાં એક હુમલો આવતા તેના કારણે છેલ્લાં અઢી મહિનાથી વૃદ્ધા પથારીવશ થઇ ગયા છે અને ઊભા પણ થઈ શકતાં નથી. પોતાનું તમામ કામ પથારીમાં કરે છે અને હાલ માજી તેમનાં નાના દિકરી સાથે હતા અને તેમને તેમની સેવા કરી છે.
181ની ટીમે તેમના દીકરા સાથે વાતચીત કરી ત્યારે મિલકત માટે આ સમસ્યા આવી છે તે સામે આવી હતી. વૃદ્ધાની સંપતિ તેમના નાના દીકરા પાસે છે ત્યારે મોટા દીકરા કહે છે કે, સંપતિ તેમને આપે તો રાખીએ કેમ કે, તેમને કશું આપવામાં આવ્યું નથી. 181ની ટીમના કાઉન્સિલિંગ બાદ તેઓ વૃદ્ધાને રાખવા માટે તૈયાર થયા હતાં અને તેમની સેવા કરશે, દવાઓ કરશે, ધ્યાન રાખશે તેવી ખાતરી પણ 181ની ટીમને આપી છે. જેની જવાબદારી છે તેવા દીકરાઓએ માતાને તરછોડી, જેને પારકી થાપણ કહેવાય છે કે દીકરીઓ માતાને સાચવતા હતા, આમ 181ના કાઉન્સેલિંગ બાદ દીકરાઓ માતાને સાચવવા રાજી થયા હતાં.
- જામનગરમાં માનવતાને શર્મસાર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે
- પથારીવશ માતાને સંતાને એટલા માટે તરછોડી કે તેને મિલકતમાં ભાગ ન મળ્યો
- આખરે મામલો 181 સુધી પહોંચતા નિવેડો આવ્યો
WatchGujarat. જામનગર નજીકના એક ગામમાં એક દિકરાના નામને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં દીકરાએ મિલકત માટે થઇને પથારીવશ માતાને પોતાના સાથે રાખવાની ના પાડી છે. તા. 15ના સાંજે 5 વાગ્યે 181માં એક દીકરીનો ફોન આવ્યો કે, તેમના સગાં ભાઈઓ તેમની માતાને હાલ પોતાના સાથે રાખવા માટે તૈયાર નથી તે માહિતી 181 ટીમને આપી હતી.
મીડિયા અહેવાલ મુજબ, 181ની ટીમના કાઉન્સેલર પોપટ પૂર્વી, એએસઆઇ તારાબેન ચૌહાણ તથા પાયલોટ સુરજીતસિંહ વાઘેલા તુરંત જ મદદ માટે જેતે સ્થળે પહોંચી ગયા હતાં અને સ્થળ પર જઈ વાતચીત કરતા તેમનાં દિકરીના જણાવ્યા મુજબ, તેઓ 6 બહેનો અને 2 ભાઈઓ છે, તેમના માતાને 4 પેરાલિસિસના એટેક આવ્યા છે. લોકડાઉનમાં એક હુમલો આવતા તેના કારણે છેલ્લાં અઢી મહિનાથી વૃદ્ધા પથારીવશ થઇ ગયા છે અને ઊભા પણ થઈ શકતાં નથી. પોતાનું તમામ કામ પથારીમાં કરે છે અને હાલ માજી તેમનાં નાના દિકરી સાથે હતા અને તેમને તેમની સેવા કરી છે.
181ની ટીમે તેમના દીકરા સાથે વાતચીત કરી ત્યારે મિલકત માટે આ સમસ્યા આવી છે તે સામે આવી હતી. વૃદ્ધાની સંપતિ તેમના નાના દીકરા પાસે છે ત્યારે મોટા દીકરા કહે છે કે, સંપતિ તેમને આપે તો રાખીએ કેમ કે, તેમને કશું આપવામાં આવ્યું નથી. 181ની ટીમના કાઉન્સિલિંગ બાદ તેઓ વૃદ્ધાને રાખવા માટે તૈયાર થયા હતાં અને તેમની સેવા કરશે, દવાઓ કરશે, ધ્યાન રાખશે તેવી ખાતરી પણ 181ની ટીમને આપી છે. જેની જવાબદારી છે તેવા દીકરાઓએ માતાને તરછોડી, જેને પારકી થાપણ કહેવાય છે કે દીકરીઓ માતાને સાચવતા હતા, આમ 181ના કાઉન્સેલિંગ બાદ દીકરાઓ માતાને સાચવવા રાજી થયા હતાં.