ગાંધીનગર કમલમ ખાતે મળેલી પાર્ટી મીટીંગમાં સર્વાનુંમતે ભુપેન્દ્ર પટેલને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા
સૌરાષ્ટ્રના અનેક ગામો અતિવૃષ્ટિને કારણે મુશ્કેલીમાં મુકાયા
મુખ્યમંત્રીને જાણ થતાની સાથે તેમણે સ્થાનિક તંત્ર સાથે સંકલન સાધીને ત્રણ જેટલા ગામોના લોકોને એરલિફ્ટ કરવા માટે સુચન કર્યું
WatchGujarat. શપથવિધી પહેલા જ રાજ્યના નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે. અને જામનગરમાં વરસેલા અતિભારે વરસાદમાં ગામોમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા માટે સ્થાનિક તંત્ર સાથે સંકલન સાધી સુચનો આપ્યા હતા.
https://youtu.be/uo5opt2iafI
તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ ગાંધીનગર કમલમ ખાતે મળેલી પાર્ટી મીટીંગમાં સર્વાનુંમતે ભુપેન્દ્ર પટેલને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આજરોજ દેશના ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય રાજ્યનોના મુખ્યમંત્રીઓની હાજરીમાં ભુપેન્દ્ર પટેલની શપથવિધી યોજાનાર છે. જો કે, શપથવિધી પહેલા જ તેઓ એક્શનમાં આવ્યા છે.
[caption id="attachment_1396853" align="aligncenter" width="640"] જામનગર જીલ્લામાં ભારે વરસાદથી પુરની સ્થિતિ, નવ નિયુક્ત CM ભૂપેન્દ્ર પટેલે કલેક્ટર સાથે વાતચીત કરી[/caption]
રાજ્યના અનેક ભાગોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં વરસાદને કારણે ડેમ છલકાયા છે. અને અતિવૃષ્ટિને કારણે અનેક ગામોમાં તો સ્થિતી બગડી રહી છે. હાલ પ્રાપ્ત વિગતો પ્રમાણે, જામનગરના અનેક ગામોમાં પાણી ભરાઇ જવાને કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘરના પહેલા માળ સુધી પાણી આવી જવાને કારણે કેટલાક વિસ્તારોમાં લોકો જીવ બચાવવા માટે ધાબા પર ચઢી ગયા છે. તેવા લોકોની મદદે રાજ્યના નવા વરાયેલા મુખ્યમંત્રી આવ્યા છે. મુખ્યમંત્રીને જાણ થતાની સાથે તેમણે સ્થાનિક તંત્ર સાથે સંકલન સાધીને ત્રણ જેટલા ગામોના લોકોને એરલિફ્ટ કરવા માટે સુચન કર્યું છે.
અત્રે ઉલ્લેનીય છે કે, નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામે રાજ્યમાં અનેક પડકારો છે. હાલ અતિવૃષ્ટિને કારણે સર્જાયેલી સ્થિતીમાં તેઓ સરાહનીય કામ કરી રહ્યા છે. આગામી સમયમાં પણ તેઓ આ રીતે સ્થિતી પારખી જઇને લોકહિતના કાર્યો કરે તેવું સૌ કોઇ ઇચ્છી રહ્યું છે. જો કે, ચુંટણી નજીક આવતા મુખ્યમંત્રીએ ચોક્કસ સમયગાળામાં અનેક જવાબદારીઓ નિભાવવી પડશે તેવુ રાજકીય પંડિતોનું માનવું છે.
ગાંધીનગર કમલમ ખાતે મળેલી પાર્ટી મીટીંગમાં સર્વાનુંમતે ભુપેન્દ્ર પટેલને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા
સૌરાષ્ટ્રના અનેક ગામો અતિવૃષ્ટિને કારણે મુશ્કેલીમાં મુકાયા
મુખ્યમંત્રીને જાણ થતાની સાથે તેમણે સ્થાનિક તંત્ર સાથે સંકલન સાધીને ત્રણ જેટલા ગામોના લોકોને એરલિફ્ટ કરવા માટે સુચન કર્યું
WatchGujarat. શપથવિધી પહેલા જ રાજ્યના નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે. અને જામનગરમાં વરસેલા અતિભારે વરસાદમાં ગામોમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા માટે સ્થાનિક તંત્ર સાથે સંકલન સાધી સુચનો આપ્યા હતા.
તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ ગાંધીનગર કમલમ ખાતે મળેલી પાર્ટી મીટીંગમાં સર્વાનુંમતે ભુપેન્દ્ર પટેલને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આજરોજ દેશના ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય રાજ્યનોના મુખ્યમંત્રીઓની હાજરીમાં ભુપેન્દ્ર પટેલની શપથવિધી યોજાનાર છે. જો કે, શપથવિધી પહેલા જ તેઓ એક્શનમાં આવ્યા છે.
[caption id="attachment_1396853" align="aligncenter" width="640"] જામનગર જીલ્લામાં ભારે વરસાદથી પુરની સ્થિતિ, નવ નિયુક્ત CM ભૂપેન્દ્ર પટેલે કલેક્ટર સાથે વાતચીત કરી[/caption]
રાજ્યના અનેક ભાગોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં વરસાદને કારણે ડેમ છલકાયા છે. અને અતિવૃષ્ટિને કારણે અનેક ગામોમાં તો સ્થિતી બગડી રહી છે. હાલ પ્રાપ્ત વિગતો પ્રમાણે, જામનગરના અનેક ગામોમાં પાણી ભરાઇ જવાને કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘરના પહેલા માળ સુધી પાણી આવી જવાને કારણે કેટલાક વિસ્તારોમાં લોકો જીવ બચાવવા માટે ધાબા પર ચઢી ગયા છે. તેવા લોકોની મદદે રાજ્યના નવા વરાયેલા મુખ્યમંત્રી આવ્યા છે. મુખ્યમંત્રીને જાણ થતાની સાથે તેમણે સ્થાનિક તંત્ર સાથે સંકલન સાધીને ત્રણ જેટલા ગામોના લોકોને એરલિફ્ટ કરવા માટે સુચન કર્યું છે.
અત્રે ઉલ્લેનીય છે કે, નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામે રાજ્યમાં અનેક પડકારો છે. હાલ અતિવૃષ્ટિને કારણે સર્જાયેલી સ્થિતીમાં તેઓ સરાહનીય કામ કરી રહ્યા છે. આગામી સમયમાં પણ તેઓ આ રીતે સ્થિતી પારખી જઇને લોકહિતના કાર્યો કરે તેવું સૌ કોઇ ઇચ્છી રહ્યું છે. જો કે, ચુંટણી નજીક આવતા મુખ્યમંત્રીએ ચોક્કસ સમયગાળામાં અનેક જવાબદારીઓ નિભાવવી પડશે તેવુ રાજકીય પંડિતોનું માનવું છે.