નવા સરકારમાં જુના તમામ મંત્રીઓ અને તેમના સહયોગી સ્ટાફને બદલી દેવામાં આવ્યો હતો
ચાલુ સરકારમાં કે. કૈલાશનાથનને પુન ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી બનાવાયા
નવા આદેશ ન થાય ત્યાં સુધી તેઓ સેવા આપશે
WatchGujarat. રવિવારે ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગે મહત્વનો ઓર્ડર કર્યો છે. જે મુજબ સીએમ ભુપેન્દ્ર પટેલના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે કે. કૈલાસનાથન ફરજ બજાવશે. નોંધનિય છે કે, કૈલાસનાથન નિવૃત્તિ બાદ લાંબા વર્ષોથી CMOમાં સેવા આપે છે. સુત્રના જણાવ્યા પ્રમાણે કે. કેલાશનાથનને સાતમી વખત એક્સટેન્શન આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં નવી સરકાર કાર્યરત થતા કૈલાસનાથનને લઈને નવો ઓર્ડર કરાયો છે. મળતી માહિતી પ્રમાણે હવે જ્યાં સુધી નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી કૈલાસનાથન સેવા આપતા રહેશે. રાજ્યમાં સૌથી મહત્વના પદ પર તેમને એક્સટેન્શન આપવામાં આવતા હવે તેઓ જોડાશે.
કે. કૈલાસનાથનને છ વખત એક્સટેન્શન અપાયું
1) ડિસેમ્બર 2013 થી 2014
2) ડિસેમ્બર 2014 થી 2015
3) ડિસેમ્બર 2015થી 2016
4) 2016થી 2017
5) 2017થી 2019
6) 2019થી 2021
7)2021થી શરૂ
1979 બેચના ગુજરાત કેડરના IAS કે. કૈલાસનાથન 2013માં 33 વર્ષની સેવા બાદ સેવા નિવૃત થયા હતા. પરંતુ 2013 બાદ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ CMO( મુખ્યમંત્રી ઓફિસ)માં કૈલાસનાથન માટે એક નવો હોદ્દો ઉભો કરી CMOમાં મુખ્ય અગ્ર સચિવ બનાવ્યા. ત્યારથી લઈ આજ સુધી આજ પદ પર કે. કૈલાશનાથન સેવા આપી રહ્યા છે.
નવા સરકારમાં જુના તમામ મંત્રીઓ અને તેમના સહયોગી સ્ટાફને બદલી દેવામાં આવ્યો હતો
WatchGujarat. રવિવારે ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગે મહત્વનો ઓર્ડર કર્યો છે. જે મુજબ સીએમ ભુપેન્દ્ર પટેલના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે કે. કૈલાસનાથન ફરજ બજાવશે. નોંધનિય છે કે, કૈલાસનાથન નિવૃત્તિ બાદ લાંબા વર્ષોથી CMOમાં સેવા આપે છે. સુત્રના જણાવ્યા પ્રમાણે કે. કેલાશનાથનને સાતમી વખત એક્સટેન્શન આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં નવી સરકાર કાર્યરત થતા કૈલાસનાથનને લઈને નવો ઓર્ડર કરાયો છે. મળતી માહિતી પ્રમાણે હવે જ્યાં સુધી નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી કૈલાસનાથન સેવા આપતા રહેશે. રાજ્યમાં સૌથી મહત્વના પદ પર તેમને એક્સટેન્શન આપવામાં આવતા હવે તેઓ જોડાશે.
કે. કૈલાસનાથનને છ વખત એક્સટેન્શન અપાયું
1) ડિસેમ્બર 2013 થી 2014
2) ડિસેમ્બર 2014 થી 2015
3) ડિસેમ્બર 2015થી 2016
4) 2016થી 2017
5) 2017થી 2019
6) 2019થી 2021
7)2021થી શરૂ
1979 બેચના ગુજરાત કેડરના IAS કે. કૈલાસનાથન 2013માં 33 વર્ષની સેવા બાદ સેવા નિવૃત થયા હતા. પરંતુ 2013 બાદ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ CMO( મુખ્યમંત્રી ઓફિસ)માં કૈલાસનાથન માટે એક નવો હોદ્દો ઉભો કરી CMOમાં મુખ્ય અગ્ર સચિવ બનાવ્યા. ત્યારથી લઈ આજ સુધી આજ પદ પર કે. કૈલાશનાથન સેવા આપી રહ્યા છે.