ભાજપમાંથી સસ્પેન્ડ કરેલા નેતા કેશરભાઈ ચૌધરીનો બનાસ બેન્કની ચૂંટણીમાં વિજય થયો
ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવતાં ચાર દિવસ પહેલાં જ સી.આર. પાટીલે તેમને સસ્પેન્ડ કર્યા હતા
બનાસકાંઠાની સહકારી બનાસ બેન્ક જિલ્લાની એક મોટી સંસ્થા ગણાય છે
વડગામ ખાતે બેઠક ઉપર બનાસ બેન્કની ચૂંટણી યોજાઈ હતી, 70 મતદારોએ આ ચૂંટણીમાં મતદાન કર્યું
WatchGujarat. બનાસકાંઠાની સહકારી બનાસ બેન્ક જિલ્લાની એક મોટી સંસ્થા ગણાય છે. જ્યા વડગામ ખાતે બેઠક ઉપર બનાસ બેન્કની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા ચૌધરીએ આ ચૂંટણીમાં જીત મેળવી હતી. કેશરભાઈ ચૌધરી ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવતાં ચાર દિવસ પહેલાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેમને સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ સત્વરે કેશરભાઈ ચૌધરીએ તેમની તાકાતનો પરચો પુરવાર કરી દીધો હતો. અને વોટ જીતીને ચૂંટણીમાં વિજેતા પામ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાસ બેન્કની ચૂંટણીમાં 70 મતદારોએ આ ચૂંટણીમાં મતદાન કર્યું હતું. પરંતુ કેશર ભાઈ ચૌધરી તેમજ સામે કેશરભાઈ વાયડા બંનેને 35-35 વોટ મળ્યા હતા. ત્યારે કેશરભાઈ ચૌધરી તેમજ તેમની સામે ઉભા રહેલા વિપક્ષ ઉમેદવાર કેશરભાઈ વાયડાના સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળાતાં કેશરભાઈ ચૌધરીની જીત થઈ છે.
વધુમાં જણાવતા કેશર ચૌધરીને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે 11 નવેમ્બરે સસ્પેન્ડ કર્યા હતા. ગુજરાતના ત્રણ ટોચના આગેવાનોને પક્ષમાંથી પાટીલ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા જેમાના એક ચૌધરી હતા. આ બાબત અંગે લોકોમાં ખળભળાટ વ્યાપી ગયો હતો. જેમાં બનાસ બેન્કની ચૂંટણીને મામલે ભાજપના ત્રણ દિગ્ગજ આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા. પાટીલે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના ઉપાઘ્યક્ષ તેજાભાઈ પટેલ ઉપરાંત વડગામ માર્કેટ યાર્ડ ચેરમેન કેશર ચૌધરી અને દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ નટુ ચૌધરી પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. ભાજપનો મેન્ડેડ હોવા છતાં કેશર ચૌધરીએ પોતાની ઉમેદવારી ચાલુ રાખતા આ ત્રણેય નેતાને સસ્પેન્ડ કરાયા હતા. ભાજપના દિગ્ગજ આગેવાનો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાતાં રાજકીય ભૂકંપ મચી ગયો છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભારતીય જનતા પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેમાના કેસર ચૌધરી સહીત ત્રણ નેતાઓ હતા. બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકની સભ્યોની ચૂટણીમાં ભારતીય જનતા પક્ષ દ્વારા નિશ્ચિત થયેલાં નામો મુદ્દે તેજાભાઈએ બળવો કર્યો હતો. ભારતીય જનતા પક્ષના સતાવાર ઉમેદવાર સામે ઉમેદવારી ચાલુ રાખી હતી. આ ઉપરાંત બેંકની ચૂટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હતી તેથી પાટીલે શિસ્તભંગના પગલાંરૂપે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.
- ભાજપમાંથી સસ્પેન્ડ કરેલા નેતા કેશરભાઈ ચૌધરીનો બનાસ બેન્કની ચૂંટણીમાં વિજય થયો
- ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવતાં ચાર દિવસ પહેલાં જ સી.આર. પાટીલે તેમને સસ્પેન્ડ કર્યા હતા
- બનાસકાંઠાની સહકારી બનાસ બેન્ક જિલ્લાની એક મોટી સંસ્થા ગણાય છે
- વડગામ ખાતે બેઠક ઉપર બનાસ બેન્કની ચૂંટણી યોજાઈ હતી, 70 મતદારોએ આ ચૂંટણીમાં મતદાન કર્યું
WatchGujarat. બનાસકાંઠાની સહકારી બનાસ બેન્ક જિલ્લાની એક મોટી સંસ્થા ગણાય છે. જ્યા વડગામ ખાતે બેઠક ઉપર બનાસ બેન્કની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા ચૌધરીએ આ ચૂંટણીમાં જીત મેળવી હતી. કેશરભાઈ ચૌધરી ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવતાં ચાર દિવસ પહેલાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેમને સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ સત્વરે કેશરભાઈ ચૌધરીએ તેમની તાકાતનો પરચો પુરવાર કરી દીધો હતો. અને વોટ જીતીને ચૂંટણીમાં વિજેતા પામ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાસ બેન્કની ચૂંટણીમાં 70 મતદારોએ આ ચૂંટણીમાં મતદાન કર્યું હતું. પરંતુ કેશર ભાઈ ચૌધરી તેમજ સામે કેશરભાઈ વાયડા બંનેને 35-35 વોટ મળ્યા હતા. ત્યારે કેશરભાઈ ચૌધરી તેમજ તેમની સામે ઉભા રહેલા વિપક્ષ ઉમેદવાર કેશરભાઈ વાયડાના સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળાતાં કેશરભાઈ ચૌધરીની જીત થઈ છે.
વધુમાં જણાવતા કેશર ચૌધરીને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે 11 નવેમ્બરે સસ્પેન્ડ કર્યા હતા. ગુજરાતના ત્રણ ટોચના આગેવાનોને પક્ષમાંથી પાટીલ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા જેમાના એક ચૌધરી હતા. આ બાબત અંગે લોકોમાં ખળભળાટ વ્યાપી ગયો હતો. જેમાં બનાસ બેન્કની ચૂંટણીને મામલે ભાજપના ત્રણ દિગ્ગજ આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા. પાટીલે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના ઉપાઘ્યક્ષ તેજાભાઈ પટેલ ઉપરાંત વડગામ માર્કેટ યાર્ડ ચેરમેન કેશર ચૌધરી અને દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ નટુ ચૌધરી પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. ભાજપનો મેન્ડેડ હોવા છતાં કેશર ચૌધરીએ પોતાની ઉમેદવારી ચાલુ રાખતા આ ત્રણેય નેતાને સસ્પેન્ડ કરાયા હતા. ભાજપના દિગ્ગજ આગેવાનો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાતાં રાજકીય ભૂકંપ મચી ગયો છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભારતીય જનતા પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેમાના કેસર ચૌધરી સહીત ત્રણ નેતાઓ હતા. બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકની સભ્યોની ચૂટણીમાં ભારતીય જનતા પક્ષ દ્વારા નિશ્ચિત થયેલાં નામો મુદ્દે તેજાભાઈએ બળવો કર્યો હતો. ભારતીય જનતા પક્ષના સતાવાર ઉમેદવાર સામે ઉમેદવારી ચાલુ રાખી હતી. આ ઉપરાંત બેંકની ચૂટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હતી તેથી પાટીલે શિસ્તભંગના પગલાંરૂપે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.