ખંભાળિયામાં છેલ્લા 100 વર્ષથી આખા ગામની ગાયોને લાડુ વિતરણ કરવામાં આવે છે
આ સેવા કાર્યમાં 500 કિલો ઘઉંનો લોટ, તેલ દબા 10 તથા ગોળ દબા 20થી 25નો ઉપયોગ થાય છે
આ કાર્ય છેલ્લા આઠ દિવસથી ચાલુ છે,અને સક્રાંત સુધી ચાલુ રહેશે
WatchGujarat.બે દિવસ બાદ જ મકરસંક્રાતિનો તહેવાર આવી રહ્યો છે. આ દિવસે દાન પુણ્ય કરવાનુ ખાસ મહત્વ છે. ખાસ કરીને ગાયને દાન કરવાથી પુણ્ય મળે છે. આજે પણ ગામડાઓમાં નાના બાળકોને ચોકલેટ,લાડુ,શેરડી આપવામાં આવે છે જ્યારે ગાયને ચારો અને લાડુ આપવામાં આવે છે. આ 100 વર્ષ જુની પરંપરા છે. આજે પણ આ પરંપરા ચાલતી આવે છે. પરંતુ દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળીયામાં મકરસંક્રાતિના દિવસે 500 કિલો લોટના લાડુ બનાવી ગામની ગાયોને લાડુ ખવડાવાય છે.
મળતી માહિતી મુજબ ખંભાળિયામાં છેલ્લા 100 વર્ષથી આખા ગામની ગાયોને લાડુ વિતરણ કરવામાં આવે છે. આ લાડુ ઘઉંનો લોટ, તેલ, તલ અને ગોળ નાખી બનાવવામાં આવે છે. આ ગૌ સેવાના કાર્યમાં ખંભાળીયા ગામમાંથી તમામ વેપારી ભાઈઓ ઓઇલ મિલ તથા રેકડીવારા તમામ નાના મોટા ભાઈઓનો તન મન ધનથી સાથ સહકાર મળે છે. આ સેવા કાર્યમાં 500 કિલો ઘઉંનો લોટ, તેલ દબા 10 તથા ગોળ દબા 20થી 25નો ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્ય છેલ્લા આઠ દિવસથી ચાલુ છે. અને સક્રાંત સુધી ચાલુ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મકરસંક્રાતિના દિવસથી ધનારક(ધર્નુમાસ) પૂર્ણ થાય છે. એટલે કે, તે પછીના દિવસોમાં શુભ કાર્ય કરી શકાય છે. અલગ અલગ સંસ્કૃતિના લોકો આ દિવસની ઉજવણી અલગ રીતે કરતાં હોય છે. હિન્દુ સંસ્કૃતિમાં મકરસંક્રાતિના દિવસે દાન પુણ્ય કર્મ કરવાનો મહિમા છે. ગાયને ઘાસચારો ખવડાવવો, અન્ન દાન, વસ્ત્રનુ દાન અને ધનદાન પણ કરાય છે. માછલીઓને ભોજન ખવડાવાય છે, તેમજ આ દિવસે ખીચડો ખાવનું પણ મહત્વ છે, જે પચવામાં ખૂબ હલકો છે, જેથી ઉત્તરાયણના દિવસે ખીચડો ખવાય છે. અંતમાં મકરસંક્રાતિનો દિવસ દાન પુણ્યનો દિવસ છે. જેથી તમે દાન કરી શકો છો.
ખંભાળિયામાં છેલ્લા 100 વર્ષથી આખા ગામની ગાયોને લાડુ વિતરણ કરવામાં આવે છે
આ સેવા કાર્યમાં 500 કિલો ઘઉંનો લોટ, તેલ દબા 10 તથા ગોળ દબા 20થી 25નો ઉપયોગ થાય છે
આ કાર્ય છેલ્લા આઠ દિવસથી ચાલુ છે,અને સક્રાંત સુધી ચાલુ રહેશે
WatchGujarat.બે દિવસ બાદ જ મકરસંક્રાતિનો તહેવાર આવી રહ્યો છે. આ દિવસે દાન પુણ્ય કરવાનુ ખાસ મહત્વ છે. ખાસ કરીને ગાયને દાન કરવાથી પુણ્ય મળે છે. આજે પણ ગામડાઓમાં નાના બાળકોને ચોકલેટ,લાડુ,શેરડી આપવામાં આવે છે જ્યારે ગાયને ચારો અને લાડુ આપવામાં આવે છે. આ 100 વર્ષ જુની પરંપરા છે. આજે પણ આ પરંપરા ચાલતી આવે છે. પરંતુ દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળીયામાં મકરસંક્રાતિના દિવસે 500 કિલો લોટના લાડુ બનાવી ગામની ગાયોને લાડુ ખવડાવાય છે.
મળતી માહિતી મુજબ ખંભાળિયામાં છેલ્લા 100 વર્ષથી આખા ગામની ગાયોને લાડુ વિતરણ કરવામાં આવે છે. આ લાડુ ઘઉંનો લોટ, તેલ, તલ અને ગોળ નાખી બનાવવામાં આવે છે. આ ગૌ સેવાના કાર્યમાં ખંભાળીયા ગામમાંથી તમામ વેપારી ભાઈઓ ઓઇલ મિલ તથા રેકડીવારા તમામ નાના મોટા ભાઈઓનો તન મન ધનથી સાથ સહકાર મળે છે. આ સેવા કાર્યમાં 500 કિલો ઘઉંનો લોટ, તેલ દબા 10 તથા ગોળ દબા 20થી 25નો ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્ય છેલ્લા આઠ દિવસથી ચાલુ છે. અને સક્રાંત સુધી ચાલુ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મકરસંક્રાતિના દિવસથી ધનારક(ધર્નુમાસ) પૂર્ણ થાય છે. એટલે કે, તે પછીના દિવસોમાં શુભ કાર્ય કરી શકાય છે. અલગ અલગ સંસ્કૃતિના લોકો આ દિવસની ઉજવણી અલગ રીતે કરતાં હોય છે. હિન્દુ સંસ્કૃતિમાં મકરસંક્રાતિના દિવસે દાન પુણ્ય કર્મ કરવાનો મહિમા છે. ગાયને ઘાસચારો ખવડાવવો, અન્ન દાન, વસ્ત્રનુ દાન અને ધનદાન પણ કરાય છે. માછલીઓને ભોજન ખવડાવાય છે, તેમજ આ દિવસે ખીચડો ખાવનું પણ મહત્વ છે, જે પચવામાં ખૂબ હલકો છે, જેથી ઉત્તરાયણના દિવસે ખીચડો ખવાય છે. અંતમાં મકરસંક્રાતિનો દિવસ દાન પુણ્યનો દિવસ છે. જેથી તમે દાન કરી શકો છો.