watchgujarat: પાકિસ્તાનની સંસદે 'આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (રિવ્યુ એન્ડ રિવિન્સિડેશન) બિલ, 2020'ને મંજૂરી આપી દીધી છે. આનાથી કુલભૂષણ જાધવ દેશની ઉચ્ચ અદાલતોમાં તેમની સજા સામે અપીલ કરી શકશે.
કાયદો બન્યા બાદ હવે કુલભૂષણ જાધવને ICJ જેવી હાઈકોર્ટમાં ફાંસીની સજા સામે અપીલ કરવાની સ્વતંત્રતા મળશે. પાકિસ્તાનની સૈન્ય અદાલતે જાધવને ફાંસીની સજા સંભળાવી હતી. આ બિલ પાકિસ્તાનના કાયદા અને ન્યાય પ્રધાન ફરોધ નસીમે રજૂ કર્યું હતું.
ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવની મોતની સજાના કેસની સુનાવણી કરી રહેલ ઇસ્લામાબાદ હાઇકોર્ટે ભારતને કાયદાકીય કાર્યવાહીમાં સહયોગ કરવા જણાવ્યું છે. આ વર્ષે 5 મેના રોજ, કોર્ટે પાકિસ્તાનના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જાધવ માટે વકીલની નિમણૂક કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી શરૂ કરી હતી.
શું છે મામલો?
ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવ (50)ને પાકિસ્તાનની લશ્કરી અદાલતે એપ્રિલ 2017માં જાસૂસી અને આતંકવાદ ફેલાવવા બદલ મૃત્યુદંડની સજા ફટકારી હતી. ભારતે તેની સામે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં અપીલ કરી હતી.
ભારતનું કહેવું છે કે જાધવ નૌકાદળમાંથી નિવૃત્તિ લીધા પછી વ્યાપાર કરે છે અને જ્યારે તે આ સંબંધમાં ઈરાન ગયો હતો ત્યારે તેને ખોટા આરોપમાં ફસાવવા માટે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી દ્વારા તેનું ત્યાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. ભારતે પાકિસ્તાન પર જાધવને રાજનયિક પહોંચ (કોન્સ્યુલર એક્સેસ) ન આપવાનો આરોપ પણ લગાવ્યો હતો.
ICJએ જુલાઈ 2019માં પાકિસ્તાનને જાધવ કેસની પુનઃ સમીક્ષા કરવા, તેને લશ્કરી અદાલત સામે અપીલ કરવાની તક આપવા અને તેમાં ભારતને રાજનયિક પહોંચ (કોન્સ્યુલર એક્સેસ) આપવાનો આદેશ આપ્યો હતો.
watchgujarat: પાકિસ્તાનની સંસદે 'આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (રિવ્યુ એન્ડ રિવિન્સિડેશન) બિલ, 2020'ને મંજૂરી આપી દીધી છે. આનાથી કુલભૂષણ જાધવ દેશની ઉચ્ચ અદાલતોમાં તેમની સજા સામે અપીલ કરી શકશે.
કાયદો બન્યા બાદ હવે કુલભૂષણ જાધવને ICJ જેવી હાઈકોર્ટમાં ફાંસીની સજા સામે અપીલ કરવાની સ્વતંત્રતા મળશે. પાકિસ્તાનની સૈન્ય અદાલતે જાધવને ફાંસીની સજા સંભળાવી હતી. આ બિલ પાકિસ્તાનના કાયદા અને ન્યાય પ્રધાન ફરોધ નસીમે રજૂ કર્યું હતું.
ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવની મોતની સજાના કેસની સુનાવણી કરી રહેલ ઇસ્લામાબાદ હાઇકોર્ટે ભારતને કાયદાકીય કાર્યવાહીમાં સહયોગ કરવા જણાવ્યું છે. આ વર્ષે 5 મેના રોજ, કોર્ટે પાકિસ્તાનના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જાધવ માટે વકીલની નિમણૂક કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી શરૂ કરી હતી.
શું છે મામલો?
ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવ (50)ને પાકિસ્તાનની લશ્કરી અદાલતે એપ્રિલ 2017માં જાસૂસી અને આતંકવાદ ફેલાવવા બદલ મૃત્યુદંડની સજા ફટકારી હતી. ભારતે તેની સામે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં અપીલ કરી હતી.
ભારતનું કહેવું છે કે જાધવ નૌકાદળમાંથી નિવૃત્તિ લીધા પછી વ્યાપાર કરે છે અને જ્યારે તે આ સંબંધમાં ઈરાન ગયો હતો ત્યારે તેને ખોટા આરોપમાં ફસાવવા માટે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી દ્વારા તેનું ત્યાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. ભારતે પાકિસ્તાન પર જાધવને રાજનયિક પહોંચ (કોન્સ્યુલર એક્સેસ) ન આપવાનો આરોપ પણ લગાવ્યો હતો.
ICJએ જુલાઈ 2019માં પાકિસ્તાનને જાધવ કેસની પુનઃ સમીક્ષા કરવા, તેને લશ્કરી અદાલત સામે અપીલ કરવાની તક આપવા અને તેમાં ભારતને રાજનયિક પહોંચ (કોન્સ્યુલર એક્સેસ) આપવાનો આદેશ આપ્યો હતો.