ફરી એકવાર દેશ અને દુનિયાના વૈજ્ઞાનિકો ગુજરાતમાં માતાના મઢ વિસ્તારમાં આવશે
7.2 કરોડ વર્ષ પહેલાં અહીં ધરબાયેલ જેરોસાઇટનું સંશોધન કરશ
નાસા,ઇસરો તેમજ વિવિધ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ફ્રેબુઆરી-2022માં સંશોધન પ્રક્રિયા હાથ ધરશે
Watchgujrat. ફરી એક વખત ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં ગુંજતુ થયુ છે અને આ વખતે તો દુનિયાનાં વૈજ્ઞાનિકો કચ્છમાં દોડી આવશે.અહીં એવી વસ્તુ મળી આવી છે કે વૈજ્ઞાનિકો સંશોધન કરવા માટે કચ્છ માતાનાં મઢ વિસ્તારમાં આવી પહોંચશે.જી.હા વૈશ્વિક મહામારી કોરોના બાદ ફરી એકવાર મંગળ ગ્રહ જેવી સપાટી પર સંશોધન થશે. ફરી એકવાર દેશ અને દુનિયાના વૈજ્ઞાનિકોની ટીમ ગુજરાતના આ પ્રદેશની મુલાકાત લેશે અને તેના ભૌગોલિક વિસ્તાર પર સંશોધન કરશે. કચ્છના માતાના મઢ વિસ્તારમાં મંગળગ્રહ જેવી સપાટી જોવા મળી છે.
વૈશ્વિક સ્તરે માર્સ મિશન પર ચાલતા પ્રોજેક્ટમાં ખુબ જ મહત્વપૂર્ણ એવું મંગળગ્રહની સપાટી પર મળતું જેરોસાઇડ નામનું ખનીજ માતાના મઢમાં પણ મળી આવ્યું હતું. પ્રાથમિક સંશોધનમાં સાબિત થયું છે કે, માતાના મઢની જમીન મંગળ ગ્રહ જેવી જ છે. જેના કારણે દેશની અનેક નામાંકિત સંસ્થાઓના વૈજ્ઞાનિકો વધુ સંશોધન કરવા કચ્છ આવ્યા હતા પરંતુ કોરોના મહામારીના કારણે તે સંશોધન ન થઈ શક્યું. હવે લોકડાઉન ખુલ્યા બાદ આગામી ફેબ્રુઆરીમાં નાસા,ઇસરો તેમજ અનેક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ફરી એકવાર કચ્છ આવશે અને સંશોધન માટે વર્કશોપ યોજશે.
આ સંશોધનમાં તેઓ દ્વારા મંગળગ્રહ પર પાણીનું અસ્તિત્વ અને સદીઓ પહેલા વાતાવરણમાં ફેરફારને કારણે મંગળ ગ્રહ પર શું બદલાવ થયા તેના પર અભ્યાસ કરવામાં આવશે.નાસાના વૈજ્ઞાનિકો 2019માં અહીં આવ્યા હતા પરંતુ સંશોધન આગળ વધી શક્યું ન હતું.
વૈજ્ઞાનિકોનો દાવો છે કે, બેસાલ્ટ ટેરેનમાં પૃથ્વી પર માતાનો મઢ એક માત્ર એવું સ્થળ છે જ્યાં જેરોસાઇટ મળી આવ્યું છે. આઈ.આઈ.ટી ખડગપુર, સ્પેશ એપ્લિકેશન રિસર્ચ સેન્ટર (ઈસરો) અને નેશનલ જિયોફિજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદ આ વિષય પર સંયુક્ત અભ્યાસ હાથ ધરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2014-15 દરમિયાન નાસા, ઇસરોના તથા ભારતની કેટલીક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા માતાના મઢ ખાતે એક વર્કશોપ યોજવામાં આવ્યો હતો.અને આ જમીન અંગે તો પહેલેથી જ નાસા દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું.અને તપાસ કરવામાં આવી હતી કે મંગળ ગ્રહ પર જેવી જમીન છે તેવી જમીન પૂરા વિશ્વમાં બીજે ક્યાં ક્યાં છે ત્યારે ભારતમાં મહારાષ્ટ્ર, લદાખ અને કચ્છના દ્રષ્યો મંગળ ગ્રહની ભૃપૃસ્ટ જમીન સાથે મેળ ખાતા હોવાનું જણાયું હતું.
ફરી એકવાર દેશ અને દુનિયાના વૈજ્ઞાનિકો ગુજરાતમાં માતાના મઢ વિસ્તારમાં આવશે
7.2 કરોડ વર્ષ પહેલાં અહીં ધરબાયેલ જેરોસાઇટનું સંશોધન કરશ
નાસા,ઇસરો તેમજ વિવિધ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ફ્રેબુઆરી-2022માં સંશોધન પ્રક્રિયા હાથ ધરશે
Watchgujrat. ફરી એક વખત ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં ગુંજતુ થયુ છે અને આ વખતે તો દુનિયાનાં વૈજ્ઞાનિકો કચ્છમાં દોડી આવશે.અહીં એવી વસ્તુ મળી આવી છે કે વૈજ્ઞાનિકો સંશોધન કરવા માટે કચ્છ માતાનાં મઢ વિસ્તારમાં આવી પહોંચશે.જી.હા વૈશ્વિક મહામારી કોરોના બાદ ફરી એકવાર મંગળ ગ્રહ જેવી સપાટી પર સંશોધન થશે. ફરી એકવાર દેશ અને દુનિયાના વૈજ્ઞાનિકોની ટીમ ગુજરાતના આ પ્રદેશની મુલાકાત લેશે અને તેના ભૌગોલિક વિસ્તાર પર સંશોધન કરશે. કચ્છના માતાના મઢ વિસ્તારમાં મંગળગ્રહ જેવી સપાટી જોવા મળી છે.
વૈશ્વિક સ્તરે માર્સ મિશન પર ચાલતા પ્રોજેક્ટમાં ખુબ જ મહત્વપૂર્ણ એવું મંગળગ્રહની સપાટી પર મળતું જેરોસાઇડ નામનું ખનીજ માતાના મઢમાં પણ મળી આવ્યું હતું. પ્રાથમિક સંશોધનમાં સાબિત થયું છે કે, માતાના મઢની જમીન મંગળ ગ્રહ જેવી જ છે. જેના કારણે દેશની અનેક નામાંકિત સંસ્થાઓના વૈજ્ઞાનિકો વધુ સંશોધન કરવા કચ્છ આવ્યા હતા પરંતુ કોરોના મહામારીના કારણે તે સંશોધન ન થઈ શક્યું. હવે લોકડાઉન ખુલ્યા બાદ આગામી ફેબ્રુઆરીમાં નાસા,ઇસરો તેમજ અનેક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ફરી એકવાર કચ્છ આવશે અને સંશોધન માટે વર્કશોપ યોજશે.
આ સંશોધનમાં તેઓ દ્વારા મંગળગ્રહ પર પાણીનું અસ્તિત્વ અને સદીઓ પહેલા વાતાવરણમાં ફેરફારને કારણે મંગળ ગ્રહ પર શું બદલાવ થયા તેના પર અભ્યાસ કરવામાં આવશે.નાસાના વૈજ્ઞાનિકો 2019માં અહીં આવ્યા હતા પરંતુ સંશોધન આગળ વધી શક્યું ન હતું.
વૈજ્ઞાનિકોનો દાવો છે કે, બેસાલ્ટ ટેરેનમાં પૃથ્વી પર માતાનો મઢ એક માત્ર એવું સ્થળ છે જ્યાં જેરોસાઇટ મળી આવ્યું છે. આઈ.આઈ.ટી ખડગપુર, સ્પેશ એપ્લિકેશન રિસર્ચ સેન્ટર (ઈસરો) અને નેશનલ જિયોફિજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદ આ વિષય પર સંયુક્ત અભ્યાસ હાથ ધરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2014-15 દરમિયાન નાસા, ઇસરોના તથા ભારતની કેટલીક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા માતાના મઢ ખાતે એક વર્કશોપ યોજવામાં આવ્યો હતો.અને આ જમીન અંગે તો પહેલેથી જ નાસા દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું.અને તપાસ કરવામાં આવી હતી કે મંગળ ગ્રહ પર જેવી જમીન છે તેવી જમીન પૂરા વિશ્વમાં બીજે ક્યાં ક્યાં છે ત્યારે ભારતમાં મહારાષ્ટ્ર, લદાખ અને કચ્છના દ્રષ્યો મંગળ ગ્રહની ભૃપૃસ્ટ જમીન સાથે મેળ ખાતા હોવાનું જણાયું હતું.