WatchGujarat. સૌરાષ્ટ્રમાં સોશ્યલ મીડીયાનું દૂષણ દિન-પ્રતિદિન વધતુ રહ્યું છે. આ સોશ્યલ મીડીયાના દુરૂપયોગને લીધે માનસિક તનાવનું પ્રમાણ વધતુ જાય છે. તાજેતરમાં યુનિ.ના મનોવિજ્ઞાાન ભવન દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં જે ચોકાવનારી વિગતો બહાર આવી છે. તે દર્શાવે છે કે સોશ્યલ મીડીયાનાં દૂષણને કારણે અફવા ફેલાવવાનું કામ સહજ બની ગયું છે. 81 ટકા લોકોને સોશ્યલ મીડીયાનાં ઉપયોગથી જુઠુ બોલાવાથી કોઈ પ્રકારનું દુ:ખ થતુ નથી. વિદ્યાર્થીઓમાં સોશ્યલ મીડીયાના વધતા પ્રભાવને લીધે માતા પિતા અને શિક્ષકો પ્રત્યેના આદરમાં ખોટ આવી છે.
આ સર્વેમાં નીચે મુજબના પ્રશ્નોના જવાબો મળ્યા હતા.
તમારા મતે સોશિયલ મિડિયા એ જુઠાણું ફેલાવવાનું સાધન છે?
જવાબ- 51.30 % લોકો માને છે કે સોશિયલ મિડિયાજુઠાણું ફેલાવવાનું સાધન છે, જયારે 48.70 % લોકો સોશિયલ મિડિયાનેજુઠાણું ફેલાવવાનું સાધન માનતા નથી.
શું સોશિયલ મિડિયામાં આપ ખોટું બોલવાની વૃત્તિ પર રોક લગાવી શકો છો?
જવાબ- 71.50 % લોકો માને છે કે સોશિયલ મિડિયામાં ખોટું બોલવાની વૃત્તિ પર રોક લગાવી શકાતી નથી જયારે 28.50 % માને છે કે સોશિયલ મિડિયામાં ખોટું બોલવાની વૃત્તિ પર રોક લગાવી શકાય છે.
અન્યના સારા લખાણને કારણે તમે વધારી ચઢાવીને સોશિયલ મિડિયા પર મૂકો છો?
જવાબ- 87.20 % અન્યના સારા લખાણને વધારી ચઢાવીને સોશિયલ મિડિયા પર મુકતા હોઈએ છીએ એવો સ્વીકાર કર્યો જયારે 12.80% એ અસ્વીકાર કર્યો..
સોશિયલ મીડીયાના દુરૂપયોગથી જુઠુ બોલવાનું દૂષણ વધ્યું : સરવેનું તારણ
જવાબ- 89.70 % લોકો સોશિયલ મિડિયામાં લોક ચાહના અકબંધ રહે તે માટે રાયનો પર્વત કરે છે એટલે કે નાની વાતમાં મસાલો ઉમેરીને સ્ટોરી બનાવે છે જયારે 10.30 % સોશિયલ મિડિયામાં લોક ચાહના અકબંધ રહે તે માટે રાયનો પર્વત કરતાં નથી.
સોશિયલ મિડિયામાં ફેમસ થવા માટે તમે નાના મોટા પેતરા કરો છો?
જવાબ- 17.90 % સોશિયલ મિડિયામાં ફેમસ થવા માટે નાના મોટા પેતરા કરતાં નથી જયારે 82.10 % સોશિયલ મિડિયામાં ફેમસ થવા માટે નાના મોટા પેતરા કરતા હોય છે.
તમે સોશિયલ મિડિયામાં કઈક જોતા હોવ અને કોઈ વડિલ પૂછે કે શું જોવે છે? તો સાચું કહો છો?
જવાબ- 12.80 % લોકો સોશિયલ મિડિયામાં કઈક જોતા હોય અને કોઈ વડિલ પૂછે કે શું જોવે છે? તો તેને સાચું કહે છે , જયારે 87.20 % સાચું જણાવતા નથી અને મિનિમાઈઝ કરીને અલગ ફોલ્ડર દેખાડતા હોય છે.
માતાપિતા અને શિક્ષક પાસે સોશિયલ મિડિયાની ગતિવિધિથી જુઠું બોલો છો?
જવાબ- 10.30 % લોકો માતાપિતા અને શિક્ષક પાસે સોશિયલ મિડિયાની ગતિવિધિથી જુઠું બોલતા નથી , જયારે 89.70 % લોકો માતાપિતા અને શિક્ષક પાસે સોશિયલ મિડિયાની ગતિવિધિથી જુઠું બોલતા અચકાતા નથી..
સોશિયલ મિડિયાના ઉપયોગમાં જુઠું બોલવાથી તમને કોઈ રંજ છે?
જવાબ- 19 % ને સોશિયલ મિડિયાના ઉપયોગમાં જુઠું બોલવાથી કોઈ રંજ કે દુઃખ થાય છે , જયારે 81 % ને સોશિયલ મિડિયાના ઉપયોગમાં જુઠું બોલવાથી કોઈ રંજ કે દુઃખ થતું નથી..
સોશિયલ મિડિયા વિશે મંતવ્યો...
અપરાધ કરવામાં સોશિયલ મીડિયા ઉપયોગી થાય છે
સોશિયલ મીડિયા ને સારા કામ માટે વાપરવું બેહતર છે
ભારત દેશમાં સોશિયલ મીડિયા માત્ર અફવાઓ અને ડર ફેલાવવા માટેનુ એકમાત્ર સાધન રહી ગયુ છે, "ये मैसेज 11 लोगों को भेजो", આવા મેસેજ ના કારણે માણસો નું મન ભટકી જતું હોય છે, ખરા અર્થમાં તો આ સોશિયલ મીડિયા પર ઘણા નિયંત્રણો લાદવા જોઈએ.
સોશિયલ મીડિયા એક ઉપયોગી માધ્યમ સાબિત થઈ શકે.
સોસિઅલ મીડિયા થી ઘણા કાર્યો આશાનીથી થઇ જાય છે, પણ જે માણસ માણસ વચ્ચે ના સબંધ ઓનલાઇન થઇ ગયા છે એ આપણાં માટે સારી બાબત ના કહેવાય.
સાચી રીતે ઉપયોગ કરીએ તો સોશિયલ મિડિયા ખરાબ વસ્તુ નથી. પણ માતા પિતાએ પોતાના બાળકનું ઘ્યાન રાખવું જોઈએ કે તે શું જોઈ રહ્યો છે.
સોસિઅલ મીડીયા એ એક માધ્યમ છે. તેમાં સારુ ખરાબ બધુ હોવું સ્વભાવિક છે. તમારા પર આધારીત છે કે તમે તેમાંથી શું મેળવો છો.
WatchGujarat. સૌરાષ્ટ્રમાં સોશ્યલ મીડીયાનું દૂષણ દિન-પ્રતિદિન વધતુ રહ્યું છે. આ સોશ્યલ મીડીયાના દુરૂપયોગને લીધે માનસિક તનાવનું પ્રમાણ વધતુ જાય છે. તાજેતરમાં યુનિ.ના મનોવિજ્ઞાાન ભવન દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં જે ચોકાવનારી વિગતો બહાર આવી છે. તે દર્શાવે છે કે સોશ્યલ મીડીયાનાં દૂષણને કારણે અફવા ફેલાવવાનું કામ સહજ બની ગયું છે. 81 ટકા લોકોને સોશ્યલ મીડીયાનાં ઉપયોગથી જુઠુ બોલાવાથી કોઈ પ્રકારનું દુ:ખ થતુ નથી. વિદ્યાર્થીઓમાં સોશ્યલ મીડીયાના વધતા પ્રભાવને લીધે માતા પિતા અને શિક્ષકો પ્રત્યેના આદરમાં ખોટ આવી છે.
આ સર્વેમાં નીચે મુજબના પ્રશ્નોના જવાબો મળ્યા હતા.
તમારા મતે સોશિયલ મિડિયા એ જુઠાણું ફેલાવવાનું સાધન છે?
જવાબ- 51.30 % લોકો માને છે કે સોશિયલ મિડિયાજુઠાણું ફેલાવવાનું સાધન છે, જયારે 48.70 % લોકો સોશિયલ મિડિયાનેજુઠાણું ફેલાવવાનું સાધન માનતા નથી.
જવાબ- 71.50 % લોકો માને છે કે સોશિયલ મિડિયામાં ખોટું બોલવાની વૃત્તિ પર રોક લગાવી શકાતી નથી જયારે 28.50 % માને છે કે સોશિયલ મિડિયામાં ખોટું બોલવાની વૃત્તિ પર રોક લગાવી શકાય છે.
અન્યના સારા લખાણને કારણે તમે વધારી ચઢાવીને સોશિયલ મિડિયા પર મૂકો છો?
જવાબ- 87.20 % અન્યના સારા લખાણને વધારી ચઢાવીને સોશિયલ મિડિયા પર મુકતા હોઈએ છીએ એવો સ્વીકાર કર્યો જયારે 12.80% એ અસ્વીકાર કર્યો..
જવાબ- 89.70 % લોકો સોશિયલ મિડિયામાં લોક ચાહના અકબંધ રહે તે માટે રાયનો પર્વત કરે છે એટલે કે નાની વાતમાં મસાલો ઉમેરીને સ્ટોરી બનાવે છે જયારે 10.30 % સોશિયલ મિડિયામાં લોક ચાહના અકબંધ રહે તે માટે રાયનો પર્વત કરતાં નથી.
સોશિયલ મિડિયામાં ફેમસ થવા માટે તમે નાના મોટા પેતરા કરો છો?
જવાબ- 17.90 % સોશિયલ મિડિયામાં ફેમસ થવા માટે નાના મોટા પેતરા કરતાં નથી જયારે 82.10 % સોશિયલ મિડિયામાં ફેમસ થવા માટે નાના મોટા પેતરા કરતા હોય છે.
તમે સોશિયલ મિડિયામાં કઈક જોતા હોવ અને કોઈ વડિલ પૂછે કે શું જોવે છે? તો સાચું કહો છો?
જવાબ- 12.80 % લોકો સોશિયલ મિડિયામાં કઈક જોતા હોય અને કોઈ વડિલ પૂછે કે શું જોવે છે? તો તેને સાચું કહે છે , જયારે 87.20 % સાચું જણાવતા નથી અને મિનિમાઈઝ કરીને અલગ ફોલ્ડર દેખાડતા હોય છે.
માતાપિતા અને શિક્ષક પાસે સોશિયલ મિડિયાની ગતિવિધિથી જુઠું બોલો છો?
જવાબ- 10.30 % લોકો માતાપિતા અને શિક્ષક પાસે સોશિયલ મિડિયાની ગતિવિધિથી જુઠું બોલતા નથી , જયારે 89.70 % લોકો માતાપિતા અને શિક્ષક પાસે સોશિયલ મિડિયાની ગતિવિધિથી જુઠું બોલતા અચકાતા નથી..
સોશિયલ મિડિયાના ઉપયોગમાં જુઠું બોલવાથી તમને કોઈ રંજ છે?
જવાબ- 19 % ને સોશિયલ મિડિયાના ઉપયોગમાં જુઠું બોલવાથી કોઈ રંજ કે દુઃખ થાય છે , જયારે 81 % ને સોશિયલ મિડિયાના ઉપયોગમાં જુઠું બોલવાથી કોઈ રંજ કે દુઃખ થતું નથી..
સોશિયલ મિડિયા વિશે મંતવ્યો...
અપરાધ કરવામાં સોશિયલ મીડિયા ઉપયોગી થાય છે
સોશિયલ મીડિયા ને સારા કામ માટે વાપરવું બેહતર છે
ભારત દેશમાં સોશિયલ મીડિયા માત્ર અફવાઓ અને ડર ફેલાવવા માટેનુ એકમાત્ર સાધન રહી ગયુ છે, "ये मैसेज 11 लोगों को भेजो", આવા મેસેજ ના કારણે માણસો નું મન ભટકી જતું હોય છે, ખરા અર્થમાં તો આ સોશિયલ મીડિયા પર ઘણા નિયંત્રણો લાદવા જોઈએ.
સોશિયલ મીડિયા એક ઉપયોગી માધ્યમ સાબિત થઈ શકે.
સોસિઅલ મીડિયા થી ઘણા કાર્યો આશાનીથી થઇ જાય છે, પણ જે માણસ માણસ વચ્ચે ના સબંધ ઓનલાઇન થઇ ગયા છે એ આપણાં માટે સારી બાબત ના કહેવાય.
સાચી રીતે ઉપયોગ કરીએ તો સોશિયલ મિડિયા ખરાબ વસ્તુ નથી. પણ માતા પિતાએ પોતાના બાળકનું ઘ્યાન રાખવું જોઈએ કે તે શું જોઈ રહ્યો છે.
સોસિઅલ મીડીયા એ એક માધ્યમ છે. તેમાં સારુ ખરાબ બધુ હોવું સ્વભાવિક છે. તમારા પર આધારીત છે કે તમે તેમાંથી શું મેળવો છો.