અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ લાગેલી ભીષણ આગ બાદ રાજ્યની બીજી મોટી આગ
કંપની તરફથી સતાવાર કોઈપણ માહિતી આપવામાં આવી નથી
ટાટા કંપનીનાં નોર્ધન યાર્ડમાં રાખેલા વેસ્ટેજ સામાનમાં કોઈ કારણોસર આ આગ ભભૂકી ઉઠી
મીઠાપુર : અમદાવાદના કાપડના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ લાગેલી ભીષણ આગમાં 12-12 વ્યક્તિઓનાં મૃત્યુની શાહી સુકાઈ નથી. ત્યાં આજરોજ મીઠાપુરની મહાકાય "Tata Chemicals Limited" માં કોઈપણ કારણસર આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા છેક દસ કિલોમીટરથી આકાશ તરફ સતત આગળ વધતા ધુમાડાના ગોટેગોટા નજરે પડી રહ્યા છે. જો કે કંપની તરફથી સતાવાર કોઈપણ માહિતી આપવામાં આવી નથી.
https://youtu.be/vsTb_6Hb9Og
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટાટા કંપનીનાં નોર્ધન યાર્ડમાં રાખેલા વેસ્ટેજ સામાનમાં કોઈ કારણોસર આ આગ ભભૂકી ઉઠી છે. અને જોતજોતામાં આગ વિકરાળ બનતા કંપનીનાં અધિકારીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઇ છે. હાલ કંપનીના ફાયર ફાયટરો દ્વારા આગ પર નિયંત્રણ મેળવવા પ્રયાસો શરૂ કરાયા છે. આગની આ ગંભીર ઘટના અંગે કંપની તરફથી કોઈ જવાબ કે કારણ આપવામાં આવ્યું નથી.
અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ લાગેલી ભીષણ આગ બાદ રાજ્યની બીજી મોટી આગ
કંપની તરફથી સતાવાર કોઈપણ માહિતી આપવામાં આવી નથી
ટાટા કંપનીનાં નોર્ધન યાર્ડમાં રાખેલા વેસ્ટેજ સામાનમાં કોઈ કારણોસર આ આગ ભભૂકી ઉઠી
મીઠાપુર : અમદાવાદના કાપડના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ લાગેલી ભીષણ આગમાં 12-12 વ્યક્તિઓનાં મૃત્યુની શાહી સુકાઈ નથી. ત્યાં આજરોજ મીઠાપુરની મહાકાય "Tata Chemicals Limited" માં કોઈપણ કારણસર આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા છેક દસ કિલોમીટરથી આકાશ તરફ સતત આગળ વધતા ધુમાડાના ગોટેગોટા નજરે પડી રહ્યા છે. જો કે કંપની તરફથી સતાવાર કોઈપણ માહિતી આપવામાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટાટા કંપનીનાં નોર્ધન યાર્ડમાં રાખેલા વેસ્ટેજ સામાનમાં કોઈ કારણોસર આ આગ ભભૂકી ઉઠી છે. અને જોતજોતામાં આગ વિકરાળ બનતા કંપનીનાં અધિકારીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઇ છે. હાલ કંપનીના ફાયર ફાયટરો દ્વારા આગ પર નિયંત્રણ મેળવવા પ્રયાસો શરૂ કરાયા છે. આગની આ ગંભીર ઘટના અંગે કંપની તરફથી કોઈ જવાબ કે કારણ આપવામાં આવ્યું નથી.