WatchGujarat. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને BCCI ના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલીએ બુધવારે રાત્રે BCCI ની મોટી જાહેરાત બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં, ઓક્ટોબર-નવેમ્બરમાં UAE અને ઓમાનમાં T-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના માર્ગદર્શક બનવાની બોર્ડની ઓફર સ્વીકારવા માટે એમએસ ધોનીનો આભાર માન્યો હતો.
https://twitter.com/BCCI/status/1435894754768678915?s=20
ગાંગુલીએ જણાવ્યું હતું કે, મહત્વની ઇવેન્ટમાં ધોનીના અનુભવની સંપત્તિનો ઉપયોગ ટીમનો સુધાર કરવા માટે કરવાનો છે. ગાંગુલીએ બીસીસીઆઈના એક ટ્વિટમાં કહ્યું, "ટીમમાં ધોનીનો ઉમેરો ટી 20 માટે તેમના અનુભવનો ઉપયોગ કરવાનો એક માર્ગ છે. બીસીસીઆઈની ટીમને મદદ કરવા માટેની ઓફર સ્વીકારવા બદલ હું ધોનીનો પણ આભાર માનું છું."
અત્રે ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઇના પ્રેસીડેન્ટ જય શાહે ગતરોજ વિડીયો મારફતે પુર્વ કેપ્ટન મહેન્દ્ર સિંગ ધોની ભારતીય ટીમનું મોનીટરીંગ કરશે તે અંગેની જાણ કરી હતી. જેને લઇને મહેન્દ્રસિંગ ધોનીના સમર્થકો અને ટીમ ઇન્ડિયાના સમર્થકો ગેલમાં આવી ગયા હતા. મહેન્દ્રસિંગ ધોનીને કેપ્ટન કુલ તરીકે ઓળખવામાં આવે છે. તેનું ટીમ ઇન્ડિયાના મેન્ટર તરીકે આવવાને કારણે ટીમની આગામી મેચોમાં પરફોર્મન્સ સુધરશે તેવુ માનવામાં આવી રહ્યું છે. ટીમ ઇન્ડિયાના આગામી મેચોમાં પર્ફોર્મન્સ પર સૌની મીટ મંડાયેલી છે.
WatchGujarat. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને BCCI ના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલીએ બુધવારે રાત્રે BCCI ની મોટી જાહેરાત બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં, ઓક્ટોબર-નવેમ્બરમાં UAE અને ઓમાનમાં T-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના માર્ગદર્શક બનવાની બોર્ડની ઓફર સ્વીકારવા માટે એમએસ ધોનીનો આભાર માન્યો હતો.
https://twitter.com/BCCI/status/1435894754768678915?s=20
ગાંગુલીએ જણાવ્યું હતું કે, મહત્વની ઇવેન્ટમાં ધોનીના અનુભવની સંપત્તિનો ઉપયોગ ટીમનો સુધાર કરવા માટે કરવાનો છે. ગાંગુલીએ બીસીસીઆઈના એક ટ્વિટમાં કહ્યું, "ટીમમાં ધોનીનો ઉમેરો ટી 20 માટે તેમના અનુભવનો ઉપયોગ કરવાનો એક માર્ગ છે. બીસીસીઆઈની ટીમને મદદ કરવા માટેની ઓફર સ્વીકારવા બદલ હું ધોનીનો પણ આભાર માનું છું."
અત્રે ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઇના પ્રેસીડેન્ટ જય શાહે ગતરોજ વિડીયો મારફતે પુર્વ કેપ્ટન મહેન્દ્ર સિંગ ધોની ભારતીય ટીમનું મોનીટરીંગ કરશે તે અંગેની જાણ કરી હતી. જેને લઇને મહેન્દ્રસિંગ ધોનીના સમર્થકો અને ટીમ ઇન્ડિયાના સમર્થકો ગેલમાં આવી ગયા હતા. મહેન્દ્રસિંગ ધોનીને કેપ્ટન કુલ તરીકે ઓળખવામાં આવે છે. તેનું ટીમ ઇન્ડિયાના મેન્ટર તરીકે આવવાને કારણે ટીમની આગામી મેચોમાં પરફોર્મન્સ સુધરશે તેવુ માનવામાં આવી રહ્યું છે. ટીમ ઇન્ડિયાના આગામી મેચોમાં પર્ફોર્મન્સ પર સૌની મીટ મંડાયેલી છે.