કેટલાક ચેરમેન, વાઈસ-ચેરમેનની મુદ્દત પૂરી થઈ, કેટલાકની પૂરી થવાની તૈયારીમાં
બોર્ડ-નિગમમાં નવી નિમણૂકોમાં નો-રિપીટ થિયરી અપનાવાશે તેવી અટકળો,
રાજીનામાં આપનારામાં રુપાણીના વિશ્વાસુનો પણ સમાવેશ
વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ના મેળવનારા, વરિષ્ઠોને નિમણૂક અપાય તેવી શક્યતા
WatchGujarat.રાજ્યમાં ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. તાજેતરમાં જ કાર્યકરોને સંબોધતા પક્ષના રાજ્યના પ્રમુખ સી.આર. પાટીલે પણ ચૂંટણીની તૈયારીમાં લાગી જવા માટે જણાવ્યું હતું. ત્યારે હવે રાજકીય રીતે ધરખમ ફેરફાર આવી રહ્યા છે. રાજ્યમાં સરકાર બદલી દેવાયા બાદ બોર્ડ અને નિગમોમાં પણ મોટાપાયે ફેરફાર કરવાની કવાયત શરુ થઈ ચૂકી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યમાં 14થી વધુ બોર્ડ અને નિગમોના રાજીનામાં લેવાઈ શકે છે. તેમના સ્થાને ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં નવી નિમણૂકો થઈ શકે છે. ચાર ચેરમેને સીએમને પોતાનું રાજીનામું આપી દીધું છે, જેમાં મનસુખ ભંડેરી, પંકજ ભટ્ટ, વિમલ ઉપાધ્યાય, લીલાબેન અંકોલિયાનો સમાવેશ થતો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ગુજરાતમાં કુલ 40 જેટલા બોર્ડ અને નિગમો છે, જેમાંથી 14ના ચેરમેન, વાઈસ ચેરમેનની ટર્મ પૂરી થઈ ચૂકી છે કે પછી પૂરી થવાની તૈયારીમાં છે. થોડા સમય પહેલા જ સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને જેમની ટર્મ પૂરી થઈ ચૂકી છે તેમના સ્થાને નવી નિમણૂક ના થાય ત્યાં સુધી તેમને હોદ્દા પર યથાવત રાખ્યા હતા. જોકે, હવે આ તમામની વિદાય નક્કી થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ બોર્ડ-નિગમમાં નિમણૂકમાં પણ નો-રિપીટ થિયરી અપનાવે તેવી શક્યતા છે. મતલબ કે, હાલ જેઓ હોદ્દા ભોગવી રહ્યા છે તેમને ફરી નિમણૂક મળવાની શક્યતા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ વિવિધ બોર્ડ, નિગમમાં રહેલા બળવંતસિંહ રાજપૂત, મનસુખ ભંડેરી, બીએચ ઘોડાસરા, આઈ.કે. જાડેજા, હંસરાજ ગજેરા, પંકજ ભટ્ટ, સજ્જાદ હીરા, લીલાબેન આંકોલિયા, મધુ શ્રીવાસ્તવ, વિમલ ઉપાધ્યાય, મુડુભાઈ મેરની ટર્મ પૂરી થઈ ચૂકી છે અથવા થવાની તૈયારીમાં છે. સૂત્રોનું માનીએ તો, વિધાનસભા ચૂંટણીમાં ટિકિટથી વંચિત રહેનારા ઉપરાંત પક્ષના વરિષ્ઠ આગેવાનોને પણ બોર્ડ અને નિગમોમાં સ્થાન મળી શકે છે.
કેટલાક ચેરમેન, વાઈસ-ચેરમેનની મુદ્દત પૂરી થઈ, કેટલાકની પૂરી થવાની તૈયારીમાં
બોર્ડ-નિગમમાં નવી નિમણૂકોમાં નો-રિપીટ થિયરી અપનાવાશે તેવી અટકળો,
રાજીનામાં આપનારામાં રુપાણીના વિશ્વાસુનો પણ સમાવેશ
વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ના મેળવનારા, વરિષ્ઠોને નિમણૂક અપાય તેવી શક્યતા
WatchGujarat.રાજ્યમાં ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. તાજેતરમાં જ કાર્યકરોને સંબોધતા પક્ષના રાજ્યના પ્રમુખ સી.આર. પાટીલે પણ ચૂંટણીની તૈયારીમાં લાગી જવા માટે જણાવ્યું હતું. ત્યારે હવે રાજકીય રીતે ધરખમ ફેરફાર આવી રહ્યા છે. રાજ્યમાં સરકાર બદલી દેવાયા બાદ બોર્ડ અને નિગમોમાં પણ મોટાપાયે ફેરફાર કરવાની કવાયત શરુ થઈ ચૂકી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યમાં 14થી વધુ બોર્ડ અને નિગમોના રાજીનામાં લેવાઈ શકે છે. તેમના સ્થાને ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં નવી નિમણૂકો થઈ શકે છે. ચાર ચેરમેને સીએમને પોતાનું રાજીનામું આપી દીધું છે, જેમાં મનસુખ ભંડેરી, પંકજ ભટ્ટ, વિમલ ઉપાધ્યાય, લીલાબેન અંકોલિયાનો સમાવેશ થતો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ગુજરાતમાં કુલ 40 જેટલા બોર્ડ અને નિગમો છે, જેમાંથી 14ના ચેરમેન, વાઈસ ચેરમેનની ટર્મ પૂરી થઈ ચૂકી છે કે પછી પૂરી થવાની તૈયારીમાં છે. થોડા સમય પહેલા જ સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને જેમની ટર્મ પૂરી થઈ ચૂકી છે તેમના સ્થાને નવી નિમણૂક ના થાય ત્યાં સુધી તેમને હોદ્દા પર યથાવત રાખ્યા હતા. જોકે, હવે આ તમામની વિદાય નક્કી થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ બોર્ડ-નિગમમાં નિમણૂકમાં પણ નો-રિપીટ થિયરી અપનાવે તેવી શક્યતા છે. મતલબ કે, હાલ જેઓ હોદ્દા ભોગવી રહ્યા છે તેમને ફરી નિમણૂક મળવાની શક્યતા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ વિવિધ બોર્ડ, નિગમમાં રહેલા બળવંતસિંહ રાજપૂત, મનસુખ ભંડેરી, બીએચ ઘોડાસરા, આઈ.કે. જાડેજા, હંસરાજ ગજેરા, પંકજ ભટ્ટ, સજ્જાદ હીરા, લીલાબેન આંકોલિયા, મધુ શ્રીવાસ્તવ, વિમલ ઉપાધ્યાય, મુડુભાઈ મેરની ટર્મ પૂરી થઈ ચૂકી છે અથવા થવાની તૈયારીમાં છે. સૂત્રોનું માનીએ તો, વિધાનસભા ચૂંટણીમાં ટિકિટથી વંચિત રહેનારા ઉપરાંત પક્ષના વરિષ્ઠ આગેવાનોને પણ બોર્ડ અને નિગમોમાં સ્થાન મળી શકે છે.