દવાઓનો વપરાશ વધી જતાં કોરોનાની વિવિધ દવાઓનાં વેચાણમાં 20% જેટલો વધારો
હાલ પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી બીજી લહેરની જેમ દવા-ઈન્જેક્શનોની કોઈ અછત સર્જાય તેવી શક્યતા નહીં
કોરોના માટે જરૂરી ટેબીફલૂ, રેમડેસીવીર અને માસ્ક-ઓક્સીમીટકર સહિતનું વેચાણ વધ્યું
Watchgujarat.છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સાથે-સાથે જિલ્લામાં પણ કોરોનાનાં કેસોમાં ખાસ્સો વધારો થયો છે. જો કે આ પૈકી મોટાભાગનાં દર્દીઓ વેકસીનેટેડ છે, અને હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. જેને લઈ હોસ્પિટલોમાં તો ખાસ કોઈ ધસારો જોવા મળતો નથી. પરંતુ દવાઓનો વપરાશ વધી જતાં કોરોનાની વિવિધ દવાઓનાં વેચાણમાં 20% જેટલો વધારો થયો છે. જો કે હાલ પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી બીજી લહેરની જેમ દવા-ઈન્જેક્શનોની કોઈ અછત સર્જાય તેવી શક્યતા નહીં હોવાનો દાવો મેડિકલ સ્ટોર્સ એસો. દ્વારા કરવામાં આવ્યો છે.
ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો.નાં વાઇસ પ્રેસિડેન્ટ મયુરસિંહ જાડેજાનાં જણાવ્યા મુજબ છેલ્લા થોડા સમયમાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે. જે અંતર્ગત એન્ટીબાયોટિક દવાઓનું વેચાણ વધ્યું છે. જો કે આ દવાઓ ડાયરેકટ ડોક્ટર્સ દ્વારા અપાતી હોવાથી ટર્નઓવરમાં ખાસ કોઈ તફાવત જોવા મળ્યો નથી. આ સાથે જ કોરોના માટે જરૂરી ટેબીફલૂ, રેમડેસીવીર અને માસ્ક-ઓક્સીમીટકર સહિતનું વેચાણ વધ્યું છે. જોકે કંપનીઓ દ્વારા આ તમામ વસ્તુઓ નો રિટર્ન પોલીસી હેઠળ વેંચાતી હોવાથી વધુ પડતો સ્ટોક કરવો શક્ય નથી. પણ બીજી લહેરને ધ્યાનમાં રાખીને કોઈપણ અછત ન સર્જાય તેટલો સ્ટોક હાલ ઉપલબ્ધ છે. માટે લોકોએ જરાપણ ગભરાવાની જરૂર નથી.
બીજીતરફ મોટીટાંકી ચોક ખાતે રિટેઇલ મેડિકલ સ્ટોર્સ ધરાવતા છેલ્લા એક સપ્તાહથી પેરાસીટામોલ તેમજ શરદી-ઉધરસની દવાઓનું વેંચાણ અંદાજે 15% વધ્યું છે. હાલ કોરોનાનાં કેસોમાં દર્દીઓ હોમ આઇસોલેટ વધુ થતા હોવાથી ઈન્જેક્શનની ખાસ કોઈ જરૂરિયાત નથી. પરંતુ ઇમ્યુનિટી વધારવા માટેની દવાઓ જેવી કે, વિટામિન સી, તેમજ મલ્ટી વિટામિન, આયુર્વેદિક દવા ગિલોય સહિતનું વેંચાણ વધ્યું છે. આ સાથે જ માસ્ક અને ઓક્સીમીટકર જેવી વસ્તુઓનું વેંચાણ પણ વધ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની પ્રથમ અને દ્વિતિય લહેર આવી હતી. ત્યારે મેડિકલ ક્ષેત્રે કેટલીક દવાઓની અછતને લઈને ભારે અડાતફડી મચી જવા પામી હતી. ત્યારે હાલ કોરોનાની ત્રીજી લહેરની દહેશત જોવા મળી રહી છે ત્યારે અત્યારથી મેડિકલ ક્ષેત્ર મુસીબતો સામે લડવા સજ્જ બની ગયું છે. અને દવાનો પૂરતો સ્ટોક હોવાની સાથે જ ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો થયો નથી. ત્યારે લોકોને એવો સંદેશ આપવામાં આવી રહ્યો છે કે કોઈએ ખોટું પેનિક રાખવાની જરૂર નથી.
દવાઓનો વપરાશ વધી જતાં કોરોનાની વિવિધ દવાઓનાં વેચાણમાં 20% જેટલો વધારો
હાલ પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી બીજી લહેરની જેમ દવા-ઈન્જેક્શનોની કોઈ અછત સર્જાય તેવી શક્યતા નહીં
કોરોના માટે જરૂરી ટેબીફલૂ, રેમડેસીવીર અને માસ્ક-ઓક્સીમીટકર સહિતનું વેચાણ વધ્યું
Watchgujarat.છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સાથે-સાથે જિલ્લામાં પણ કોરોનાનાં કેસોમાં ખાસ્સો વધારો થયો છે. જો કે આ પૈકી મોટાભાગનાં દર્દીઓ વેકસીનેટેડ છે, અને હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. જેને લઈ હોસ્પિટલોમાં તો ખાસ કોઈ ધસારો જોવા મળતો નથી. પરંતુ દવાઓનો વપરાશ વધી જતાં કોરોનાની વિવિધ દવાઓનાં વેચાણમાં 20% જેટલો વધારો થયો છે. જો કે હાલ પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી બીજી લહેરની જેમ દવા-ઈન્જેક્શનોની કોઈ અછત સર્જાય તેવી શક્યતા નહીં હોવાનો દાવો મેડિકલ સ્ટોર્સ એસો. દ્વારા કરવામાં આવ્યો છે.
ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો.નાં વાઇસ પ્રેસિડેન્ટ મયુરસિંહ જાડેજાનાં જણાવ્યા મુજબ છેલ્લા થોડા સમયમાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે. જે અંતર્ગત એન્ટીબાયોટિક દવાઓનું વેચાણ વધ્યું છે. જો કે આ દવાઓ ડાયરેકટ ડોક્ટર્સ દ્વારા અપાતી હોવાથી ટર્નઓવરમાં ખાસ કોઈ તફાવત જોવા મળ્યો નથી. આ સાથે જ કોરોના માટે જરૂરી ટેબીફલૂ, રેમડેસીવીર અને માસ્ક-ઓક્સીમીટકર સહિતનું વેચાણ વધ્યું છે. જોકે કંપનીઓ દ્વારા આ તમામ વસ્તુઓ નો રિટર્ન પોલીસી હેઠળ વેંચાતી હોવાથી વધુ પડતો સ્ટોક કરવો શક્ય નથી. પણ બીજી લહેરને ધ્યાનમાં રાખીને કોઈપણ અછત ન સર્જાય તેટલો સ્ટોક હાલ ઉપલબ્ધ છે. માટે લોકોએ જરાપણ ગભરાવાની જરૂર નથી.
બીજીતરફ મોટીટાંકી ચોક ખાતે રિટેઇલ મેડિકલ સ્ટોર્સ ધરાવતા છેલ્લા એક સપ્તાહથી પેરાસીટામોલ તેમજ શરદી-ઉધરસની દવાઓનું વેંચાણ અંદાજે 15% વધ્યું છે. હાલ કોરોનાનાં કેસોમાં દર્દીઓ હોમ આઇસોલેટ વધુ થતા હોવાથી ઈન્જેક્શનની ખાસ કોઈ જરૂરિયાત નથી. પરંતુ ઇમ્યુનિટી વધારવા માટેની દવાઓ જેવી કે, વિટામિન સી, તેમજ મલ્ટી વિટામિન, આયુર્વેદિક દવા ગિલોય સહિતનું વેંચાણ વધ્યું છે. આ સાથે જ માસ્ક અને ઓક્સીમીટકર જેવી વસ્તુઓનું વેંચાણ પણ વધ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની પ્રથમ અને દ્વિતિય લહેર આવી હતી. ત્યારે મેડિકલ ક્ષેત્રે કેટલીક દવાઓની અછતને લઈને ભારે અડાતફડી મચી જવા પામી હતી. ત્યારે હાલ કોરોનાની ત્રીજી લહેરની દહેશત જોવા મળી રહી છે ત્યારે અત્યારથી મેડિકલ ક્ષેત્ર મુસીબતો સામે લડવા સજ્જ બની ગયું છે. અને દવાનો પૂરતો સ્ટોક હોવાની સાથે જ ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો થયો નથી. ત્યારે લોકોને એવો સંદેશ આપવામાં આવી રહ્યો છે કે કોઈએ ખોટું પેનિક રાખવાની જરૂર નથી.