સુરતના પવન શર્મા છેલ્લા 12 વર્ષથી મીનીએચર આર્ટિસ્ટ તરીકે તેમણે ઘણી નાની નાની વસ્તુઓ પર પોતાની કળા પ્રદર્શિત કરી
ભગવાન ગણપતિને ચોખાના દાણા, પેન્સિલની અણી, સોપારી પર, રિયલ મોતી પર, સોંયની અણી પર, શંખ પર, ફટકડી પર અને આવી નાની નાની વસ્તુઓ પર 10 જેટલા ગણપતિની પ્રતિમા બનાવી
ગણેશજીની પ્રતિકૃતિને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને યુનિક વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું
WatchGujarat. અત્યારસુધી ઘણા લોકોએ મોટી સિદ્ધિ મેળવીને મોટા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હશે. પણ સુરતના મીનીએચર આર્ટિસ્ટ પવન શર્માએ નાની નાની વસ્તુઓ થકી અત્યારસુધી 13 જેટલા રેકોર્ડ પોતાના નામે અંકિત કર્યા છે.
સુરતના પવન શર્મા છેલ્લા 12 વર્ષથી મીનીએચર આર્ટિસ્ટ તરીકે તેમણે ઘણી નાની નાની વસ્તુઓ પર પોતાની કળા પ્રદર્શિત કરી છે. પવન શર્મા પાસે આવી લગભગ 350 વસ્તુઓ છે જેમાં તેઓએ સોપારી, પેન્સિલની અણી, પીપળાના પાન પર કોતરણી કરીને ભારતનો નકશો, પીએમ મોદી, અશોક સ્તંભ, રામ મંદિર, કોરોના વોરિયર્સ બનાવ્યા છે.
હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે તેમણે ભગવાન ગણપતિને ચોખાના દાણા, પેન્સિલની અણી, સોપારી પર, રિયલ મોતી પર, સોંયની અણી પર, શંખ પર, ફટકડી પર અને આવી નાની નાની વસ્તુઓ પર 10 જેટલા ગણપતિની પ્રતિમા બનાવી છે. જેનું માપ 1 એમએમ થી લઈને 0.5 એમએમ સુધી થવા જાય છે.
મીનીએચર આર્ટિસ્ટ પવન શર્માનું કહેવું છે કે આ કામ છેલ્લા 12 વર્ષથી તેઓ કરતા આવ્યા છે. અત્યંત ઝીણી વસ્તુઓ પર કારીગરી કરવી ખૂબ મહેનત અને સમય પણ માંગી લે છે. તેમણે અત્યારસુધી ઘણા વ્યક્તિ વિશેષને આવી નાની વસ્તુઓ પર કંડાર્યા છે. પણ ગણેશજીને પહેલી વાર તેઓએ તેના પર અંકિત કર્યા છે, જેના માટે બાપ્પાનો આશીર્વાદ જ છે.
તેમને નાનપણથી જ આ કળાનો શોખ હતો. પણ ધીરે ધીરે આ શોખ વધતો ગયો અને તેમાં તેમને સિદ્ધિઓ પણ મળતી ગઈ. તેઓને 7 ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, 3 યુનિક વર્લ્ડ રેકોર્ડ, 1 એશિયા બુક ઓફ રેકોર્ડ, 2 લિમ્કા બુક ઓફ રેકોર્ડ મળી ચુક્યા છે. તેઓએ જે ગણેશજીની પ્રતિકૃતિ બનાવી છે તેને પણ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને યુનિક વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. જે સુરત માટે પણ ગૌરવની વાત છે.
સુરતના પવન શર્મા છેલ્લા 12 વર્ષથી મીનીએચર આર્ટિસ્ટ તરીકે તેમણે ઘણી નાની નાની વસ્તુઓ પર પોતાની કળા પ્રદર્શિત કરી
ભગવાન ગણપતિને ચોખાના દાણા, પેન્સિલની અણી, સોપારી પર, રિયલ મોતી પર, સોંયની અણી પર, શંખ પર, ફટકડી પર અને આવી નાની નાની વસ્તુઓ પર 10 જેટલા ગણપતિની પ્રતિમા બનાવી
ગણેશજીની પ્રતિકૃતિને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને યુનિક વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું
WatchGujarat. અત્યારસુધી ઘણા લોકોએ મોટી સિદ્ધિ મેળવીને મોટા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હશે. પણ સુરતના મીનીએચર આર્ટિસ્ટ પવન શર્માએ નાની નાની વસ્તુઓ થકી અત્યારસુધી 13 જેટલા રેકોર્ડ પોતાના નામે અંકિત કર્યા છે.
સુરતના પવન શર્મા છેલ્લા 12 વર્ષથી મીનીએચર આર્ટિસ્ટ તરીકે તેમણે ઘણી નાની નાની વસ્તુઓ પર પોતાની કળા પ્રદર્શિત કરી છે. પવન શર્મા પાસે આવી લગભગ 350 વસ્તુઓ છે જેમાં તેઓએ સોપારી, પેન્સિલની અણી, પીપળાના પાન પર કોતરણી કરીને ભારતનો નકશો, પીએમ મોદી, અશોક સ્તંભ, રામ મંદિર, કોરોના વોરિયર્સ બનાવ્યા છે.
હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે તેમણે ભગવાન ગણપતિને ચોખાના દાણા, પેન્સિલની અણી, સોપારી પર, રિયલ મોતી પર, સોંયની અણી પર, શંખ પર, ફટકડી પર અને આવી નાની નાની વસ્તુઓ પર 10 જેટલા ગણપતિની પ્રતિમા બનાવી છે. જેનું માપ 1 એમએમ થી લઈને 0.5 એમએમ સુધી થવા જાય છે.
મીનીએચર આર્ટિસ્ટ પવન શર્માનું કહેવું છે કે આ કામ છેલ્લા 12 વર્ષથી તેઓ કરતા આવ્યા છે. અત્યંત ઝીણી વસ્તુઓ પર કારીગરી કરવી ખૂબ મહેનત અને સમય પણ માંગી લે છે. તેમણે અત્યારસુધી ઘણા વ્યક્તિ વિશેષને આવી નાની વસ્તુઓ પર કંડાર્યા છે. પણ ગણેશજીને પહેલી વાર તેઓએ તેના પર અંકિત કર્યા છે, જેના માટે બાપ્પાનો આશીર્વાદ જ છે.
તેમને નાનપણથી જ આ કળાનો શોખ હતો. પણ ધીરે ધીરે આ શોખ વધતો ગયો અને તેમાં તેમને સિદ્ધિઓ પણ મળતી ગઈ. તેઓને 7 ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, 3 યુનિક વર્લ્ડ રેકોર્ડ, 1 એશિયા બુક ઓફ રેકોર્ડ, 2 લિમ્કા બુક ઓફ રેકોર્ડ મળી ચુક્યા છે. તેઓએ જે ગણેશજીની પ્રતિકૃતિ બનાવી છે તેને પણ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને યુનિક વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. જે સુરત માટે પણ ગૌરવની વાત છે.