MLA કુંવરજી બાવળીયાએ હોમ આઈસોલેશનનો ભંગ કર્યો
કોરોના પોઝિટીવ હોવા છતાં કુંવરજી બાવળીયાએ પતંગ ચગાવી
અમરાપર ખાતે પતંગ ચગાવતા હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો
જિલ્લા આરોગ્ય અધિકારીના આંખ મિચામણા, કહ્યું- કુંવરજીભાઈએ ગાઈડલાઈનનો ભંગ કર્યાની કોઈ વિગત મારી પાસે નથી
WatchGujarat. કોરોનાની ત્રીજી લહેર રાજ્યભરમાં પીક પર છે. જેમાં હવે નેતાઓ અને અધિકારીઓ પણ બાકાત રહ્યા નથી. એક પછી એક રાજ્યના ધારાસભ્યો, અધિકારીઓ અને મંત્રીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. જેમાં ભાજપના ધારાસભ્ય કુંવરજી બાવળીયા પણ સામેલ છે. કોરોનાના કાબુમાં કરવા સરકાર દ્વારા ગાઈડલાઈન પણ જાહેર કરાઈ છે. પરંતુ MLA કુંવરજી બાવળીયાની સોશિયલ મીડિયા પોસ્ટને જોતા લાગી રહ્યું છે કે આ નિયમો માત્રને માત્ર પ્રજા માટે જ છે.
નિયમો માત્ર જનતાએ પાળવાના નેતાઓને બધી જ છૂટ
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના પોઝિટીવ આવતા જસદણ પથંકના ભાજપના ધારાસભ્ય કુંવરજી બાવળીયા પોતાની શૈક્ષણિક સંસ્થા અમરાપર ખાતે હોમ આઈસોલેટ થયા હતા. પરંતુ ઉત્તરાયણના પર્વમાં તેમણે નિયમોનો ભાંગ કરી હોમ આઈસોલેશનમાંથી બહાર નિકળીને જાહેરમાં પતંગ ચગાવી તેના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા હોવાનું મીડિયા અહેવાલમાં સામે આવ્યું છે. કોઈ પણ વ્યક્તિને કોરોના થાય અને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવે તેને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહેવાય છે અને તેમને જ્યાં આઈસોલેશનમાં હોય ત્યાંથી બહાર નિકળવાનું નથી હોતું. તેમ છતાં કુંવરજી બાવળીયાએ જાહેરમાં પગંત ચગાવી હતી.
હોમ આઈસોલેશન ભંગ કરી એમએલઓ કુંવરજી બાવળીયાએ પતંગ ચગાવી
MLA કુંવરજી બાવળીયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પતંગ ચગાવતા હોય તેવો ફોટો મૂકીને લખ્યું છે કે, લાંબા સમય પછી ઉત્તરાયણનો આનંદ પૌત્ર અર્જુન અને પૌત્રી દિવા સાથે માણ્યો. આ અંગે જ્યારે મીડિયા દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓ પણ આંખ મિચામણા કરતાં જોવા મળ્યા. મીડિયા સાથે વાત કરતાં જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, હાલ પાંચ દિવસની ગાઈડલાઈન છે. કુંવરજીભાઈને પાંચ દિવસ પૂરા થઈ ગયા હોય તો તેઓ ચોક્સાઈ સાથે બહાર નીકળી શકે છે. જો કે મારી પાસે તેમણે કોઈ ગાઈડલાઈનનો ભંગ કર્યાની હાલ કોઈ વિગત નથી.
જ્યારે સામાન્ય નાગરિક દ્વારા કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવે ત્યારે તંત્ર દ્વારા તેમની સામે નિયમભંગના કેસ કરવામાં આવે છે, દંડ વસુલવામાં આવતા હોય છે. પરંતુ જ્યારે કોઈ નેતા નિયમભંગ કરે ત્યારે તેઓ આંખ મિચામણા કરતાં જોવા મળે છે. જાણે નેતાઓને બધી છૂટછાટ અપાતી હોય.
MLA કુંવરજી બાવળીયાએ હોમ આઈસોલેશનનો ભંગ કર્યો
કોરોના પોઝિટીવ હોવા છતાં કુંવરજી બાવળીયાએ પતંગ ચગાવી
અમરાપર ખાતે પતંગ ચગાવતા હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો
જિલ્લા આરોગ્ય અધિકારીના આંખ મિચામણા, કહ્યું- કુંવરજીભાઈએ ગાઈડલાઈનનો ભંગ કર્યાની કોઈ વિગત મારી પાસે નથી
WatchGujarat. કોરોનાની ત્રીજી લહેર રાજ્યભરમાં પીક પર છે. જેમાં હવે નેતાઓ અને અધિકારીઓ પણ બાકાત રહ્યા નથી. એક પછી એક રાજ્યના ધારાસભ્યો, અધિકારીઓ અને મંત્રીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. જેમાં ભાજપના ધારાસભ્ય કુંવરજી બાવળીયા પણ સામેલ છે. કોરોનાના કાબુમાં કરવા સરકાર દ્વારા ગાઈડલાઈન પણ જાહેર કરાઈ છે. પરંતુ MLA કુંવરજી બાવળીયાની સોશિયલ મીડિયા પોસ્ટને જોતા લાગી રહ્યું છે કે આ નિયમો માત્રને માત્ર પ્રજા માટે જ છે.
નિયમો માત્ર જનતાએ પાળવાના નેતાઓને બધી જ છૂટ
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના પોઝિટીવ આવતા જસદણ પથંકના ભાજપના ધારાસભ્ય કુંવરજી બાવળીયા પોતાની શૈક્ષણિક સંસ્થા અમરાપર ખાતે હોમ આઈસોલેટ થયા હતા. પરંતુ ઉત્તરાયણના પર્વમાં તેમણે નિયમોનો ભાંગ કરી હોમ આઈસોલેશનમાંથી બહાર નિકળીને જાહેરમાં પતંગ ચગાવી તેના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા હોવાનું મીડિયા અહેવાલમાં સામે આવ્યું છે. કોઈ પણ વ્યક્તિને કોરોના થાય અને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવે તેને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહેવાય છે અને તેમને જ્યાં આઈસોલેશનમાં હોય ત્યાંથી બહાર નિકળવાનું નથી હોતું. તેમ છતાં કુંવરજી બાવળીયાએ જાહેરમાં પગંત ચગાવી હતી.
હોમ આઈસોલેશન ભંગ કરી એમએલઓ કુંવરજી બાવળીયાએ પતંગ ચગાવી
MLA કુંવરજી બાવળીયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પતંગ ચગાવતા હોય તેવો ફોટો મૂકીને લખ્યું છે કે, લાંબા સમય પછી ઉત્તરાયણનો આનંદ પૌત્ર અર્જુન અને પૌત્રી દિવા સાથે માણ્યો. આ અંગે જ્યારે મીડિયા દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓ પણ આંખ મિચામણા કરતાં જોવા મળ્યા. મીડિયા સાથે વાત કરતાં જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, હાલ પાંચ દિવસની ગાઈડલાઈન છે. કુંવરજીભાઈને પાંચ દિવસ પૂરા થઈ ગયા હોય તો તેઓ ચોક્સાઈ સાથે બહાર નીકળી શકે છે. જો કે મારી પાસે તેમણે કોઈ ગાઈડલાઈનનો ભંગ કર્યાની હાલ કોઈ વિગત નથી.
જ્યારે સામાન્ય નાગરિક દ્વારા કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવે ત્યારે તંત્ર દ્વારા તેમની સામે નિયમભંગના કેસ કરવામાં આવે છે, દંડ વસુલવામાં આવતા હોય છે. પરંતુ જ્યારે કોઈ નેતા નિયમભંગ કરે ત્યારે તેઓ આંખ મિચામણા કરતાં જોવા મળે છે. જાણે નેતાઓને બધી છૂટછાટ અપાતી હોય.