watchgujarat: બેંક ગ્રાહકોએ 1 જાન્યુઆરીથી એટીએમ (ATM) માંથી રોકડ ઉપાડવા માટે પહેલા કરતા વધુ પૈસા ચૂકવવા પડશે. મફત માસિક મર્યાદા સમાપ્ત થયા પછી વધેલા શુલ્ક લાગુ થશે. ગ્રાહકોને તેમની સંબંધિત બેંકો તરફથી વધેલા ચાર્જ વિશે મેસેજ મળી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જૂનમાં જાહેરાત કરી હતી કે દેશની બેંકોને હવે યુઝરો માટે મફત માસિક મર્યાદા કરતાં વધુ રોકડ અને નોન-કેશ એટીએમ (ATM) વ્યવહારો માટે ચાર્જ વધારવાની છૂટ છે. દરોમાં આ ફેરફાર 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે. આરબીઆઈએ અગાઉ જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે, બેંકોને પ્રતિ ટ્રાન્ઝેક્શન 21 રૂપિયા સુધીની રકમ વધારવાની છૂટ છે. આ વધારો 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે.
Axis Bank એ કહ્યું કે આરબીઆઈ (RBI) ની માર્ગદર્શિકા મુજબ, એક્સિસ બેંક અથવા અન્ય બેંક એટીએમ પર મફત મર્યાદાથી ઉપરના નાણાકીય વ્યવહાર શુલ્ક 21-01-22 થી પ્રભાવી 21 રૂપિયા + GST હશે. જાન્યુઆરીથી, જો ગ્રાહકો ફ્રી ટ્રાન્ઝેક્શનની માસિક મર્યાદાને ઓળંગે તો 20 રૂપિયાને બદલે 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચૂકવવા પડશે. ગ્રાહકો તેમના બેંક એટીએમમાંથી દર મહિને પાંચ મફત વ્યવહારો (નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો સહિત) માટે પાત્ર બનશે. તેઓ મેટ્રો કેન્દ્રોમાં અન્ય બેંકના એટીએમમાંથી ત્રણ અને નોન-મેટ્રો કેન્દ્રો પર પાંચ મફત વ્યવહારો પણ કરી શકશે.
આ ઉપરાંત, કેન્દ્રીય બેંકે બેંકોને નાણાકીય વ્યવહારો માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ફી 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા અને તમામ કેન્દ્રોમાં બિન-નાણાકીય વ્યવહારો માટે 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરવાની મંજૂરી આપી હતી. આ 1 ઑગસ્ટ 2021થી લાગુ કરવામાં આવ્યું હતું.
watchgujarat: બેંક ગ્રાહકોએ 1 જાન્યુઆરીથી એટીએમ (ATM) માંથી રોકડ ઉપાડવા માટે પહેલા કરતા વધુ પૈસા ચૂકવવા પડશે. મફત માસિક મર્યાદા સમાપ્ત થયા પછી વધેલા શુલ્ક લાગુ થશે. ગ્રાહકોને તેમની સંબંધિત બેંકો તરફથી વધેલા ચાર્જ વિશે મેસેજ મળી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જૂનમાં જાહેરાત કરી હતી કે દેશની બેંકોને હવે યુઝરો માટે મફત માસિક મર્યાદા કરતાં વધુ રોકડ અને નોન-કેશ એટીએમ (ATM) વ્યવહારો માટે ચાર્જ વધારવાની છૂટ છે. દરોમાં આ ફેરફાર 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે. આરબીઆઈએ અગાઉ જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે, બેંકોને પ્રતિ ટ્રાન્ઝેક્શન 21 રૂપિયા સુધીની રકમ વધારવાની છૂટ છે. આ વધારો 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે.
Axis Bank એ કહ્યું કે આરબીઆઈ (RBI) ની માર્ગદર્શિકા મુજબ, એક્સિસ બેંક અથવા અન્ય બેંક એટીએમ પર મફત મર્યાદાથી ઉપરના નાણાકીય વ્યવહાર શુલ્ક 21-01-22 થી પ્રભાવી 21 રૂપિયા + GST હશે. જાન્યુઆરીથી, જો ગ્રાહકો ફ્રી ટ્રાન્ઝેક્શનની માસિક મર્યાદાને ઓળંગે તો 20 રૂપિયાને બદલે 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચૂકવવા પડશે. ગ્રાહકો તેમના બેંક એટીએમમાંથી દર મહિને પાંચ મફત વ્યવહારો (નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો સહિત) માટે પાત્ર બનશે. તેઓ મેટ્રો કેન્દ્રોમાં અન્ય બેંકના એટીએમમાંથી ત્રણ અને નોન-મેટ્રો કેન્દ્રો પર પાંચ મફત વ્યવહારો પણ કરી શકશે.
આ ઉપરાંત, કેન્દ્રીય બેંકે બેંકોને નાણાકીય વ્યવહારો માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ફી 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા અને તમામ કેન્દ્રોમાં બિન-નાણાકીય વ્યવહારો માટે 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરવાની મંજૂરી આપી હતી. આ 1 ઑગસ્ટ 2021થી લાગુ કરવામાં આવ્યું હતું.