રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી હત્યાનો સિલસિલો યથાવત
આજે વધુ એક હત્યાની ઘટના સામે આવી
પરાપીપળીયા નજીક ગળું કાપીને માથું છુંદેલી હાલતમાં સાધુ જેવા દેખાતા એક પુરુષની લાશ મળી આવી
WatchGujarat. શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી હત્યાનો સિલસિલો યથાવત છે. ત્યારે આજે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં પરાપીપળીયા નજીક ગળું કાપીને માથું છુંદેલી હાલતમાં સાધુ જેવા દેખાતા એક પુરુષની લાશ મળી આવી છે. આ લાશ કોથળામાં પેક કરીને ફેંકી દેવામાં આવી હોવાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો છે. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેની ઓળખ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.
સાધુ જેવા દેખાતા એક પુરુષની લાશ મળી આવી
જાણવા મળતી વિગત મુજબ આજે સવારે રાજકોટ જામનગર હાઇવે પર પરાપીપળીયા ગામ નજીક કોઈ અજાણ્યા શખ્સો એક કોથળામાં પેક કરી સાધુ જેવા દેખાતા પુરુષનો મૃતદેહ ફેંકી ગયા હોવા અંગેની જાણ પોલીસને થઈ હતી. જેને લઈ પ્રથમ તો યુનિવર્સીટી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બાદમાં એસીપી ક્રાઇમ તેમજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ દોડી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં મૃતદેહ ગળું કાપેલી હાલતમાં જોવા મળ્યો હતો. અને મોઢું છુંદી નાખેલું હોય મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.
હજુ સુધી મૃતકની ઓળખ થઇ નથી
એસીપી ક્રાઇમ ડી.વી.બસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જામનગર રોડ પર મૃતદેહ મળ્યો છે. જેમાં માથાના ભાગે પણ ઇજાના નિશાન જોવા મળી રહ્યા છે. હજુ સુધી મૃતકની ઓળખ થઇ નથી. પરંતુ તેનો સાધુ જેવો વેશ હોવાથી તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોર્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. સાથે જ આસપાસનાં CCTV ફૂટેજ તપાસી, લાપતા થયેલા સાધુની નોંધ દ્વારા મૃતકની ઓળખ મેળવવા કવાયત શરૂ કરવામાં આવી છે. સાથે જ હત્યારાઓને ઝડપી લેવા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
એક જ સપ્તાહમાં ચાર ચાર હત્યાની ઘટના સામે આવી
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક જ સપ્તાહમાં ચાર ચાર હત્યાની ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠી રહ્યા છે. રવિવારની રાત્રે ઇંડા ખાવા બાબતે હત્યાનો બનાવ સામે આવ્યાની માત્ર 36 કલાકમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ પોલીસનો ખોફ ઓસરી રહ્યો હોવાની ચર્ચા લોકોમાં ઉઠી રહી છે. ત્યારે હવે આ બંને ઘટનાઓનાં આરોપી ક્યારે ઝડપાય છે તેના પર લોકોની મીટ મંડાયેલી છે.
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી હત્યાનો સિલસિલો યથાવત
આજે વધુ એક હત્યાની ઘટના સામે આવી
પરાપીપળીયા નજીક ગળું કાપીને માથું છુંદેલી હાલતમાં સાધુ જેવા દેખાતા એક પુરુષની લાશ મળી આવી
WatchGujarat. શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી હત્યાનો સિલસિલો યથાવત છે. ત્યારે આજે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં પરાપીપળીયા નજીક ગળું કાપીને માથું છુંદેલી હાલતમાં સાધુ જેવા દેખાતા એક પુરુષની લાશ મળી આવી છે. આ લાશ કોથળામાં પેક કરીને ફેંકી દેવામાં આવી હોવાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો છે. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેની ઓળખ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.
સાધુ જેવા દેખાતા એક પુરુષની લાશ મળી આવી
જાણવા મળતી વિગત મુજબ આજે સવારે રાજકોટ જામનગર હાઇવે પર પરાપીપળીયા ગામ નજીક કોઈ અજાણ્યા શખ્સો એક કોથળામાં પેક કરી સાધુ જેવા દેખાતા પુરુષનો મૃતદેહ ફેંકી ગયા હોવા અંગેની જાણ પોલીસને થઈ હતી. જેને લઈ પ્રથમ તો યુનિવર્સીટી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બાદમાં એસીપી ક્રાઇમ તેમજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ દોડી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં મૃતદેહ ગળું કાપેલી હાલતમાં જોવા મળ્યો હતો. અને મોઢું છુંદી નાખેલું હોય મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.
હજુ સુધી મૃતકની ઓળખ થઇ નથી
એસીપી ક્રાઇમ ડી.વી.બસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જામનગર રોડ પર મૃતદેહ મળ્યો છે. જેમાં માથાના ભાગે પણ ઇજાના નિશાન જોવા મળી રહ્યા છે. હજુ સુધી મૃતકની ઓળખ થઇ નથી. પરંતુ તેનો સાધુ જેવો વેશ હોવાથી તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોર્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. સાથે જ આસપાસનાં CCTV ફૂટેજ તપાસી, લાપતા થયેલા સાધુની નોંધ દ્વારા મૃતકની ઓળખ મેળવવા કવાયત શરૂ કરવામાં આવી છે. સાથે જ હત્યારાઓને ઝડપી લેવા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
એક જ સપ્તાહમાં ચાર ચાર હત્યાની ઘટના સામે આવી
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક જ સપ્તાહમાં ચાર ચાર હત્યાની ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠી રહ્યા છે. રવિવારની રાત્રે ઇંડા ખાવા બાબતે હત્યાનો બનાવ સામે આવ્યાની માત્ર 36 કલાકમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ પોલીસનો ખોફ ઓસરી રહ્યો હોવાની ચર્ચા લોકોમાં ઉઠી રહી છે. ત્યારે હવે આ બંને ઘટનાઓનાં આરોપી ક્યારે ઝડપાય છે તેના પર લોકોની મીટ મંડાયેલી છે.