બાળકને પ્રાથમિક સારવાર માટે નડિયાદ સિવિલ અને વધુ સારવાર અર્થે અમદવાદ ખાતે લઇ જવાયું
બાળકને જન્મથી જ હ્રદયમાં છિદ્ર હોવાનું તબીબ તપાસમાં બહાર આવ્યું
સારવારના અભાવે બાળકને ત્યજાયુ હોવાનું અનુમાન
WatchGujarat. ખેડા જિલ્લામાં બાળકો ત્યજી દેવાની ઘટનામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. છેલ્લા છ માસ દરમિયાન અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે બુધવારે રાત્રે બાળક ત્યજી દેવાનો વધુ એક કિસ્સો નડિયાદમાં સામે આવ્યો છે. કોઈ અજાણી વ્યક્તિ પોતાનું વ્હાલસોયું બાળક માતૃછાયા અનાથ આશ્રમ બહાર મૂકી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે.
વધુમાં જણાવતા નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા માતૃછાયા અનાથ આશ્રમ બહાર બુધવારની મોડી રાત્રે કોઈ નવજાત બાળકને મૂકી ગયું હતું. બાળકનો રડવાનો અવાજ સાંભળતા જ આશ્રમના સંચાલકો બહાર દોડી આવ્યા હતા. બાળકની તબિયત સારી ન હોવાના કારણે તેને પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક નડિયાદની સિવિલ હોસ્પિટલ લઈ જવાયું હતું. અને વધુ સારવાર અર્થે ત્યાંથી બાળકને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં લવાયું હતું. જ્યા તબીબ તપાસમાં ભાર આવ્યું હતું કે બાળકના હ્રદયમાં જન્મજાત છીદ્ર છે. તેથી તેની યોગ્ય સારવાર કરવામાં આવશે. આ બનાવ સંદર્ભે નડિયાદમાં બાળક ત્યજી દેવાના કેસમાં પોલીસે એક મહિલાની અટકાયત કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન ઘટનાની હકીકત સામે આવવાની શક્યતા છે. બાળક મળ્યાના કેસમાં પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ શરુ કરી હતી. પોલીસને તપાસના ગણતરીના કલાકોમાં જ પોલીસને ખૂબ મહત્વની કડી હાથ લાગી છે. તો ટૂંક સમયમાં આ કેસના રહસ્ય પરથી પડદો ઊંચકાઈ જવાની પોલીસને આશા છે.
ઉલ્લેખનીયછે કે આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. તો બીજી બાજુ આવી ઘટના ફરીથી થતા લોકોએ આક્રોશ કર્યો હતો. તો થોડા સમયથી ગુજરાતમાં બાળકો ત્યજી દેવાની ઘટનાઓ વધુ સામે આવી રહી છે. જે પણ એક ચિંતાની વાત છે. આ ઘટનામાં પોલીસ આગળ તપાસ કરી રહી છે. બાળકને ત્યજી દેવાના કારણોનો ઘટસ્ફોટ થવાની શક્યતા છે.
- બાળકને પ્રાથમિક સારવાર માટે નડિયાદ સિવિલ અને વધુ સારવાર અર્થે અમદવાદ ખાતે લઇ જવાયું
- બાળકને જન્મથી જ હ્રદયમાં છિદ્ર હોવાનું તબીબ તપાસમાં બહાર આવ્યું
- સારવારના અભાવે બાળકને ત્યજાયુ હોવાનું અનુમાન
WatchGujarat. ખેડા જિલ્લામાં બાળકો ત્યજી દેવાની ઘટનામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. છેલ્લા છ માસ દરમિયાન અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે બુધવારે રાત્રે બાળક ત્યજી દેવાનો વધુ એક કિસ્સો નડિયાદમાં સામે આવ્યો છે. કોઈ અજાણી વ્યક્તિ પોતાનું વ્હાલસોયું બાળક માતૃછાયા અનાથ આશ્રમ બહાર મૂકી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે.
વધુમાં જણાવતા નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા માતૃછાયા અનાથ આશ્રમ બહાર બુધવારની મોડી રાત્રે કોઈ નવજાત બાળકને મૂકી ગયું હતું. બાળકનો રડવાનો અવાજ સાંભળતા જ આશ્રમના સંચાલકો બહાર દોડી આવ્યા હતા. બાળકની તબિયત સારી ન હોવાના કારણે તેને પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક નડિયાદની સિવિલ હોસ્પિટલ લઈ જવાયું હતું. અને વધુ સારવાર અર્થે ત્યાંથી બાળકને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં લવાયું હતું. જ્યા તબીબ તપાસમાં ભાર આવ્યું હતું કે બાળકના હ્રદયમાં જન્મજાત છીદ્ર છે. તેથી તેની યોગ્ય સારવાર કરવામાં આવશે. આ બનાવ સંદર્ભે નડિયાદમાં બાળક ત્યજી દેવાના કેસમાં પોલીસે એક મહિલાની અટકાયત કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન ઘટનાની હકીકત સામે આવવાની શક્યતા છે. બાળક મળ્યાના કેસમાં પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ શરુ કરી હતી. પોલીસને તપાસના ગણતરીના કલાકોમાં જ પોલીસને ખૂબ મહત્વની કડી હાથ લાગી છે. તો ટૂંક સમયમાં આ કેસના રહસ્ય પરથી પડદો ઊંચકાઈ જવાની પોલીસને આશા છે.
ઉલ્લેખનીયછે કે આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. તો બીજી બાજુ આવી ઘટના ફરીથી થતા લોકોએ આક્રોશ કર્યો હતો. તો થોડા સમયથી ગુજરાતમાં બાળકો ત્યજી દેવાની ઘટનાઓ વધુ સામે આવી રહી છે. જે પણ એક ચિંતાની વાત છે. આ ઘટનામાં પોલીસ આગળ તપાસ કરી રહી છે. બાળકને ત્યજી દેવાના કારણોનો ઘટસ્ફોટ થવાની શક્યતા છે.