ભારતના 72માં બંધારણ દિવસ અને NCC દિવસની ઉજવણીના ઉપલક્ષમાં નૌકા અભિયાન-2021નું આયોજન
શુક્રવારે રાજવી પરિવારના રઘુવીરસિંહ ગોહિલ અને શ્રીમતી રૂકમણી દેવી ગોહિલની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ આપી “નૌકા અભિયાન” નો કરાશે શુભારંભ
WatchGujarat. ગુજરાત NCC ડિરેક્ટોરેટના એડીશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અરવિંદ કપૂરના નેતૃત્વ હેઠળ ગુજરાતના યુવાનોની તાલીમ અને પ્રેરણામાં મોખરે રહેલાં ગુજરાતના NCC ના આર્મી, નેવી અને એરફોર્સના કેડેટ્સને તાલીમબધ્ધ કરવાની સાથે તેમનામાં સાહસ-શોર્યની ભાવના કેળવાય તેવા હેતુથી અનેકવિધ સાહસિક પ્રવૃત્તિઓનું સમયાંતરે આયોજન પણ કરવામાં આવે છે.
જેના ભાગરૂપે તથા ભારતના 72 માં બંધારણ દિવસ અને NCC દિવસની ઉજવણીના ઉપલક્ષમાં કમાન્ડીંગ ઓફીસ 9 નેવલ યુનિટ, NCC-નવસારી ધ્વારા અને ગુજરાત NCC ડિરેક્ટોરેટના એડીશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અરવિંદ કપૂરના દિશા નિર્દેશો હેઠળ ગુરૂવારથી 27 નવેમ્બર સુધી રાજપીપલામાં કરજણ ડેમ સાઇટ ખાતે નૌકા અભિયાન 2021 યોજશે.
રાજપીપલાના રાજવી પરિવારના રઘુવીરસિંહ ગોહિલ અને શ્રીમતી રૂકમણીદેવી ગોહિલ તેમજ વડોદરા NCC ગૃપ હેડ-કવાર્ટરના બ્રિગેડીયર બી.એસ.રાવત તથા 9 નેવલ યુનિટ, NCC નવસારીના લેફ. કમાન્ડર અમીત નૈન અને વડોદરા NCC ગૃપ હેડ-ક્વાર્ટરના 300 જેટલા NCC કેડેટસની ઉપસ્થિતિમાં 19 નવેમ્બર શુક્રવારના રોજ સવારે 9.30 કલાકે કરજણ ડેમ સાઇટ ખાતે નૌકા અભિયાનમાં ભાગ લઇ રહેલાં નેવલ વિંગના 85 જેટલા NCC કેડેટ્સને ફ્લેગ ઓફ કરી(ઝંડી ફરકાવીને) પ્રસ્થાન કરાવશે, જેમાં આ તાલીમ-અભિયાન દરમિયાન ભાગ લઇ રહેલાં NCC કેડેટ્સ 210 કિ.મી. અંતર કાપશે.
ભારતના 72માં બંધારણ દિવસ અને NCC દિવસની ઉજવણીના ઉપલક્ષમાં નૌકા અભિયાન-2021નું આયોજન
શુક્રવારે રાજવી પરિવારના રઘુવીરસિંહ ગોહિલ અને શ્રીમતી રૂકમણી દેવી ગોહિલની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ આપી “નૌકા અભિયાન” નો કરાશે શુભારંભ
WatchGujarat. ગુજરાત NCC ડિરેક્ટોરેટના એડીશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અરવિંદ કપૂરના નેતૃત્વ હેઠળ ગુજરાતના યુવાનોની તાલીમ અને પ્રેરણામાં મોખરે રહેલાં ગુજરાતના NCC ના આર્મી, નેવી અને એરફોર્સના કેડેટ્સને તાલીમબધ્ધ કરવાની સાથે તેમનામાં સાહસ-શોર્યની ભાવના કેળવાય તેવા હેતુથી અનેકવિધ સાહસિક પ્રવૃત્તિઓનું સમયાંતરે આયોજન પણ કરવામાં આવે છે.
જેના ભાગરૂપે તથા ભારતના 72 માં બંધારણ દિવસ અને NCC દિવસની ઉજવણીના ઉપલક્ષમાં કમાન્ડીંગ ઓફીસ 9 નેવલ યુનિટ, NCC-નવસારી ધ્વારા અને ગુજરાત NCC ડિરેક્ટોરેટના એડીશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અરવિંદ કપૂરના દિશા નિર્દેશો હેઠળ ગુરૂવારથી 27 નવેમ્બર સુધી રાજપીપલામાં કરજણ ડેમ સાઇટ ખાતે નૌકા અભિયાન 2021 યોજશે.
રાજપીપલાના રાજવી પરિવારના રઘુવીરસિંહ ગોહિલ અને શ્રીમતી રૂકમણીદેવી ગોહિલ તેમજ વડોદરા NCC ગૃપ હેડ-કવાર્ટરના બ્રિગેડીયર બી.એસ.રાવત તથા 9 નેવલ યુનિટ, NCC નવસારીના લેફ. કમાન્ડર અમીત નૈન અને વડોદરા NCC ગૃપ હેડ-ક્વાર્ટરના 300 જેટલા NCC કેડેટસની ઉપસ્થિતિમાં 19 નવેમ્બર શુક્રવારના રોજ સવારે 9.30 કલાકે કરજણ ડેમ સાઇટ ખાતે નૌકા અભિયાનમાં ભાગ લઇ રહેલાં નેવલ વિંગના 85 જેટલા NCC કેડેટ્સને ફ્લેગ ઓફ કરી(ઝંડી ફરકાવીને) પ્રસ્થાન કરાવશે, જેમાં આ તાલીમ-અભિયાન દરમિયાન ભાગ લઇ રહેલાં NCC કેડેટ્સ 210 કિ.મી. અંતર કાપશે.