શહેરમાં ભર ઉનાળે રસ્તા પર ભૂવો પડવાની ફરિયાદો વધી
પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં રસ્તામાં ભૂવા પડ્યા
કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીના કારણે શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો
કારેલીબાગમાં રસ્તામાં ભૂવો પડ્યો, પાલિકાની હલકી કક્ષાની કામગીરીની પોલ ઉઘાડી પડી
WatchGujarat. ચોસામાની સીઝનમાં શહેરના રસ્તા પર ભૂવા પડવાની અનેક ફરિયાદો આવતી હોય છે. પરંતુ વડોદરામાં ભર ઉનાળે રસ્તા પર ભૂવા પડવાની ફરિયાદો ઉઠી રહી છે. કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં ભૂવો પડતા પાલિકાની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી છે.
કારેલીબાગમાં ભૂવો પડતા હલકી કક્ષાની કામગીરીની પોલ ખુલ્લી પડી
મીડિયા અહેવાલ અનુસાર વડોદરા શહેરમાં હાલ વિકાસના કામોમાં પાણી-ડ્રેનેજની લાઈનોનું કામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડતા હોવાની ફરિયાદો વધી છે. ત્યારે વડોદરા શહેરના કારેલીબાગમાં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક ભૂવો પડ્યો છે. આ મામલે અનેક વખત સ્થાનિકો દ્વારા ફરિયાદ કરાઈ હોવા છતાં કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.
મહત્વનું છે કે વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીમાં ભુવા પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે. પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી. જેના કારણે લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવતો હોય છે. આ મામલે શિવસેનાના અગ્રણીએ મીડિયા સાથે વાત કરતાં કોર્પોરેશનના તંત્રની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે.
તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગતને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.
શહેરમાં ભર ઉનાળે રસ્તા પર ભૂવો પડવાની ફરિયાદો વધી
પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં રસ્તામાં ભૂવા પડ્યા
કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીના કારણે શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો
WatchGujarat. ચોસામાની સીઝનમાં શહેરના રસ્તા પર ભૂવા પડવાની અનેક ફરિયાદો આવતી હોય છે. પરંતુ વડોદરામાં ભર ઉનાળે રસ્તા પર ભૂવા પડવાની ફરિયાદો ઉઠી રહી છે. કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં ભૂવો પડતા પાલિકાની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી છે.
મીડિયા અહેવાલ અનુસાર વડોદરા શહેરમાં હાલ વિકાસના કામોમાં પાણી-ડ્રેનેજની લાઈનોનું કામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડતા હોવાની ફરિયાદો વધી છે. ત્યારે વડોદરા શહેરના કારેલીબાગમાં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક ભૂવો પડ્યો છે. આ મામલે અનેક વખત સ્થાનિકો દ્વારા ફરિયાદ કરાઈ હોવા છતાં કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.
મહત્વનું છે કે વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીમાં ભુવા પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે. પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી. જેના કારણે લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવતો હોય છે. આ મામલે શિવસેનાના અગ્રણીએ મીડિયા સાથે વાત કરતાં કોર્પોરેશનના તંત્રની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે.
તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગતને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.