વૈકલ્પિક વ્યવસ્થા સાથે પુનવર્સન કામગીરી હાથ ધરવા કલેકટર વતી રાજ્યપાલને રજુઆત
બંદૂકની અણી અને લાઠી બતાવી મકાનો જેસીબીથી તોડી પડાયા હોવાનો અસરગ્રસ્તોએ આક્ષેપો કર્યા હતા
WatchGujarat.નેત્રંગમાં રેલવે તંત્રે 70 વર્ષ ઉપરાંતથી વસતા 368 પરિવારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેતા ભેઘર બનેલા 800 થી વધુ લોકોએ શુક્રવારે નનામી કાઢી કલેકટર કચેરી ગજવી હતી. પુનઃવસનની માંગ સાથે કલેકટરને આવેદન આપ્યું હતું.
રેલવે તંત્રે નેત્રંગમાં મેગા ડીમોલેશન હાથ ધર્યું હતું. બુલડોઝર, જેસીબીથી 5 કલાક માં જ 368 જેટલા પરિવારોની મિલ્કતો ઉપર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું. કાળઝાળ ગરમીમાં પરિવારોને નિરાધાર બનાવી અચાનક રસ્તા ઉપર લાવી દેવતા રોષ ફેલાયો હતો. આદિવાસી પટ્ટી ઉપરના ગામમાં થયેલી આકરી કાર્યવાહીના ઘેર પ્રત્યાઘાત પડયા હતા.
ડીમોલેશન બાદ નિરાધાર થયેલાં લોકોએ રાજકીય અગ્રણીઓ અને સરકાર તરફ રહેમની ગુહાર લગાવી હતી. નેતાઓ મુલાકાતે તો દોડી ગયા પણ સ્થાનિકોને અપેક્ષા હતી તેવી કોઈ સરકારી જાહેરાત કે અન્ય મદદ મળી નહિ. આખરે સ્થાનિકોએ આજે આંદોલનનું શસ્ત્ર જાતે ઉઠાવ્યું હતું.
ડીમોલેશન વખતે બતાવવામાં આવેલાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ચોખ્ખું ટાકવામાં આવ્યુ હતું કે, સરકાર અને કલેકટરે અસરગ્રસ્ત થયેલાં લોકોની દરકાર રાખવી જ પડશે પણ અહી કોઈ સહાય કે વૈકલ્પિક વ્યવસ્થા સહિતના પગલાં ભરાયા નથી તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. આજે અસરગ્રસ્તો મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ધસી ગયા હતા. રોષ સાથે પહોંચેલા અસરગ્રસ્તોએ કલેકટર કચેરીની બહારથી ગરીબીની નનામી કાઢી કલેકટર કેચેરીના પટાંગણમાં પહોંચ્યા હતા.
ગરીબીની નનામી કાઢી સ્થાનિકોએ ડિમોલિશનની કામગીરીથી અસરગ્રસ્તોને પડેલી હાલાકી તરફ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. એક તરફ ક્રૂડના આસમાને આંબતા ભાવ વચ્ચે મોંઘવારીએ માઝા મૂકી છે તો બીજી તરફ દબાણ દૂર કરવાની કાર્યવાહીના નામે અનેક પરિવારોને રોડ ઉપર લાવી દેવતા રોષ ભભૂકી ઉઠ્યો છે. ડિમોલિશન બાદ ગામમાં સ્થાનિકોની પડખે ભાજપ અને બીટીપીના નેતાઓ પહોંચ્યા હતા. નેતાઓએ રજુઆત દ્વારા સમસ્યા ઉપર સુધી પહોંચાડવા હૈયાધારણા આપી હતી પણ નેતાઓના વચન માત્ર વાતો પૂરતા માર્યાદિત દેખાયા છે.
બેઘર બનેલા લોકોએ બડાપો કાઢ્યો હતો કે, તેઓ 7 દશકથી રહેતા હતા. મારા બાપ -દાદા નું મકાન હતું. ગત 30 માર્ચે લાઠીના જોરે સમાન સાથે બુલડોઝર ફેરવી દીધું હતું. અમે વેરા અને બિલ ભરીએ છે છતાં અમને ઘરવિહોણા કરી નખાયા છે. 800 થી વધુ ઘરવિહોણા બની ગયા છે, જેઓ રોષ કલેકટર કચેરી ખાતે વ્યક્ત કરાયો હતો.
લોકોએ છાજીયા લેતા હૈયા વરાળ ઠાલવી હતી કે, અમે ગરીબ છે એટલે અમારા ઉપર અત્યાચાર કરાયા છે. અમારા પાસે ગુજરાન ચલાવવા પૈસા નથી અને હવે કઈ રીતે ફરી બેઠા થઈશું. અમારી ઘરવખરી સાથે બુલડોઝર ફેરવી દેવાયા છે.
બંદૂકની અણી અને લાઠી બતાવી મકાનો જેસીબીથી તોડી પડાયા હોવાનો અસરગ્રસ્તોએ આક્ષેપો કર્યા હતા
WatchGujarat.નેત્રંગમાં રેલવે તંત્રે 70 વર્ષ ઉપરાંતથી વસતા 368 પરિવારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેતા ભેઘર બનેલા 800 થી વધુ લોકોએ શુક્રવારે નનામી કાઢી કલેકટર કચેરી ગજવી હતી. પુનઃવસનની માંગ સાથે કલેકટરને આવેદન આપ્યું હતું.
રેલવે તંત્રે નેત્રંગમાં મેગા ડીમોલેશન હાથ ધર્યું હતું. બુલડોઝર, જેસીબીથી 5 કલાક માં જ 368 જેટલા પરિવારોની મિલ્કતો ઉપર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું. કાળઝાળ ગરમીમાં પરિવારોને નિરાધાર બનાવી અચાનક રસ્તા ઉપર લાવી દેવતા રોષ ફેલાયો હતો. આદિવાસી પટ્ટી ઉપરના ગામમાં થયેલી આકરી કાર્યવાહીના ઘેર પ્રત્યાઘાત પડયા હતા.
ડીમોલેશન બાદ નિરાધાર થયેલાં લોકોએ રાજકીય અગ્રણીઓ અને સરકાર તરફ રહેમની ગુહાર લગાવી હતી. નેતાઓ મુલાકાતે તો દોડી ગયા પણ સ્થાનિકોને અપેક્ષા હતી તેવી કોઈ સરકારી જાહેરાત કે અન્ય મદદ મળી નહિ. આખરે સ્થાનિકોએ આજે આંદોલનનું શસ્ત્ર જાતે ઉઠાવ્યું હતું.
ડીમોલેશન વખતે બતાવવામાં આવેલાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ચોખ્ખું ટાકવામાં આવ્યુ હતું કે, સરકાર અને કલેકટરે અસરગ્રસ્ત થયેલાં લોકોની દરકાર રાખવી જ પડશે પણ અહી કોઈ સહાય કે વૈકલ્પિક વ્યવસ્થા સહિતના પગલાં ભરાયા નથી તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. આજે અસરગ્રસ્તો મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ધસી ગયા હતા. રોષ સાથે પહોંચેલા અસરગ્રસ્તોએ કલેકટર કચેરીની બહારથી ગરીબીની નનામી કાઢી કલેકટર કેચેરીના પટાંગણમાં પહોંચ્યા હતા.
ગરીબીની નનામી કાઢી સ્થાનિકોએ ડિમોલિશનની કામગીરીથી અસરગ્રસ્તોને પડેલી હાલાકી તરફ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. એક તરફ ક્રૂડના આસમાને આંબતા ભાવ વચ્ચે મોંઘવારીએ માઝા મૂકી છે તો બીજી તરફ દબાણ દૂર કરવાની કાર્યવાહીના નામે અનેક પરિવારોને રોડ ઉપર લાવી દેવતા રોષ ભભૂકી ઉઠ્યો છે. ડિમોલિશન બાદ ગામમાં સ્થાનિકોની પડખે ભાજપ અને બીટીપીના નેતાઓ પહોંચ્યા હતા. નેતાઓએ રજુઆત દ્વારા સમસ્યા ઉપર સુધી પહોંચાડવા હૈયાધારણા આપી હતી પણ નેતાઓના વચન માત્ર વાતો પૂરતા માર્યાદિત દેખાયા છે.
બેઘર બનેલા લોકોએ બડાપો કાઢ્યો હતો કે, તેઓ 7 દશકથી રહેતા હતા. મારા બાપ -દાદા નું મકાન હતું. ગત 30 માર્ચે લાઠીના જોરે સમાન સાથે બુલડોઝર ફેરવી દીધું હતું. અમે વેરા અને બિલ ભરીએ છે છતાં અમને ઘરવિહોણા કરી નખાયા છે. 800 થી વધુ ઘરવિહોણા બની ગયા છે, જેઓ રોષ કલેકટર કચેરી ખાતે વ્યક્ત કરાયો હતો.
લોકોએ છાજીયા લેતા હૈયા વરાળ ઠાલવી હતી કે, અમે ગરીબ છે એટલે અમારા ઉપર અત્યાચાર કરાયા છે. અમારા પાસે ગુજરાન ચલાવવા પૈસા નથી અને હવે કઈ રીતે ફરી બેઠા થઈશું. અમારી ઘરવખરી સાથે બુલડોઝર ફેરવી દેવાયા છે.