મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં 7થી વધુ નવા ચહેરાઓને સ્થાન મળે તેવી શક્યતા, 10 મંત્રીઓના નામ લગભગ નક્કી
ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 7થી 8 પાટીદાર અને પાંચ અન્ય સવર્ણ મંત્રીઓને સ્થાન મળી શકે છે
નવા મંત્રીમંડળમાં 8 થી 10 ઓબીસી, 2 દલિત અને 2 થી 3 આદિવાસી પ્રધાન હોય શકે છે
WatchGujarat. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળની આવતી કાલે શપથવિધિ છે. જેમાં નવા સભ્યોના નામ અંગે હજી સસ્પેન્શ યથાવત છે. ત્યારે આ મંત્રીમંડળમાં સંભવિત નામોની યાદી સામે આવી છે. જેમાં શક્યતા છે કે 7 થી વધુ નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. આ યાદીમાં સામે આવેલા નામો લગભગ નક્કી જ છે. જેમાં આત્મારામ પરમાર, કિરીટસિંહ પરમાર, જગદીશ પંચાલ, રાકેશ શાહ, શશીકાંત પંડ્યા, દુષ્યંત પટેલ, નિમિષા સુથાર અને પ્રદ્યુમ્નસિંહ જાડેજા, હર્ષ સંઘવી, રાજેન્દ્ર ત્રિવેદી, ઋષિકેશ પટેલ જેવા નામ સામેલ છે. ઉલ્લેખનીય છે કે આ વખતે નો-રિપિટ થિયરી લાગુ કરાય તેવી પક્ષમાં આશંકા સેવાઈ રહી છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 7થી 8 પાટીદાર અને પાંચ અન્ય સવર્ણોને મંત્રી પદ મળે તેવી શક્યતાઓ છે. જ્યારે 8 થી 10 OBC, 2 દલિત અને 2 થી 3 આદિવાસી મંત્રી તેમની ટીમમાં સામેલ થઈ શકે છે. ઉલ્લેખનયી છે કે આ સમયે ભાજપ નો-રિપિટ થિયરી લાગુ કરે તેવી પક્ષમાં આશંકા છે. આ ઉપરાંત ગત સરકારના લગભગ તમામ પ્રધાનોને પડતા મૂકીને ગુજરાતમાં સંપૂર્ણ નવુ જ મંત્રીમંડળ રચવામાં આવશે. આ દિશામાં કામગીરી હાથ ધરાઈ હોવાની માહિતી જાણવા મળી છે. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેટલાંક નવા અને જાણિતા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. આ માટે સંભવિત નામોમાં મનીષા વકીલ, રાજેન્દ્ર ત્રિવેદી, દુષ્યંત પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, આત્મારામ પરમારનું સામેલ છે.
ભાજપનાં આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર વિજય રૂપાણીના મંત્રીમંડળમાંથી 90 ટકા લોકોને ડ્રોપ કરી દેવાય એવી શક્યતા છે. એટલું જ નહીં, જૂના ચહેરાઓ સામે એન્ટી-ઈન્કમ્બન્સી ઊભી ના થાય એ માટે અગાઉના મંત્રીમંડળમાંથી પણ ધારાસભ્યોને મંત્રી ના બનાવવા એવી પણ કવાયત ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના મંત્રીઓ બચુ ખાબડ વિભાવરીબેન દવે, કુમાર કાનાણી, રમણ પાટકર સહિતના પ્રધાનોને મંત્રી નિવાસસ્થાન ખાલી કરવા સૂચના અપાઈ. ત્યારે હવે આવતી કાલે કોણે-કોણે મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે તે અંગે અનેક અટકળો ચાલી રહી છે.
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં 7થી વધુ નવા ચહેરાઓને સ્થાન મળે તેવી શક્યતા, 10 મંત્રીઓના નામ લગભગ નક્કી
- ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 7થી 8 પાટીદાર અને પાંચ અન્ય સવર્ણ મંત્રીઓને સ્થાન મળી શકે છે
- નવા મંત્રીમંડળમાં 8 થી 10 ઓબીસી, 2 દલિત અને 2 થી 3 આદિવાસી પ્રધાન હોય શકે છે
WatchGujarat. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળની આવતી કાલે શપથવિધિ છે. જેમાં નવા સભ્યોના નામ અંગે હજી સસ્પેન્શ યથાવત છે. ત્યારે આ મંત્રીમંડળમાં સંભવિત નામોની યાદી સામે આવી છે. જેમાં શક્યતા છે કે 7 થી વધુ નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. આ યાદીમાં સામે આવેલા નામો લગભગ નક્કી જ છે. જેમાં આત્મારામ પરમાર, કિરીટસિંહ પરમાર, જગદીશ પંચાલ, રાકેશ શાહ, શશીકાંત પંડ્યા, દુષ્યંત પટેલ, નિમિષા સુથાર અને પ્રદ્યુમ્નસિંહ જાડેજા, હર્ષ સંઘવી, રાજેન્દ્ર ત્રિવેદી, ઋષિકેશ પટેલ જેવા નામ સામેલ છે. ઉલ્લેખનીય છે કે આ વખતે નો-રિપિટ થિયરી લાગુ કરાય તેવી પક્ષમાં આશંકા સેવાઈ રહી છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 7થી 8 પાટીદાર અને પાંચ અન્ય સવર્ણોને મંત્રી પદ મળે તેવી શક્યતાઓ છે. જ્યારે 8 થી 10 OBC, 2 દલિત અને 2 થી 3 આદિવાસી મંત્રી તેમની ટીમમાં સામેલ થઈ શકે છે. ઉલ્લેખનયી છે કે આ સમયે ભાજપ નો-રિપિટ થિયરી લાગુ કરે તેવી પક્ષમાં આશંકા છે. આ ઉપરાંત ગત સરકારના લગભગ તમામ પ્રધાનોને પડતા મૂકીને ગુજરાતમાં સંપૂર્ણ નવુ જ મંત્રીમંડળ રચવામાં આવશે. આ દિશામાં કામગીરી હાથ ધરાઈ હોવાની માહિતી જાણવા મળી છે. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેટલાંક નવા અને જાણિતા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. આ માટે સંભવિત નામોમાં મનીષા વકીલ, રાજેન્દ્ર ત્રિવેદી, દુષ્યંત પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, આત્મારામ પરમારનું સામેલ છે.
ભાજપનાં આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર વિજય રૂપાણીના મંત્રીમંડળમાંથી 90 ટકા લોકોને ડ્રોપ કરી દેવાય એવી શક્યતા છે. એટલું જ નહીં, જૂના ચહેરાઓ સામે એન્ટી-ઈન્કમ્બન્સી ઊભી ના થાય એ માટે અગાઉના મંત્રીમંડળમાંથી પણ ધારાસભ્યોને મંત્રી ના બનાવવા એવી પણ કવાયત ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના મંત્રીઓ બચુ ખાબડ વિભાવરીબેન દવે, કુમાર કાનાણી, રમણ પાટકર સહિતના પ્રધાનોને મંત્રી નિવાસસ્થાન ખાલી કરવા સૂચના અપાઈ. ત્યારે હવે આવતી કાલે કોણે-કોણે મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે તે અંગે અનેક અટકળો ચાલી રહી છે.