મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 24 મંત્રીઓ આવતી કાલથી રાજ્યમાં પ્રવાસ કરશે
નવા નીમાયેલા તમામ મંત્રીઓ પોતાના અને અન્ય જિલ્લામાં જન-આશીર્વાદ યાત્રા કરશે, જેનો કાર્યક્રમ જાહેર કરાયો
આ જન આશીર્વાદ યાત્રા આવતી કાલે 30 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર અને 7 ઓક્ટોબર, 10 ઓક્ટોબર સુધી યોજાશે
WatchGujarat. રાજ્ય સરકારમાં નવા નીમાયેલા મંત્રીઓએ હવે પોતાનો પદ સંભાળી લીધો છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીઓ આવતીકાલથી જન આશીર્વાદ યાત્રા કરવાના છે. જેમાં 24 મંત્રીઓ આવતીકાલથી પ્રવાસ કરશે. આ પ્રવાસ માટે મંત્રીઓના પોતાના અને અન્ય જિલ્લામાં જન-આશીર્વાદ યાત્રાનું આયોજન કરાયું છે. આ જન આશીર્વાદ યાત્રાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે આવતી કાલે 30 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર અને 7 ઓક્ટોબર, 10 ઓક્ટોબર સુધી યોજાશે. તમને દરકે મંત્રીનો કાર્યક્રમ જણાવીએ.
રાજ્ય કક્ષાના મંત્રીઓનો પ્રવાસ ક્યાં ?
પ્રાપ્ત વિગતો અનુસાર મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી 30 સપ્ટેબરે ખેડા, 1 ઓક્ટોબરે વડોદરા જિલ્લો અને 2 ઓક્ટોબરે વડોદરા શહેર (રાવપુરા અને સયાજીગંજ વિધાનસભા)નો પ્રવાસ કરશે. જ્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી 03 ઓક્ટોબરે મજુરા, 07 ઓક્ટોબરે વડોદરા શહેર (અકોટા વિધાનસભા), અને 8 ઓક્ટોબરે અમદાવાદ શહેરમાં જન આશીર્વાદ યાત્રા કરશે. જ્યારે શિક્ષણમંત્રી જીતેન્દ્ર વાઘાણી 3 ઓક્ટોબરે ભાવનગર પશ્ચિમ, 7 ઓક્ટોબરે રાજકોટ જીલ્લો અને 8 ઓક્ટોબરે રાજકોટ શહેરનો પ્રવાસ કરશે. આ ઉપરાંત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ 3 ઓક્ટોબરે વિસનગર, 7 ઓક્ટોબરે ગાંધીનગર જિલ્લો અને 8 ઓક્ટોબરે અમદાવાદ જિલ્લાનો પ્રવાસ કરશે.
આ સાથે રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશ મોદી 3 ઓક્ટોબરે સુરત પશ્ચિમ, 7 ઓક્ટોબરે ભરુચ અને 8 ઓક્ટોબરે નર્મદા જિલ્લાનો પ્રવાસ કરશે. મળતી માહિતી અનુસાર કૃષિમંત્રી રાઘવજી પટેલ 3 ઓક્ટોબરે જામનગર ગ્રામ્ય, 7 ઓક્ટોબરે દેવભૂમિ દ્વારકા અને 8 ઓક્ટોબરે જુનાગઢ શહેરનો અને આરોગ્યમંત્રી કનુ દેસાઇ 7 ઓક્ટોબરે નવસારી, 8 ઓક્ટોબરે સુરત શહેર અને 9 ઓક્ટોબરે પારડીનો પ્રવાસ કરશે. તમને જણાવી દઈએ કે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા 3 ઓક્ટોબરે લીમડી, 7 ઓક્ટોબરે જામનગર જીલ્લો અને 8 ઓક્ટોબરે જામનગર શહેરમાં જન આશીર્વાદ યાત્રા કરશે. તેમજ પુરવઠા મંત્રી નરેશ પટેલ 3 ઓક્ટોબરે સુરત જીલ્લો, 1 ઓક્ટોબરે વલસાડ જિલ્લાનો અને 2 ઓક્ટોબરે નવસારી જિલ્લાનો પ્રવાસ કરવાના છે.
મહત્વનું છે કે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. ત્યારે રાજ્યના મંત્રીઓની આ જન આશીર્વાદ યાત્રા ભાજપ માટે ચૂંટણીમાં ફાયદાકારક રહેશે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર 7 ઓક્ટોબરે બનાસકાંઠા,8 ઓક્ટોબરે કચ્છ અને 10 ઓક્ટોબરે અસારવા ખાતે જનતાને સંબોધશે. જ્યારે ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ 3 ઓક્ટોબરે મહેમદાબાદ,7 ઓક્ટોબરે આણંદ અને 8 ઓક્ટોબરે પંચમહાલ જિલ્લાનો પ્રવાસ કરશે. આ ઉપરાંત જગદીશ પંચાલ 7 ઓક્ટોબરે ખેડા, 8 ઓક્ટોબરે ગાંધીનગર અને 9 ઓક્ટોબરે નિકોલ વિધાનસભાનો પ્રવાસ કરશે. તેમજ બ્રિજેશ મેરજા 3 ઓક્ટોબરે મોરબી, 7 ઓક્ટોબરે પોરબંદર અને 8 ઓક્ટોબરે સુરેન્દ્રનગર જિલ્લાનો અને જીતુ ચૌધરી 30 સપ્ટેબરે તાપી, 1ઓક્ટોબરે સુરત જીલ્લો અને 2 ઓક્ટોબરે ડાંગ 3 ઓક્ટોબરે કપરાડાનો પ્રવાસ કરશે. નવા મંત્રી મંડળમાં સામેલ મનીષાબેન વકીલ 30 સપ્ટેમ્બરે મહીસાગર, 1 ઓક્ટોબરે આણંદ, 2 ઓક્ટોબરે વડોદરા શહેર (વાડી શહેર અને માંજલપુર) પ્રવાસ કરી જનતાને સંબોધશે.
ઉપરાંત મુકેશ પટેલ 3 ઓક્ટોબરે ઓલપાડ, 7 ઓક્ટોબરે વલસાડ અને 8 ઓક્ટોબરે નવસારી જિલ્લામાં અને નિમિષાબેન સુથાર 30 સપ્ટેમ્બરે છોટા-ઉદેપુર, 1 ઓક્ટોબરે પંચમહાલ, 2 ઓક્ટોબરે મોરવા હડફનો પ્રવાસ કરશે. જન આશિર્વાદ યાત્રાના આયોજન મુજબ અરવિંદ રૈયાણી 3 ઓક્ટોબરે રાજકોટ પૂર્વ, 7 ઓક્ટોબરે મોરબી અને 8 ઓક્ટોબરે બોટાદ જિલ્લાનો પ્રવાસ કરશે. જ્યારે ડૉ.કુબેર ડિંડોર 30 સપ્ટેમ્બરે અરવલ્લી, 1 ઓક્ટોબરે દાહોદ અને 2 ઓક્ટોબરે સંતરામપૂર ખાતેની જન આશીર્વાદ યાત્રામાં ઉપસ્થિત રહેશે. કીર્તિસિંહ વાઘેલા 30 સપ્ટેબરે સાબરકાંઠા, 1 ઓક્ટોબરે મહેસાણા અને 2 ઓક્ટોબરે કાંકરેજ જિલ્લા ખાતે પ્રવાસ કરશે. તેમજ ગજેન્દ્રસિંહ પરમાર 30 સપ્ટેબરે પાટણ,1 ઓક્ટોબરે બનાસકાંઠા અને 2 ઓક્ટોબરે પ્રાંતિજ જિલ્લાનો પ્રવાસ કરશે.
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 24 મંત્રીઓ આવતી કાલથી રાજ્યમાં પ્રવાસ કરશે
- નવા નીમાયેલા તમામ મંત્રીઓ પોતાના અને અન્ય જિલ્લામાં જન-આશીર્વાદ યાત્રા કરશે, જેનો કાર્યક્રમ જાહેર કરાયો
- આ જન આશીર્વાદ યાત્રા આવતી કાલે 30 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર અને 7 ઓક્ટોબર, 10 ઓક્ટોબર સુધી યોજાશે
WatchGujarat. રાજ્ય સરકારમાં નવા નીમાયેલા મંત્રીઓએ હવે પોતાનો પદ સંભાળી લીધો છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીઓ આવતીકાલથી જન આશીર્વાદ યાત્રા કરવાના છે. જેમાં 24 મંત્રીઓ આવતીકાલથી પ્રવાસ કરશે. આ પ્રવાસ માટે મંત્રીઓના પોતાના અને અન્ય જિલ્લામાં જન-આશીર્વાદ યાત્રાનું આયોજન કરાયું છે. આ જન આશીર્વાદ યાત્રાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે આવતી કાલે 30 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર અને 7 ઓક્ટોબર, 10 ઓક્ટોબર સુધી યોજાશે. તમને દરકે મંત્રીનો કાર્યક્રમ જણાવીએ.
રાજ્ય કક્ષાના મંત્રીઓનો પ્રવાસ ક્યાં ?
પ્રાપ્ત વિગતો અનુસાર મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી 30 સપ્ટેબરે ખેડા, 1 ઓક્ટોબરે વડોદરા જિલ્લો અને 2 ઓક્ટોબરે વડોદરા શહેર (રાવપુરા અને સયાજીગંજ વિધાનસભા)નો પ્રવાસ કરશે. જ્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી 03 ઓક્ટોબરે મજુરા, 07 ઓક્ટોબરે વડોદરા શહેર (અકોટા વિધાનસભા), અને 8 ઓક્ટોબરે અમદાવાદ શહેરમાં જન આશીર્વાદ યાત્રા કરશે. જ્યારે શિક્ષણમંત્રી જીતેન્દ્ર વાઘાણી 3 ઓક્ટોબરે ભાવનગર પશ્ચિમ, 7 ઓક્ટોબરે રાજકોટ જીલ્લો અને 8 ઓક્ટોબરે રાજકોટ શહેરનો પ્રવાસ કરશે. આ ઉપરાંત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ 3 ઓક્ટોબરે વિસનગર, 7 ઓક્ટોબરે ગાંધીનગર જિલ્લો અને 8 ઓક્ટોબરે અમદાવાદ જિલ્લાનો પ્રવાસ કરશે.
આ સાથે રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશ મોદી 3 ઓક્ટોબરે સુરત પશ્ચિમ, 7 ઓક્ટોબરે ભરુચ અને 8 ઓક્ટોબરે નર્મદા જિલ્લાનો પ્રવાસ કરશે. મળતી માહિતી અનુસાર કૃષિમંત્રી રાઘવજી પટેલ 3 ઓક્ટોબરે જામનગર ગ્રામ્ય, 7 ઓક્ટોબરે દેવભૂમિ દ્વારકા અને 8 ઓક્ટોબરે જુનાગઢ શહેરનો અને આરોગ્યમંત્રી કનુ દેસાઇ 7 ઓક્ટોબરે નવસારી, 8 ઓક્ટોબરે સુરત શહેર અને 9 ઓક્ટોબરે પારડીનો પ્રવાસ કરશે. તમને જણાવી દઈએ કે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા 3 ઓક્ટોબરે લીમડી, 7 ઓક્ટોબરે જામનગર જીલ્લો અને 8 ઓક્ટોબરે જામનગર શહેરમાં જન આશીર્વાદ યાત્રા કરશે. તેમજ પુરવઠા મંત્રી નરેશ પટેલ 3 ઓક્ટોબરે સુરત જીલ્લો, 1 ઓક્ટોબરે વલસાડ જિલ્લાનો અને 2 ઓક્ટોબરે નવસારી જિલ્લાનો પ્રવાસ કરવાના છે.
મહત્વનું છે કે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. ત્યારે રાજ્યના મંત્રીઓની આ જન આશીર્વાદ યાત્રા ભાજપ માટે ચૂંટણીમાં ફાયદાકારક રહેશે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર 7 ઓક્ટોબરે બનાસકાંઠા,8 ઓક્ટોબરે કચ્છ અને 10 ઓક્ટોબરે અસારવા ખાતે જનતાને સંબોધશે. જ્યારે ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ 3 ઓક્ટોબરે મહેમદાબાદ,7 ઓક્ટોબરે આણંદ અને 8 ઓક્ટોબરે પંચમહાલ જિલ્લાનો પ્રવાસ કરશે. આ ઉપરાંત જગદીશ પંચાલ 7 ઓક્ટોબરે ખેડા, 8 ઓક્ટોબરે ગાંધીનગર અને 9 ઓક્ટોબરે નિકોલ વિધાનસભાનો પ્રવાસ કરશે. તેમજ બ્રિજેશ મેરજા 3 ઓક્ટોબરે મોરબી, 7 ઓક્ટોબરે પોરબંદર અને 8 ઓક્ટોબરે સુરેન્દ્રનગર જિલ્લાનો અને જીતુ ચૌધરી 30 સપ્ટેબરે તાપી, 1ઓક્ટોબરે સુરત જીલ્લો અને 2 ઓક્ટોબરે ડાંગ 3 ઓક્ટોબરે કપરાડાનો પ્રવાસ કરશે. નવા મંત્રી મંડળમાં સામેલ મનીષાબેન વકીલ 30 સપ્ટેમ્બરે મહીસાગર, 1 ઓક્ટોબરે આણંદ, 2 ઓક્ટોબરે વડોદરા શહેર (વાડી શહેર અને માંજલપુર) પ્રવાસ કરી જનતાને સંબોધશે.
ઉપરાંત મુકેશ પટેલ 3 ઓક્ટોબરે ઓલપાડ, 7 ઓક્ટોબરે વલસાડ અને 8 ઓક્ટોબરે નવસારી જિલ્લામાં અને નિમિષાબેન સુથાર 30 સપ્ટેમ્બરે છોટા-ઉદેપુર, 1 ઓક્ટોબરે પંચમહાલ, 2 ઓક્ટોબરે મોરવા હડફનો પ્રવાસ કરશે. જન આશિર્વાદ યાત્રાના આયોજન મુજબ અરવિંદ રૈયાણી 3 ઓક્ટોબરે રાજકોટ પૂર્વ, 7 ઓક્ટોબરે મોરબી અને 8 ઓક્ટોબરે બોટાદ જિલ્લાનો પ્રવાસ કરશે. જ્યારે ડૉ.કુબેર ડિંડોર 30 સપ્ટેમ્બરે અરવલ્લી, 1 ઓક્ટોબરે દાહોદ અને 2 ઓક્ટોબરે સંતરામપૂર ખાતેની જન આશીર્વાદ યાત્રામાં ઉપસ્થિત રહેશે. કીર્તિસિંહ વાઘેલા 30 સપ્ટેબરે સાબરકાંઠા, 1 ઓક્ટોબરે મહેસાણા અને 2 ઓક્ટોબરે કાંકરેજ જિલ્લા ખાતે પ્રવાસ કરશે. તેમજ ગજેન્દ્રસિંહ પરમાર 30 સપ્ટેબરે પાટણ,1 ઓક્ટોબરે બનાસકાંઠા અને 2 ઓક્ટોબરે પ્રાંતિજ જિલ્લાનો પ્રવાસ કરશે.