સી.આર.પાટીલે એક નવી સુંદર પ્રણાલી શરૂ કરી છે ઃ નિતીન પટેલ
હવે સ્ટેજ પર માત્ર સ્પીચ જ આપનાર નેતા ચઢશે
બાકીનાં સી.આર.પાટીલ સહિતનાં તમામ નેતાઓ મંચની સામે નીચે બેસશે
WatchGujarat.વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં સંવિધાન ગૌરવયાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ભાજપમાં નવા ટ્રેન્ડની ઝાંખી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ નિતીન પટેલ હાજર રહ્યા હતા.આ તકે નીતિન પટેલે સી.આર.પાટીલનાં કામની પ્રશંસા કરી હતી.
કાર્યક્રયમાં હાજર રહેલા નીતિન પટેલે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ. કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એક નવી સુંદર પ્રણાલી શરૂ કરી છે. હવે નેતાઓ સ્ટેજ પર નહીં પરંતુ લોકો વચ્ચે બેસશે. હવે સ્ટેજ પર માત્ર સ્પીચ જ આપનાર નેતા ચઢશે. કેન્દ્રમાંથી કોઇ નેતા આવ્યા હોય,કોઇ મહેમાન હોય કે પક્ષના કોઇ વરિષ્ઠ નેતા આવ્યા હોય તેઓને જ મંચ ઉપર સ્થાન આપવાનું બાકીનાં સી.આર.પાટીલ સહિતનાં તમામ નેતાઓ મંચની સામે નીચે બેસે છે. જેનું અનુકરણ વડનગરમાં જોવા મળ્યું. પૂર્વ ગૃહમંત્રી નીતિન પટેલે આ નિયમની સુંદર પ્રણાલી ગણાવી હતી.
આ સાથે સી.આર.પાટીલે સભાને સંબોધતા વિપક્ષ પર પ્રહાર કર્યા અને કહ્યું કે અનેક પાર્ટીઓએ ડૉ.બાબા સાહેબની મહાનતાને દબાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અન્યાયને મોદી સાહેબે ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો. પાટીલે કહ્યું કે અમુક પાર્ટીના કેટલાક લોકોએ પોતાના લોકોને મોટા કરવા બાબા સાહેબને દબાવવાનો પ્રયત્ન કર્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં ભાજપ દ્વારા સંવિધાન દિવસના રોજથી ગૌરવયાત્રા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં 26 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ યાત્રાને શરુ કરવામાં આવી હતી. તો પ્રદેશ પ્રમુખ પાટીલના હસ્તે 6 ડિસેમ્બરે આ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું.
- સી.આર.પાટીલે એક નવી સુંદર પ્રણાલી શરૂ કરી છે ઃ નિતીન પટેલ
- હવે સ્ટેજ પર માત્ર સ્પીચ જ આપનાર નેતા ચઢશે
- બાકીનાં સી.આર.પાટીલ સહિતનાં તમામ નેતાઓ મંચની સામે નીચે બેસશે
WatchGujarat.વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં સંવિધાન ગૌરવયાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ભાજપમાં નવા ટ્રેન્ડની ઝાંખી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ નિતીન પટેલ હાજર રહ્યા હતા.આ તકે નીતિન પટેલે સી.આર.પાટીલનાં કામની પ્રશંસા કરી હતી.
કાર્યક્રયમાં હાજર રહેલા નીતિન પટેલે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ. કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એક નવી સુંદર પ્રણાલી શરૂ કરી છે. હવે નેતાઓ સ્ટેજ પર નહીં પરંતુ લોકો વચ્ચે બેસશે. હવે સ્ટેજ પર માત્ર સ્પીચ જ આપનાર નેતા ચઢશે. કેન્દ્રમાંથી કોઇ નેતા આવ્યા હોય,કોઇ મહેમાન હોય કે પક્ષના કોઇ વરિષ્ઠ નેતા આવ્યા હોય તેઓને જ મંચ ઉપર સ્થાન આપવાનું બાકીનાં સી.આર.પાટીલ સહિતનાં તમામ નેતાઓ મંચની સામે નીચે બેસે છે. જેનું અનુકરણ વડનગરમાં જોવા મળ્યું. પૂર્વ ગૃહમંત્રી નીતિન પટેલે આ નિયમની સુંદર પ્રણાલી ગણાવી હતી.
આ સાથે સી.આર.પાટીલે સભાને સંબોધતા વિપક્ષ પર પ્રહાર કર્યા અને કહ્યું કે અનેક પાર્ટીઓએ ડૉ.બાબા સાહેબની મહાનતાને દબાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અન્યાયને મોદી સાહેબે ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો. પાટીલે કહ્યું કે અમુક પાર્ટીના કેટલાક લોકોએ પોતાના લોકોને મોટા કરવા બાબા સાહેબને દબાવવાનો પ્રયત્ન કર્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં ભાજપ દ્વારા સંવિધાન દિવસના રોજથી ગૌરવયાત્રા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં 26 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ યાત્રાને શરુ કરવામાં આવી હતી. તો પ્રદેશ પ્રમુખ પાટીલના હસ્તે 6 ડિસેમ્બરે આ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું.