સમગ્ર ઘટનામાં જીવ, જળ અને પર્યાવરણને નુકશાન તેમજ વળતરનો 4 મહિનામાં રિપોર્ટ આપવા આદેશ
સચિન GIDC માં ગેસકાંડમાં 6 કામદારોના મોત અને 25 ને અસર થઈ હતી
તપાસ માટે જોઈન્ટ કમિટીમાં ફોર્મર ચીફ જસ્ટિસ બી સી પટેલ, પર્યાવરણ મંત્રાલય, CPCB, GPCB, ઔધોગિક વિભાગ, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેનટ, સુરત SSP, કેમિકલ એન્જિનિરીગ IIT ના સભ્યો અને જિલ્લા કલેકટરનો સમાવેશ
WatchGujarat.સુરતની સચિન GIDC માં ખાડીમાં ઝેરી કેમિકલનો બારોબાર નિકાલની ઘટનામાં સર્જાયેલા ગેસકાંડમાં 6 કામદારોના મોત અને 25 ને અસરમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તપાસ માટે 9 સભ્યોની જોઈન્ટ કમિટી બનાવી 4 મહિનામાં સંલગ્ન તમામ રિપોર્ટ કરવા સૂચન કર્યું છે.
સચિન GIDC માં ગત 6 જાન્યુઆરીના રોજ પ્રદૂષિત કેમિકલ ટેન્કર ખાડીમાં નાખતા થયેલી દુર્ધટનામાં 6 લોકોના મૃત્યુ થયા હતા. ગેસની અસરથી 25 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ટેન્કરમાંનું રસાયણ આલ્કલાઇન હતું. જ્યારે ખાડીમાંનું રસાયણ એસીડીક હતું. જેથી બંને વચ્ચે પ્રક્રિયા થઈ સાઈનાઇડ અને સલ્ફર યુક્ત ગેસ બન્યા હતા.
નજીકની વિશ્વાપ્રેમ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલના કામદારોના મૃત્યુ અને ઝેરી ગેસની અસર થઈ હતી. ટેન્કરમાં આવેલુ કેમિકલ ખૂબ જ જોખમી હતું. જેનું પીએચ લગભગ 14 આલ્કલાઇન હતું અને ખાડીનું PH લગભગ 1 થી નીચે એટલે એસીડીક હતું. જેને લીધે એસિડ બેસ પ્રક્રિયા થઈ સાઈનાઇડ તેમજ સલ્ફાઇડ ગેસો બન્યા હતા. અને કામદારોના મરણ થયા હતા.
જેના લઈને NGT નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ વેસ્ટ ઝોનમાં ઑએ નં. ઓએ 05/2022 થી કેસ દાખલ કરાયો હતો. જે કેસમાં 16 જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરાઈ હતી. CPCB એ આ દુર્ઘટના બાબતે ટ્રિબ્યુનલમાં ટેન્કરમાંથી નીકળેલ કેમિકલ પ્રદૂષણ અને તેના મીંઢોળા નદી સુધી ફેલાવાને રિપોર્ટ સ્વરૂપે મુક્યા હતા.
NGT દ્વારા 18 મી એ અંતિમ ચુકાદો આપવામાં આવ્યો છે. જે મુજબ 9 અધિકારીઓની જોઇન્ટ કમિટી બનાવવામાં આવી છે. જેમાં ફોર્મર ચીફ જસ્ટિસ બી સી પટેલ, પર્યાવરણ મંત્રાલયના સભ્ય, સીપીસીબીના સભ્ય, GPCBના સભ્ય, ઔધોગિક વિભાગના સભ્ય, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના સભ્ય, એસએસપી સુરત, કેમિકલ એન્જિનિરીગ વિભાગ આઈઆઈટી ના સભ્ય અને જિલ્લા કલેકટર સુરતનો સમાવેશ કરાયો છે.
આ દુર્ઘટનામાં પર્યાવરણ તેમજ લોકોના જીવનને થયેલી નુકશાનનું નિરીક્ષણ કરીને વળતર આપવા માટે કહેવામાં આવ્યું છે. સમિતિ આ દુર્ઘટના માટે જવાબદાર, ઘટનાઓનો ક્રમ, તેના કારણો, જવાબદાર વ્યક્તિઓ અને અધિકારીઓ નિષ્ફળતાની તપાસ કરશે. સાથે જ નુકસાનની માત્રા, જીવસૃષ્ટિને નુકશાન, પર્યાવરણને નુકશાન, પીડિતોના વળતર અને પુનઃસ્થાપન માટે પગલાં, પર્યાવરણ પુનઃ સ્થાપન ખર્ચ, દુર્ઘટના અટકાવવા માટે ઉપચારાત્મક પગલા, અન્ય કોઈ આકસ્મિક અથવા સંલગ્ન મુદ્દાઓ બાબતે પણ તપાસ કરશે.
જેમાં કાંસમાં મોજૂદ એસિડની હાજરીની પણ તપાસ કરવામાં આવશે. જેની નોડલ એજન્સી સીપીસીબી રહેશે અને જીપીસીબી કોઓર્ડિનેશન અને કોમ્પલાયન્સ કરશે. બે મહિનામાં રિપોર્ટ આપશે. સુરત જિલ્લા કલેકટર વળતર વસૂલાત અને પુનઃ સ્થાપન કાર્ય કરશે.
મુખ્ય સચિવ, ગુજરાત રાજ્યમાં જોખમી કચરા વ્યવસ્થાપન નિયમો, 2016નું પાલન અને સ્થિતિની સમીક્ષા કરશે અને સંબંધિત અધિકારીઓ સાથે સંકલનમાં રહી ખામીઓ દૂર કરવા પગલાં ભરશે. સીપીસીબી, જીપીસીબી, જિલ્લા મેજિસ્ટ્રેટ સુરત અને મુખ્ય સચિવ આ કાર્યવાહીનો અહેવાલ 4 મહિનાની અંદર રજિસ્ટ્રાર એનજીટીમાં દાખલ કરશે તેમ NGT માં કેસ દાખલ કરનાર સુરતની
સમગ્ર ઘટનામાં જીવ, જળ અને પર્યાવરણને નુકશાન તેમજ વળતરનો 4 મહિનામાં રિપોર્ટ આપવા આદેશ
સચિન GIDC માં ગેસકાંડમાં 6 કામદારોના મોત અને 25 ને અસર થઈ હતી
તપાસ માટે જોઈન્ટ કમિટીમાં ફોર્મર ચીફ જસ્ટિસ બી સી પટેલ, પર્યાવરણ મંત્રાલય, CPCB, GPCB, ઔધોગિક વિભાગ, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેનટ, સુરત SSP, કેમિકલ એન્જિનિરીગ IIT ના સભ્યો અને જિલ્લા કલેકટરનો સમાવેશ
WatchGujarat.સુરતની સચિન GIDC માં ખાડીમાં ઝેરી કેમિકલનો બારોબાર નિકાલની ઘટનામાં સર્જાયેલા ગેસકાંડમાં 6 કામદારોના મોત અને 25 ને અસરમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તપાસ માટે 9 સભ્યોની જોઈન્ટ કમિટી બનાવી 4 મહિનામાં સંલગ્ન તમામ રિપોર્ટ કરવા સૂચન કર્યું છે.
સચિન GIDC માં ગત 6 જાન્યુઆરીના રોજ પ્રદૂષિત કેમિકલ ટેન્કર ખાડીમાં નાખતા થયેલી દુર્ધટનામાં 6 લોકોના મૃત્યુ થયા હતા. ગેસની અસરથી 25 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ટેન્કરમાંનું રસાયણ આલ્કલાઇન હતું. જ્યારે ખાડીમાંનું રસાયણ એસીડીક હતું. જેથી બંને વચ્ચે પ્રક્રિયા થઈ સાઈનાઇડ અને સલ્ફર યુક્ત ગેસ બન્યા હતા.
નજીકની વિશ્વાપ્રેમ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલના કામદારોના મૃત્યુ અને ઝેરી ગેસની અસર થઈ હતી. ટેન્કરમાં આવેલુ કેમિકલ ખૂબ જ જોખમી હતું. જેનું પીએચ લગભગ 14 આલ્કલાઇન હતું અને ખાડીનું PH લગભગ 1 થી નીચે એટલે એસીડીક હતું. જેને લીધે એસિડ બેસ પ્રક્રિયા થઈ સાઈનાઇડ તેમજ સલ્ફાઇડ ગેસો બન્યા હતા. અને કામદારોના મરણ થયા હતા.
જેના લઈને NGT નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ વેસ્ટ ઝોનમાં ઑએ નં. ઓએ 05/2022 થી કેસ દાખલ કરાયો હતો. જે કેસમાં 16 જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરાઈ હતી. CPCB એ આ દુર્ઘટના બાબતે ટ્રિબ્યુનલમાં ટેન્કરમાંથી નીકળેલ કેમિકલ પ્રદૂષણ અને તેના મીંઢોળા નદી સુધી ફેલાવાને રિપોર્ટ સ્વરૂપે મુક્યા હતા.
NGT દ્વારા 18 મી એ અંતિમ ચુકાદો આપવામાં આવ્યો છે. જે મુજબ 9 અધિકારીઓની જોઇન્ટ કમિટી બનાવવામાં આવી છે. જેમાં ફોર્મર ચીફ જસ્ટિસ બી સી પટેલ, પર્યાવરણ મંત્રાલયના સભ્ય, સીપીસીબીના સભ્ય, GPCBના સભ્ય, ઔધોગિક વિભાગના સભ્ય, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના સભ્ય, એસએસપી સુરત, કેમિકલ એન્જિનિરીગ વિભાગ આઈઆઈટી ના સભ્ય અને જિલ્લા કલેકટર સુરતનો સમાવેશ કરાયો છે.
આ દુર્ઘટનામાં પર્યાવરણ તેમજ લોકોના જીવનને થયેલી નુકશાનનું નિરીક્ષણ કરીને વળતર આપવા માટે કહેવામાં આવ્યું છે. સમિતિ આ દુર્ઘટના માટે જવાબદાર, ઘટનાઓનો ક્રમ, તેના કારણો, જવાબદાર વ્યક્તિઓ અને અધિકારીઓ નિષ્ફળતાની તપાસ કરશે. સાથે જ નુકસાનની માત્રા, જીવસૃષ્ટિને નુકશાન, પર્યાવરણને નુકશાન, પીડિતોના વળતર અને પુનઃસ્થાપન માટે પગલાં, પર્યાવરણ પુનઃ સ્થાપન ખર્ચ, દુર્ઘટના અટકાવવા માટે ઉપચારાત્મક પગલા, અન્ય કોઈ આકસ્મિક અથવા સંલગ્ન મુદ્દાઓ બાબતે પણ તપાસ કરશે.
જેમાં કાંસમાં મોજૂદ એસિડની હાજરીની પણ તપાસ કરવામાં આવશે. જેની નોડલ એજન્સી સીપીસીબી રહેશે અને જીપીસીબી કોઓર્ડિનેશન અને કોમ્પલાયન્સ કરશે. બે મહિનામાં રિપોર્ટ આપશે. સુરત જિલ્લા કલેકટર વળતર વસૂલાત અને પુનઃ સ્થાપન કાર્ય કરશે.
મુખ્ય સચિવ, ગુજરાત રાજ્યમાં જોખમી કચરા વ્યવસ્થાપન નિયમો, 2016નું પાલન અને સ્થિતિની સમીક્ષા કરશે અને સંબંધિત અધિકારીઓ સાથે સંકલનમાં રહી ખામીઓ દૂર કરવા પગલાં ભરશે. સીપીસીબી, જીપીસીબી, જિલ્લા મેજિસ્ટ્રેટ સુરત અને મુખ્ય સચિવ આ કાર્યવાહીનો અહેવાલ 4 મહિનાની અંદર રજિસ્ટ્રાર એનજીટીમાં દાખલ કરશે તેમ NGT માં કેસ દાખલ કરનાર સુરતની