રાજ્યભરમાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ
રખડતાં ઢોરની સમસ્યાનું નિવારણ લાવવા અમદાવાદ પોલીસે લીધો મહત્વનો નિર્ણય
રાજ્યમાં પહેલી વખત અમદાવાદમાં પોલીસે નો-કેટલ ઝોન જાહેર કર્યો, ઢોર રસ્તે રઝળતા હશે તો પોલીસ એફઆઈઆર થશે
શહેર ટ્રાફિક પોલીસે પશ્ચિમ વિસ્તારના 10 વિસ્તારને પ્રાયોગિક ધોરણે નો-કેટલ ઝોન જાહેર કર્યા
WatchGujarat. રસ્તે રખડતા ઢોરની સમસ્યા રાજ્યભરમાં દિવસેને દિવસે વધી રહ્યા છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં રખડતાં ઢોરઢાંખરના કારણે ગંદકી, અકસ્માત અને ટ્રાફિક ન્યૂસન્સ જેવી સમસ્યાઓ વધી રહી છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસે આ સમસ્યાના નિવારણ તરીકે એક મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ પોલીસ દ્વારા તાજેતરમાં એક જાહેરનામૂ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ શહેર ટ્રાફિક પોલીસે પશ્ચિમ વિસ્તારના 10 વિસ્તારને પ્રાયોગિક ધોરણે નો-કેટલ ઝોન જાહેર કર્યા છે.
રાજ્યમાં પહેલી વખત જ અમદાવાદમાં પોલીસે નો-કેટલ ઝોન જાહેર કર્યો છે. જેમાં આશ્રમ રોડ, નવરંગપુરા, યુનિવર્સિટી, ઉસ્માનપુરા, એલીસબ્રિજ, ગુલબાઈ ટેકરા, લો ગાર્ડન અને નારણપુરા સહિતના વિસ્તારોને સાંકળવામાં આવ્યા છે. આ વિસ્તારમાં નો-કેટલ ઝોન જાહેરનામું 18 ડિસેમ્બર, શનિવાર રાતે 12 વાગ્યાથી અમલી બની ચૂક્યું છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આજે, તા. 18ના રોજ જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામામાં જણાવાયું છે કે, જાહેરમાં રખડતા ઢોરનો ઉપદ્રવ કેટલાક સમયથી વધી ગયો છે. ભૂતકાળમાં આ પ્રકારે રખડતા ઢોરને કારણે માર્ગ અકસ્માતમાં વ્યક્તિઓના મૃત્યુ નિજપ્યા છે. રખડતા ઢોરના કારણે લોકોમાં ત્રાસ, ભયનું વાતાવરણ ઉભું થયું છે. આ પ્રકારના ભય અને ત્રાસને દૂર કરવા અને ઢોરને રખડતા કરવાની પ્રવતિને કાબુમાં લઈ માર્ગ અકસ્માત નિવારવા કાયમી નિરાકરણ લાવવું પણ જરૂરી છે.
અમદાવાદ શહેર હકુમત હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા તમામ ઢોરના માલિક ગોપાલકોએ 60 દિવસમાં તમામ ઢોરને મ્યુનિ. લગાડવામાં આવનાર ટેપ તથા ચીપ લગાવેલા ઢોરની માલિકી બદલાય તો તેની જાણ કરવાની રહે છે. એ જ રીતે ઢોરનું મરણ થાય તો તેની જાણ પણ તેના માલિકે મ્યુનિ.ને કરવાની રહે છે તેવા જાહેરનામા અમલમાં છે. અમદાવાદમાં જાહેર સૃથળો તેમજ રસ્તા પર ઘાસચારાનું વેચાણ કરવા તેમજ ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવાયેલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રખડતા પશુના કારણે વાહનચાલકો, બાળકો, વૃધૃધોને શિંગડું મારવાથી નુકસાન થવાના બનાવો અનેક વખત સામે આવ્યા છે. એટલું જ નહીં શહેરમાં રખડતાં પશુઓના કારણે ગંદકી, ભયજનક વાતાવરણ ઉભું કરવા, ટ્રાફિક ન્યુસન્સ અને ફૂલછોડ, પ્લાન્ટેશનને નુકસાનથી ગ્રીન-પેચ ડેવલપમેન્ટમાં મુશ્કેલી ઉભી થાય છે. આ બાબતોને ધ્યાનમાં લઈને પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડના નીચે જણાવેલા વિસ્તારોને કેટલ ફ્રી એરિયા, નો-કેટલ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ વિસ્તારોને નો-કેટલ ઝોન તરીકે જાહેર કરાયા
ઉસ્માનપુરા નિધિ હોસ્ટલ સામેથી સમાંતર ગાંધીબ્રીજ
નહેરૂબ્રીજથી વિવેકાનંદ બ્રીજ સુધીનો પશ્ચિમ રિવરફ્રન્ટ રોડથી શહેરી રહેણાંક અને વ્યાવસાયિક વિસ્તારમાં ટાઉન હોલ પાંચ રસ્તા
માદલપુર ગરનાળાથી પરીમર ગાર્ડન ચાર રસ્તા, પંચવટી પાંચ રસ્તા
ગુલબાઈ ટેકરા રોડથી પાસપોર્ટ ઓફિસ ત્રણ રસ્તાથી સેપ્ટ યુનિ, દાદા સાહેબ પગલા ચાર રસ્તા, વિજય ચાર રસ્તા, દર્પણ પાંચ રસ્તા, નવરંગ છ રસ્તા
સરદાર પટેલ બાવલા ચાર રસ્તાથી રેલવે લાઈન થઈ આશ્રમ રોડ ક્રોસ કરી રિવરફ્રન્ટ સુધીનો વિસ્તાર
સરદાર પટેલ સ્ટેડિયમથી પરીમલ ગાર્ડન સુધીનો સીજી રોડ
સ્ટેડીયમથી ઈનકમટેક્સ સુધીનો આશ્રમ રોડ થઈ રિવરફ્રન્ટ રોડ
અમદાવાદ પોલીસ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ ઉપર જણાવેલા વિસ્તારોમાં પશુપાલક કે પશુના માલિક પોતાનું પશુ જાહેરમાં રખડતું મુકશે તો પોલીસ હવેથી મ્યુનિ.ના ઢોર ત્રાસ અંકુશ વિભાગના સંકલનમાં રહી જાહેરનામા ભંગ બદલનો ગુનો નોંધી કાર્યવાહી કરશે. તેમજ તા. 19 ડિસેમ્બરના રાતે 12 કલાકથી બીજો હૂકમ ન થાય ત્યાં સુધી નો કેટલ ઝોનનું જાહેરનામું અમલમાં રહેશે. શહેરના રસ્તાઓ પર નિરકુંશ બનેલા ઢોરના ત્રાસના નિવારણ માટે ગુજરાતમાં પહેલી વખત આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાનું શહેર પોલીસે જણાવ્યું હતું.
રાજ્યભરમાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ
રખડતાં ઢોરની સમસ્યાનું નિવારણ લાવવા અમદાવાદ પોલીસે લીધો મહત્વનો નિર્ણય
રાજ્યમાં પહેલી વખત અમદાવાદમાં પોલીસે નો-કેટલ ઝોન જાહેર કર્યો, ઢોર રસ્તે રઝળતા હશે તો પોલીસ એફઆઈઆર થશે
શહેર ટ્રાફિક પોલીસે પશ્ચિમ વિસ્તારના 10 વિસ્તારને પ્રાયોગિક ધોરણે નો-કેટલ ઝોન જાહેર કર્યા
WatchGujarat. રસ્તે રખડતા ઢોરની સમસ્યા રાજ્યભરમાં દિવસેને દિવસે વધી રહ્યા છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં રખડતાં ઢોરઢાંખરના કારણે ગંદકી, અકસ્માત અને ટ્રાફિક ન્યૂસન્સ જેવી સમસ્યાઓ વધી રહી છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસે આ સમસ્યાના નિવારણ તરીકે એક મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ પોલીસ દ્વારા તાજેતરમાં એક જાહેરનામૂ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ શહેર ટ્રાફિક પોલીસે પશ્ચિમ વિસ્તારના 10 વિસ્તારને પ્રાયોગિક ધોરણે નો-કેટલ ઝોન જાહેર કર્યા છે.
રાજ્યમાં પહેલી વખત જ અમદાવાદમાં પોલીસે નો-કેટલ ઝોન જાહેર કર્યો છે. જેમાં આશ્રમ રોડ, નવરંગપુરા, યુનિવર્સિટી, ઉસ્માનપુરા, એલીસબ્રિજ, ગુલબાઈ ટેકરા, લો ગાર્ડન અને નારણપુરા સહિતના વિસ્તારોને સાંકળવામાં આવ્યા છે. આ વિસ્તારમાં નો-કેટલ ઝોન જાહેરનામું 18 ડિસેમ્બર, શનિવાર રાતે 12 વાગ્યાથી અમલી બની ચૂક્યું છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આજે, તા. 18ના રોજ જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામામાં જણાવાયું છે કે, જાહેરમાં રખડતા ઢોરનો ઉપદ્રવ કેટલાક સમયથી વધી ગયો છે. ભૂતકાળમાં આ પ્રકારે રખડતા ઢોરને કારણે માર્ગ અકસ્માતમાં વ્યક્તિઓના મૃત્યુ નિજપ્યા છે. રખડતા ઢોરના કારણે લોકોમાં ત્રાસ, ભયનું વાતાવરણ ઉભું થયું છે. આ પ્રકારના ભય અને ત્રાસને દૂર કરવા અને ઢોરને રખડતા કરવાની પ્રવતિને કાબુમાં લઈ માર્ગ અકસ્માત નિવારવા કાયમી નિરાકરણ લાવવું પણ જરૂરી છે.
અમદાવાદ શહેર હકુમત હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા તમામ ઢોરના માલિક ગોપાલકોએ 60 દિવસમાં તમામ ઢોરને મ્યુનિ. લગાડવામાં આવનાર ટેપ તથા ચીપ લગાવેલા ઢોરની માલિકી બદલાય તો તેની જાણ કરવાની રહે છે. એ જ રીતે ઢોરનું મરણ થાય તો તેની જાણ પણ તેના માલિકે મ્યુનિ.ને કરવાની રહે છે તેવા જાહેરનામા અમલમાં છે. અમદાવાદમાં જાહેર સૃથળો તેમજ રસ્તા પર ઘાસચારાનું વેચાણ કરવા તેમજ ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવાયેલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રખડતા પશુના કારણે વાહનચાલકો, બાળકો, વૃધૃધોને શિંગડું મારવાથી નુકસાન થવાના બનાવો અનેક વખત સામે આવ્યા છે. એટલું જ નહીં શહેરમાં રખડતાં પશુઓના કારણે ગંદકી, ભયજનક વાતાવરણ ઉભું કરવા, ટ્રાફિક ન્યુસન્સ અને ફૂલછોડ, પ્લાન્ટેશનને નુકસાનથી ગ્રીન-પેચ ડેવલપમેન્ટમાં મુશ્કેલી ઉભી થાય છે. આ બાબતોને ધ્યાનમાં લઈને પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડના નીચે જણાવેલા વિસ્તારોને કેટલ ફ્રી એરિયા, નો-કેટલ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ વિસ્તારોને નો-કેટલ ઝોન તરીકે જાહેર કરાયા
ઉસ્માનપુરા નિધિ હોસ્ટલ સામેથી સમાંતર ગાંધીબ્રીજ
નહેરૂબ્રીજથી વિવેકાનંદ બ્રીજ સુધીનો પશ્ચિમ રિવરફ્રન્ટ રોડથી શહેરી રહેણાંક અને વ્યાવસાયિક વિસ્તારમાં ટાઉન હોલ પાંચ રસ્તા
માદલપુર ગરનાળાથી પરીમર ગાર્ડન ચાર રસ્તા, પંચવટી પાંચ રસ્તા
ગુલબાઈ ટેકરા રોડથી પાસપોર્ટ ઓફિસ ત્રણ રસ્તાથી સેપ્ટ યુનિ, દાદા સાહેબ પગલા ચાર રસ્તા, વિજય ચાર રસ્તા, દર્પણ પાંચ રસ્તા, નવરંગ છ રસ્તા
સરદાર પટેલ બાવલા ચાર રસ્તાથી રેલવે લાઈન થઈ આશ્રમ રોડ ક્રોસ કરી રિવરફ્રન્ટ સુધીનો વિસ્તાર
સ્ટેડીયમથી ઈનકમટેક્સ સુધીનો આશ્રમ રોડ થઈ રિવરફ્રન્ટ રોડ
અમદાવાદ પોલીસ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ ઉપર જણાવેલા વિસ્તારોમાં પશુપાલક કે પશુના માલિક પોતાનું પશુ જાહેરમાં રખડતું મુકશે તો પોલીસ હવેથી મ્યુનિ.ના ઢોર ત્રાસ અંકુશ વિભાગના સંકલનમાં રહી જાહેરનામા ભંગ બદલનો ગુનો નોંધી કાર્યવાહી કરશે. તેમજ તા. 19 ડિસેમ્બરના રાતે 12 કલાકથી બીજો હૂકમ ન થાય ત્યાં સુધી નો કેટલ ઝોનનું જાહેરનામું અમલમાં રહેશે. શહેરના રસ્તાઓ પર નિરકુંશ બનેલા ઢોરના ત્રાસના નિવારણ માટે ગુજરાતમાં પહેલી વખત આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાનું શહેર પોલીસે જણાવ્યું હતું.