નટરાજ ટાવરની સામે આવેલા વર્ષો જૂની દરગાહ અને મંદિરને તોડી પાડી
દરગાહ અને મંદિર પર અંધારામાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું
વહેલી સવારે દરગાહ અને મંદિર તોડી પાડતા ભક્તોમાં નારાજગી
WatchGujarat.વડોદરામાં રેલવે સ્ટેશન પાસે નટરાજ ટાવરની સામે આવેલા વર્ષો જૂની દરગાહ અને મંદિરને તોડી પાડવામાં આવ્યા છે. થોડા દિવસ અગાઉ નોટિસ આપવામાં આવી હતી. જ્યારે આજે વહેલી સવારે તંત્રનું બુલડોઝર આવી ચડ્યુ હતુ. મંદિર અને દરગાહ તોડી પાડતા સમયે ઘર્ષણ ન થાય અને વાતાવરણમાં તંગદિલી ન સર્જાય તે માટે વહેલી સવારે તમામ લોકો સૂતા હતા ત્યારે તંત્ર દ્વારા મંદિર અને દરગાહ તોડી પાડવામાં આવી હતી.વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં આવેલ નટરાજ ટાઉનશિપ પાસે રેલવે તંત્રે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નડતરરૂપ જુનું મંદિર અને દરગાહ દૂર કરવા માટે એક દિવસ પૂર્વે નોટિસ આપી હતી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર તમામ લોકોના મોબાઇલ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પછી કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે મંદિરમાં રહેલ મૂર્તિ પણ સ્થાનિકોને આપવામાં આવી હતી બાદમાં તંત્રએ કાર્યવાહી કરી હતી. આ પહેલા પણ જૂના પાદરા રોડ પર અડચણરૂપ મંદિરો તોડી પાડી જગ્યા ખાલી કરવામાં આવી હતી.
સ્થાનિક લોકોએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે નોટીસ આપી હતી એ પહેલા જ આવીને પાડી ગયા.તમામના મોબાઇલ લઇ લીધા હતા. સ્થાનિક લોકોનું કહેવુ છે. તંત્રએ અમને વિકલ્પ આપતા જણાવ્યું કે, ભગવાનની મુર્તિ તમારે રાખવી છે કે, અમે યોગ્ય વ્યવસ્થા કરીએ ? ત્યારે હાલ સ્થાનિકોએ મૂર્તિ લઇને ભૂવનાથ મહાદેવ પાસે મૂકી છે. તંત્ર સહકાર આપે તો અમે બીજી જગ્યાએ સ્થાપના કરી શકીએ. તેમ સ્થાનિક લોકોએ જણાવ્યું હતુ.
થોડા દિવસ પહેલા કોર્પોરેશન દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી. જ્યારે ગઇ કાલે કહ્યુ હતુ કે સવારે 10 વાગ્યે મંદિર તોડી પાડવામાં આવશે. પરંતુ વહેલી સવારે 4 વાગ્યે અંધારાનો ફાયદો ઉઠાવી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી મંદિર અને દરગાહ તોડી પાડી હતી. આથી સ્થાનિકો અને ભક્તોમાં નારાજગી જોવા મળી હતી. જ્યારે હવે હિન્દુ -મુસ્લીમ એક થઇને એક નવી જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા શહેરમાં અનેક જગ્યાએ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. પાલિકાની ટીમ મોટાપાયે દબાણો દૂર કરવાની કામગીરી કરી રહી છે. જ્યારે અનેક જગ્યાએ અડચણરૂપ મંદિર-દરગાહ પણ હટાવવામાં આવી રહી છે જેને લઇને ભક્તોમાં નારાજગી જોવા મળી હતી.
નટરાજ ટાવરની સામે આવેલા વર્ષો જૂની દરગાહ અને મંદિરને તોડી પાડી
દરગાહ અને મંદિર પર અંધારામાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું
વહેલી સવારે દરગાહ અને મંદિર તોડી પાડતા ભક્તોમાં નારાજગી
WatchGujarat.વડોદરામાં રેલવે સ્ટેશન પાસે નટરાજ ટાવરની સામે આવેલા વર્ષો જૂની દરગાહઅને મંદિરને તોડી પાડવામાં આવ્યા છે. થોડા દિવસ અગાઉ નોટિસ આપવામાં આવી હતી. જ્યારે આજે વહેલી સવારે તંત્રનું બુલડોઝર આવી ચડ્યુ હતુ. મંદિર અને દરગાહ તોડી પાડતા સમયે ઘર્ષણ ન થાય અને વાતાવરણમાં તંગદિલી ન સર્જાય તે માટે વહેલી સવારે તમામ લોકો સૂતા હતા ત્યારે તંત્ર દ્વારા મંદિર અને દરગાહ તોડી પાડવામાં આવી હતી.વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં આવેલ નટરાજ ટાઉનશિપ પાસે રેલવે તંત્રે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નડતરરૂપ જુનું મંદિર અને દરગાહ દૂર કરવા માટે એક દિવસ પૂર્વે નોટિસ આપી હતી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર તમામ લોકોના મોબાઇલ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પછી કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે મંદિરમાં રહેલ મૂર્તિ પણ સ્થાનિકોને આપવામાં આવી હતી બાદમાં તંત્રએ કાર્યવાહી કરી હતી. આ પહેલા પણ જૂના પાદરા રોડ પર અડચણરૂપ મંદિરો તોડી પાડી જગ્યા ખાલી કરવામાં આવી હતી.
સ્થાનિક લોકોએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે નોટીસ આપી હતી એ પહેલા જ આવીને પાડી ગયા.તમામના મોબાઇલ લઇ લીધા હતા. સ્થાનિક લોકોનું કહેવુ છે. તંત્રએ અમને વિકલ્પ આપતા જણાવ્યું કે, ભગવાનની મુર્તિ તમારે રાખવી છે કે, અમે યોગ્ય વ્યવસ્થા કરીએ ? ત્યારે હાલ સ્થાનિકોએ મૂર્તિ લઇને ભૂવનાથ મહાદેવ પાસે મૂકી છે. તંત્ર સહકાર આપે તો અમે બીજી જગ્યાએ સ્થાપના કરી શકીએ. તેમ સ્થાનિક લોકોએ જણાવ્યું હતુ.
થોડા દિવસ પહેલા કોર્પોરેશન દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી. જ્યારે ગઇ કાલે કહ્યુ હતુ કે સવારે 10 વાગ્યે મંદિર તોડી પાડવામાં આવશે. પરંતુ વહેલી સવારે 4 વાગ્યે અંધારાનો ફાયદો ઉઠાવી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી મંદિર અને દરગાહ તોડી પાડી હતી. આથી સ્થાનિકો અને ભક્તોમાં નારાજગી જોવા મળી હતી. જ્યારે હવે હિન્દુ -મુસ્લીમ એક થઇને એક નવી જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા શહેરમાં અનેક જગ્યાએ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. પાલિકાની ટીમ મોટાપાયે દબાણો દૂર કરવાની કામગીરી કરી રહી છે. જ્યારે અનેક જગ્યાએ અડચણરૂપ મંદિર-દરગાહ પણ હટાવવામાં આવી રહી છે જેને લઇને ભક્તોમાં નારાજગી જોવા મળી હતી.