ભરૂચમાં કોરોના સંક્રમિત થયેલા 77 વર્ષીય વધુ એક વ્યક્તિનું મોત
વેકસીનના બન્ને ડોઝ લેનાર વૃદ્ધ 7 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા
જિલ્લામાં 1034 એક્ટિવ કેસો પૈકી ગામડાઓમાં 672 અને શહેરમાં 362 દર્દીઓ કોરોનાગ્રસ્ત
WatchGujarat. ભરૂચ જિલ્લામાં કોરોનાથી સંક્રમિત વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ભરૂચ ખાતે રહેતા 77 વર્ષીય વૃદ્ધ 7 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જેઓનું મંગળવારે મૃત્યુ થતા રાજ્યના પેહલા કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ અપાયો હતો.
ત્રીજી લહેરમાં ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોમાં એકધારો વધારો થઇ રહ્યો છે. વધતા કેસો ચિંતાનો વિષય બન્યા બાદ હવે મૃત્યુના કેસ સામે આવવાની શરૂઆત થઈ જતા દિવસે દિવસે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ત્રીજી લહેરમાં લોકો ઝડપથી સંક્રમિત થઇ રહ્યા છે. અને એટલી જ ઝડપથી કોરોનામુક્ત પણ થઈ રહ્યાં છે.
ભરૂચ જિલ્લામાં સત્તાવાર રીતે ત્રીજી લહેરમાં વર્ષ 2021 ના અંતમાં 1 જ મૃત્યુ સરકારી ચોપડે નોંધાયું હતું. જો કે વર્ષ 2022 ની શરૂઆતમાં ગતરોજ એક 94 વર્ષીય વૃદ્ધ અને આજે મંગળવારે એક 77 વર્ષીય વૃદ્ધનુ કોરોના સંક્ર્મણ બાદ મૃત્યુ થયું છે. ભરૂચ ખાતે રહેતા 77 વર્ષીય વૃદ્ધ કેટલાક દિવસ અગાઉ કોરોના સંક્ર્મણમાં સપડાયા હતા.
શહેરની ન્યુ આનંદનગર સોસાયટીમાં રહેતા કોશિકભાઈ દવેને 11 જાન્યુઆરીએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેઓનું મંગળવારે સારવાર દરમિયાન નિધન થયું છે. તેમના મૃતદેહને કોવીડ સ્મશાન ખાતે અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા. જિલ્લામાં બે દિવસમાં બે વ્યક્તિઓના મૃતદેહને કોવિડ સ્મશાનમાં અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા છે.
જિલ્લામાં હાલ 1034 એક્ટિવ કેસો છે. જે પૈકી ગામડાઓમાં સંક્રમણ વધુ ફેલાતા 672 અને શહેરી વિસ્તારમાં 362 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. ત્રીજી લહેરમાં જિલ્લામાં 8 તાલુકા અને 4 નગરો કોરોના સંકમિત થઈ ચૂક્યા છે. એક માત્ર આમોદ તાલુકો કોરોનાની ચપેટમાં આવ્યો નથી.
ભરૂચમાં કોરોના સંક્રમિત થયેલા 77 વર્ષીય વધુ એક વ્યક્તિનું મોત
વેકસીનના બન્ને ડોઝ લેનાર વૃદ્ધ 7 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા
જિલ્લામાં 1034 એક્ટિવ કેસો પૈકી ગામડાઓમાં 672 અને શહેરમાં 362 દર્દીઓ કોરોનાગ્રસ્ત
WatchGujarat. ભરૂચ જિલ્લામાં કોરોનાથી સંક્રમિત વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ભરૂચ ખાતે રહેતા 77 વર્ષીય વૃદ્ધ 7 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જેઓનું મંગળવારે મૃત્યુ થતા રાજ્યના પેહલા કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ અપાયો હતો.
ત્રીજી લહેરમાં ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોમાં એકધારો વધારો થઇ રહ્યો છે. વધતા કેસો ચિંતાનો વિષય બન્યા બાદ હવે મૃત્યુના કેસ સામે આવવાની શરૂઆત થઈ જતા દિવસે દિવસે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ત્રીજી લહેરમાં લોકો ઝડપથી સંક્રમિત થઇ રહ્યા છે. અને એટલી જ ઝડપથી કોરોનામુક્ત પણ થઈ રહ્યાં છે.
ભરૂચ જિલ્લામાં સત્તાવાર રીતે ત્રીજી લહેરમાં વર્ષ 2021 ના અંતમાં 1 જ મૃત્યુ સરકારી ચોપડે નોંધાયું હતું. જો કે વર્ષ 2022 ની શરૂઆતમાં ગતરોજ એક 94 વર્ષીય વૃદ્ધ અને આજે મંગળવારે એક 77 વર્ષીય વૃદ્ધનુ કોરોના સંક્ર્મણ બાદ મૃત્યુ થયું છે. ભરૂચ ખાતે રહેતા 77 વર્ષીય વૃદ્ધ કેટલાક દિવસ અગાઉ કોરોના સંક્ર્મણમાં સપડાયા હતા.
શહેરની ન્યુ આનંદનગર સોસાયટીમાં રહેતા કોશિકભાઈ દવેને 11 જાન્યુઆરીએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેઓનું મંગળવારે સારવાર દરમિયાન નિધન થયું છે. તેમના મૃતદેહને કોવીડ સ્મશાન ખાતે અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા. જિલ્લામાં બે દિવસમાં બે વ્યક્તિઓના મૃતદેહને કોવિડ સ્મશાનમાં અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા છે.
જિલ્લામાં હાલ 1034 એક્ટિવ કેસો છે. જે પૈકી ગામડાઓમાં સંક્રમણ વધુ ફેલાતા 672 અને શહેરી વિસ્તારમાં 362 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. ત્રીજી લહેરમાં જિલ્લામાં 8 તાલુકા અને 4 નગરો કોરોના સંકમિત થઈ ચૂક્યા છે. એક માત્ર આમોદ તાલુકો કોરોનાની ચપેટમાં આવ્યો નથી.