સુમિતસિંગ રાજપૂતને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા સારવાર અર્થે ખસેડાયા
બે દિવસ જીંદગી અને મોત વચ્ચે ઝઝૂમ્યા બાદ બ્રેઇનડેડ જાહેર
અંગદાન કરી જરૂરિયાતમંદ 5 વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી
Watchgujarat.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 61મું અંગદાન થયું છે. અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહેતા 32 વર્ષીય સુમિતસિંગ રાજપૂતને માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ઇજા અત્યંત ગંભીર હોવાથી બે દિવસ જીંદગી અને મોત વચ્ચે ઝઝૂમ્યા બાદ આખરે હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ બ્રેઇનડેડ સુમીતભાઇના પિતા,બહેન અને પત્નિએ અંગદાન માટે સંમતિ આપ્યા બાદ તેમને સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા. જ્યાં 5 થી 7 કલાકની ભારે જહેમત બાદ હ્યદય, ફેફસા, બંને કિડની અને લીવરનુ દાન મળ્યું આપ્યુ હતુ. જેમાં હ્યદયને પ્રત્યારોપણ માટે મુંબઇ સ્થિત હોસ્પિટલમાં અને બંને ફેફસાને ચેન્નાઇના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે ગ્રીનકોરિડોર મારફતે મોકલવામાં આવ્યા હતા.જ્યારે કિડની અને લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા હતા.
https://twitter.com/civilhospamd/status/1526857327856742401?s=20&t=7j4T3cgF3Z4yMKbwqPPDaA
બ્રેઇનડેડ સુમિતભાઇના પિતા જોગિંદરસિંગ રાજપૂતે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યુ હતુ કે “ મારા યુવાન દિકરાના અંગો સમાજના અન્ય કોઇ જરૂરિયાતમંદને મદદરૂપ બને. મારો દિકરો હવે જીવંત નથી પરંતુ અન્યોમાં તેના અંગોનું પ્રત્યારોપણ થઇને તેમને નવજીવન મળ્યું છે.મારા દિકરાના અંગો જે વ્યક્તિઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે પ્રભુ તેમને દીર્ધાયુ બક્ષે”
આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યુ હતુ કે 61મું અંગદાન અમારા સેવાયજ્ઞમાં મહત્વનું બની રહ્યું છે. સુમિતસિંગ રાજપૂતના પિતા અને તેમના સમગ્ર પરિવારજનોએ અંગદાન માટે આપેલા સહયોગના પરિણામે જરૂરિયાતમંદ 5 વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે.
સુમિતસિંગ રાજપૂતને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા સારવાર અર્થે ખસેડાયા
બે દિવસ જીંદગી અને મોત વચ્ચે ઝઝૂમ્યા બાદ બ્રેઇનડેડ જાહેર
અંગદાન કરી જરૂરિયાતમંદ 5 વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી
Watchgujarat.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 61મું અંગદાન થયું છે. અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહેતા 32 વર્ષીય સુમિતસિંગ રાજપૂતને માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ઇજા અત્યંત ગંભીર હોવાથી બે દિવસ જીંદગી અને મોત વચ્ચે ઝઝૂમ્યા બાદ આખરે હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ બ્રેઇનડેડ સુમીતભાઇના પિતા,બહેન અને પત્નિએ અંગદાન માટે સંમતિ આપ્યા બાદ તેમને સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા. જ્યાં 5 થી 7 કલાકની ભારે જહેમત બાદ હ્યદય, ફેફસા, બંને કિડની અને લીવરનુ દાન મળ્યું આપ્યુ હતુ. જેમાં હ્યદયને પ્રત્યારોપણ માટે મુંબઇ સ્થિત હોસ્પિટલમાં અને બંને ફેફસાને ચેન્નાઇના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે ગ્રીનકોરિડોર મારફતે મોકલવામાં આવ્યા હતા.જ્યારે કિડની અને લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા હતા.
બ્રેઇનડેડ સુમિતભાઇના પિતા જોગિંદરસિંગ રાજપૂતે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યુ હતુ કે “ મારા યુવાન દિકરાના અંગો સમાજના અન્ય કોઇ જરૂરિયાતમંદને મદદરૂપ બને. મારો દિકરો હવે જીવંત નથી પરંતુ અન્યોમાં તેના અંગોનું પ્રત્યારોપણ થઇને તેમને નવજીવન મળ્યું છે.મારા દિકરાના અંગો જે વ્યક્તિઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે પ્રભુ તેમને દીર્ધાયુ બક્ષે”
આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યુ હતુ કે 61મું અંગદાન અમારા સેવાયજ્ઞમાં મહત્વનું બની રહ્યું છે. સુમિતસિંગ રાજપૂતના પિતા અને તેમના સમગ્ર પરિવારજનોએ અંગદાન માટે આપેલા સહયોગના પરિણામે જરૂરિયાતમંદ 5 વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે.