વડોદરા શહેરની ટ્રી હાઉસ સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થીની કેની પટેલની પસંદગી થઈ હતી
વિદ્યાર્થીઓના ગભરાટને દૂર કરવા પ્રધાનમંત્રી દ્વારા પરીક્ષા પે ચર્ચાની 5 મી આવૃત્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આ કાર્યક્રમમાં મોદી 1 હજાર વિદ્યાર્થી સાથે વાતચીત કરી
WatchGujarat.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'પરીક્ષા પર ચર્ચા' દરમિયાન ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી છે. નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આ કાર્યક્રમમાં મોદી 1 હજાર વિદ્યાર્થી સાથે વાતચીત કરી છે. PM મોદીએ સૌપ્રથમ દેશભરના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા કેટલાક પ્રદર્શન પ્રોજેક્ટ્સ નિહાળ્યા હતા. આ દરમિયાન તેમણે બાળકોના ઓટોગ્રાફ પણ લીધા હતા. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે પરીક્ષાનું ટેન્શન ન હોવું જોઈએ. પરીક્ષાને તહેવાર બનાવી દઈશું તો એ રંગીન બની જશે.
હાલમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. અને બોર્ડની પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓ ગભરાયેલા હોય છે. તો વિદ્યાર્થીઓના ગભરાટને દૂર કરવા પ્રધાનમંત્રી દ્વારા પરીક્ષા પે ચર્ચાની 5 મી આવૃત્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા શહેરની ટ્રી હાઉસ સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થીની કેની પટેલની પસંદગી થઈ હતી. જેમાં કેનીનો પ્રશ્ન : પરીક્ષાના સમયમાં જરૂરી આરામ સાથે માર્ક્સ વધારવા અભ્યાસક્રમ પૂર્ણ કરવાની ચિંતા કઈ રીતે બેલેન્સ કરાય ? ત્યારે PMએ કેનિના પ્રશ્નમાં બીજા સાથે વધુ કંપેર નહિ કરવું અને પોતાના ઉપર ભરોસો રાખી જવાબ લખવા જણાવ્યું હતું.
જેમાં આજરોજ પીએમ વિશ્વભરના વિદ્યાર્થીઓ શિક્ષકો અને માતા - પિતા સાથે સીધો સંવાદ કર્યો. તેમજ વિદ્યાર્થીને વડાપ્રધાનને પ્રશ્ન પૂછવાની તક મળી. જેમાં પ્રધાનમંત્રી એ ખૂબ સારો જવાબ આપી વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું. જાન્યુઆરીએ થયેલ ઓનલાઈન સર્જનાત્મક લેખન સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓની દરેક રાજયમાંથી પસંદગી કરાઈ હતી. જેમાં ગુજરાતમાંથી 3 વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ હતી. જેમાંથી વડોદરાની ધો -10 માં ભણતી કેની પટેલની પસંદગી કરાઈ હતી.
વડોદરા શહેરની ટ્રી હાઉસ સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થીની કેની પટેલની પસંદગી થઈ હતી
વિદ્યાર્થીઓના ગભરાટને દૂર કરવા પ્રધાનમંત્રી દ્વારા પરીક્ષા પે ચર્ચાની 5 મી આવૃત્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આ કાર્યક્રમમાં મોદી 1 હજાર વિદ્યાર્થી સાથે વાતચીત કરી
WatchGujarat.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'પરીક્ષા પર ચર્ચા' દરમિયાન ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી છે. નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આ કાર્યક્રમમાં મોદી 1 હજાર વિદ્યાર્થી સાથે વાતચીત કરી છે. PM મોદીએ સૌપ્રથમ દેશભરના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા કેટલાક પ્રદર્શન પ્રોજેક્ટ્સ નિહાળ્યા હતા. આ દરમિયાન તેમણે બાળકોના ઓટોગ્રાફ પણ લીધા હતા. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે પરીક્ષાનું ટેન્શન ન હોવું જોઈએ. પરીક્ષાને તહેવાર બનાવી દઈશું તો એ રંગીન બની જશે.
હાલમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. અને બોર્ડની પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓ ગભરાયેલા હોય છે. તો વિદ્યાર્થીઓના ગભરાટને દૂર કરવા પ્રધાનમંત્રી દ્વારા પરીક્ષા પે ચર્ચાની 5 મી આવૃત્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા શહેરની ટ્રી હાઉસ સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થીની કેની પટેલની પસંદગી થઈ હતી. જેમાં કેનીનો પ્રશ્ન : પરીક્ષાના સમયમાં જરૂરી આરામ સાથે માર્ક્સ વધારવા અભ્યાસક્રમ પૂર્ણ કરવાની ચિંતા કઈ રીતે બેલેન્સ કરાય ? ત્યારે PMએ કેનિના પ્રશ્નમાં બીજા સાથે વધુ કંપેર નહિ કરવું અને પોતાના ઉપર ભરોસો રાખી જવાબ લખવા જણાવ્યું હતું.
જેમાં આજરોજ પીએમ વિશ્વભરના વિદ્યાર્થીઓ શિક્ષકો અને માતા - પિતા સાથે સીધો સંવાદ કર્યો. તેમજ વિદ્યાર્થીને વડાપ્રધાનને પ્રશ્ન પૂછવાની તક મળી. જેમાં પ્રધાનમંત્રી એ ખૂબ સારો જવાબ આપી વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું. જાન્યુઆરીએ થયેલ ઓનલાઈન સર્જનાત્મક લેખન સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓની દરેક રાજયમાંથી પસંદગી કરાઈ હતી. જેમાં ગુજરાતમાંથી 3 વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ હતી. જેમાંથી વડોદરાની ધો -10 માં ભણતી કેની પટેલની પસંદગી કરાઈ હતી.