પાટણ જિલ્લામાં આવેલા હૈદરપુરા ગામમાં 2 હજાર લોકોની વસ્તી આવેલી છે
સરસ્વતી તાલુકામાં આવેલા હૈદરપુરા ગામમાં છેલ્લા કેટલાંક વર્ષોથી સમરસ ચૂંટણી યોજવામાં આવે છે
પહેલા સરકાર સમરસ ચૂંટણી માટે 60 હજાર સુધીની મદદ આપતી હતી. ગત ચુંટણીમાં 3 લાખની મદદ આ ગામને આપવામાં આવી
[caption id="attachment_1439867" align="aligncenter" width="640"] ઉપ સરપંચ - રસુલ ભાઈ દોસન સુણસરા / સરપંચ- રાબીયા બેન આલમ શાહ ફકીર[/caption]
Watchgujarat. થોડા દિવસોમાં રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનારા છે. આજે તેના માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની 10 હજાર 879 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને પંચાયત સભ્યોની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. ત્યારે પાટણ જિલ્લાના એક ગામમાં ચૂંટણી વગર જ સરપંચની પસંદગી કરવામાં આવે છે. ચાલુ વર્ષે સરપંચ તરીકે રાબીયા બેન આલમ શાહ ફકીર અને ઉપ સરપંચ તરીકે રસુલ ભાઈ દોસન સુણસરાની પસંદગી કરવામાં આવી છે. રાબીયા બેન ગામના બીજા મહિલા સરપંચ છે.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા હૈદરપુરા ગામમાં છેલ્લા કેટલાંક વર્ષોથી સમરસ ચૂંટણી યોજવામાં આવે છે. એટલે કે મતદાન વગર જ એક વ્યક્તિને ગ્રામજનો પોતાના સરપંચ તરીકે નીમે છે. આ ગામ આશરે 2000 લોકોની વસ્તી ધરાવે છે. જેમાં 1800 જેટલા મતદારો છે. સમરસ ચૂંટણી અપનાવીને આ ગામ દ્વારા અન્ય ગામોને માર્ગ ચિંધવામાં આવી રહ્યો છે. કારણે સમરસ ચૂંટણી દ્વારા ચૂંટણીમાં થતો ખર્ચ બચાવી શકાય છે, અને સાથે સાથે તે ગ્રામજનોમાં એકતાનું પણ પ્રમાણ આપે છે.
સ્થાનિક અગ્રણીના જણાવ્પા પ્રમાણે, હૈદરપુરા ગામમાં આઠ વર્ષમાં અહિંયા સાત સમરસ ચૂંટણી અને માત્ર એક જ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ છે. જેમાં છેલ્લી બે વખતની સમરસ ચૂંટણીમાં મહિલાને સરપંચ તરીકે નિમવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમરસ ચૂંટણી થકી સરપંચની પસંદગી કરનાર ગામને ચૂંટણી ખર્ચ બચાવવા બદલ સરકાર દ્વારા એક રકમ આપવામાં આવે છે. જેનો ઉપયોગ ગામના વિકાસ કાર્યોમાં થઈ શકે. પહેલા સરકાર સમરસ ચૂંટણી માટે 60 હજાર સુધીની મદદ આપતી હતી. ગત ચુંટણીમાં 3 લાખની મદદ આ ગામને આપવામાં આવી છે. ત્યારે હવે આ વર્ષે પણ હૈદરપુરામાં સમરસ ચૂંટણી દ્વારા જ સરપંચની પસંદગી કરવામાં આવી છે.
પાટણ જિલ્લામાં આવેલા હૈદરપુરા ગામમાં 2 હજાર લોકોની વસ્તી આવેલી છે
સરસ્વતી તાલુકામાં આવેલા હૈદરપુરા ગામમાં છેલ્લા કેટલાંક વર્ષોથી સમરસ ચૂંટણી યોજવામાં આવે છે
પહેલા સરકાર સમરસ ચૂંટણી માટે 60 હજાર સુધીની મદદ આપતી હતી. ગત ચુંટણીમાં 3 લાખની મદદ આ ગામને આપવામાં આવી
Watchgujarat. થોડા દિવસોમાં રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનારા છે. આજે તેના માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની 10 હજાર 879 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને પંચાયત સભ્યોની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. ત્યારે પાટણ જિલ્લાના એક ગામમાં ચૂંટણી વગર જ સરપંચની પસંદગી કરવામાં આવે છે. ચાલુ વર્ષે સરપંચ તરીકે રાબીયા બેન આલમ શાહ ફકીર અને ઉપ સરપંચ તરીકે રસુલ ભાઈ દોસન સુણસરાની પસંદગી કરવામાં આવી છે. રાબીયા બેન ગામના બીજા મહિલા સરપંચ છે.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા હૈદરપુરા ગામમાં છેલ્લા કેટલાંક વર્ષોથી સમરસ ચૂંટણી યોજવામાં આવે છે. એટલે કે મતદાન વગર જ એક વ્યક્તિને ગ્રામજનો પોતાના સરપંચ તરીકે નીમે છે. આ ગામ આશરે 2000 લોકોની વસ્તી ધરાવે છે. જેમાં 1800 જેટલા મતદારો છે. સમરસ ચૂંટણી અપનાવીને આ ગામ દ્વારા અન્ય ગામોને માર્ગ ચિંધવામાં આવી રહ્યો છે. કારણે સમરસ ચૂંટણી દ્વારા ચૂંટણીમાં થતો ખર્ચ બચાવી શકાય છે, અને સાથે સાથે તે ગ્રામજનોમાં એકતાનું પણ પ્રમાણ આપે છે.
સ્થાનિક અગ્રણીના જણાવ્પા પ્રમાણે, હૈદરપુરા ગામમાં આઠ વર્ષમાં અહિંયા સાત સમરસ ચૂંટણી અને માત્ર એક જ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ છે. જેમાં છેલ્લી બે વખતની સમરસ ચૂંટણીમાં મહિલાને સરપંચ તરીકે નિમવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમરસ ચૂંટણી થકી સરપંચની પસંદગી કરનાર ગામને ચૂંટણી ખર્ચ બચાવવા બદલ સરકાર દ્વારા એક રકમ આપવામાં આવે છે. જેનો ઉપયોગ ગામના વિકાસ કાર્યોમાં થઈ શકે. પહેલા સરકાર સમરસ ચૂંટણી માટે 60 હજાર સુધીની મદદ આપતી હતી. ગત ચુંટણીમાં 3 લાખની મદદ આ ગામને આપવામાં આવી છે. ત્યારે હવે આ વર્ષે પણ હૈદરપુરામાં સમરસ ચૂંટણી દ્વારા જ સરપંચની પસંદગી કરવામાં આવી છે.