હોસ્પિટલમાં પ્રવેશ કરતા જ દર્દીને દેશની નામાંકિત હોસ્પિટલમાં આવ્યાનો અહેસાસ થશે
દર્દીઓ માત્ર 150 રૂપિયામાં જનરલ વોર્ડમાં સારવાર લઈ શકશે
હોસ્પિટલમાં 3 ટાઈમ ભોજનની સગવડ આપવામાં આવશે
WatchGujarat.દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 તારીખે આટકોટ આવી રહ્યા છે. તેમના હસ્તે પાટીદાર સમાજની રૂ 50 કરોડનાં ખર્ચે બનેલી કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે. 200 બેડની હોસ્પિટલમાં રૂપિયા 14 કરોડથી વધુના આધુનિક મશીનો સહિતની એઇમ્સ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. જેમાં દર્દીઓ માત્ર 150 રૂપિયામાં જનરલ વોર્ડમાં સારવાર લઈ શકશે. આ હોસ્પિટલમાં 3 ટાઈમ ભોજનની સગવડ આપવામાં આવશે. હાલ PMનાં આ કાર્યક્રમને લઈને જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ગુજરાત ભાજપનાં ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, આ હોસ્પિટલમાં પ્રવેશ કરતા જ દર્દીને દેશની નામાંકિત હોસ્પિટલમાં આવ્યાનો અહેસાસ થશે. તેમજ અત્યંત આધુનિક સારવાર પણ મળશે. હોસ્પિટલ માટે રૂ. 14 કરોડથી વધુના મશીન બહારથી મંગવાયા છે. આમ છતાં અહીં સારવાર માટેનો ખર્ચ ખૂબ નજીવો રખાયો છે. જેમાં એન્જિયોપ્લાસ્ટી માટે માત્ર 40થી 60 હજારમાં જ એન્જીયોપ્લાસ્ટિ કરવામાં આવશે. ઉપરાંત ક્રિટિકલ કેરમાં દાખલ દર્દી પાસેથી 250, જનરલ વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી પાસેથી 150 રૂપિયાનો જ ચાર્જ વસૂલવામાં આવશે.
આટકોટમાં હેમરેજ થયા બાદ સારવારનાં અભાવે એક યુવાનનું મોત નિપજ્યા બાદ અહીં હોસ્પિટલ બનાવવા માટેનો વિચાર ડો. ભરત બોધરાને આવ્યો હતો. બાદમાં લંડન, હોંગકોંગ, અમેરિકાથી દાન મળ્યું અને હોસ્પિટલ માટે દાનની સરવાણી ફૂટી નીકળી હોય તેવી રીતે આ પવિત્ર કાર્યમાં સહભાગી થવા માટે દાતાઓની લાઈન લાગી ગઈ હતી. હોસ્પિટલને મળી રહેલા આ દાનની સિસ્ટમ પારદર્શી છે. જેમાં એક સોફ્ટવેરના આધારે જ સંપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. કોઈપણ દાતા હોસ્પિટલને દાન આપે એટલે સોફ્ટવેરમાં તેની એન્ટ્રી થઈ જાય છે. અને તેમાં દરેક પ્રકારનો હિસાબ-કિતાબ પણ રહે છે. હોસ્પિટલનાં ટ્રસ્ટમાં કુલ રૂ. 25 લાખના ડોનેશનના ભાગરૂપે 100 ટ્રસ્ટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલનું ભૂમિપૂજન પાંચ વર્ષ પહેલાં 2017માં મોરારિબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારથી હોસ્પિટલના નિર્માણ સુધીમાં હોસ્પિટલ માટે સહભાગી થનારા લોકોએ દિવસ-રાત એક કરીને હોસ્પિટલ ઝડપથી બને તે માટે પ્રયત્નો કર્યા હતા જેમાં સફળતા મળી છે.
કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ
1. આઇસીયુ: ઝેરી દવા, સર્પ દંશ, હૃદયરોગ, પક્ષઘાત, જટીલ રોગની સારવાર
2. ઓપરેશન થિએટર: ક્લાસ 100 લેમિનર મોડ્યુલર ઓપરેશન થિયેટર, સાંધા બદલાવા, કેન્સર, પ્રોસ્ટેટ, હૃદય અને મગજની જટીલ સર્જરી
3. રેડિયોલોજી વિભાગ: સીટીસ્કેન, એકસ-રે, સોનોગ્રાફી
4. ઓપીડી વિભાગ: મેડીસીન, સર્જરી, ઓર્થોપેડીક, ગાયનેક, પીડિયાટ્રિક, સ્કીન, ડેન્ટલ, ઇ.એન.ટી.
5. સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગ: કાર્ડિયોલોજી/સર્જીકલ, યુરોલોજી, નેફ્રોલોજી, ઓનકોલોજી, ગેસ્ટ્રો, કેન્સર, રૂમેટોલોજી (વા)
આ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફૂલટાઈમ ડોક્ટર તરીકે ગાયનેક તથા આબ્સ., સર્જરી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, મેડિસીન, રેડિયોલોજી, પેથોલોજી, ડેન્ટલ અને ફિઝિયોથેરેપી કાર્યરત રહેશે. જ્યારે વિઝિટીંગ સુપર સ્પેશિયાલિટી કન્સલ્ટન્ટ તરીકે નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ન્યુરો સર્જરી, રૂમેટોલોજી, યૂરોલોજી, ગેસ્ટ્રો સર્જરી, ઓન્ક્રોલોજી, ગેસ્ટ્રોલોજી, ક્રિટિકલ કેર સહિતના દરરોજ 3 કલાક માટે ઉપસ્થિત રહેશે. એકંદરે કુલ 300 જેટલા તબીબી તેમજ નર્સિંગ સ્ટાફની ટીમ દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવશે. આ હોસ્પિટલમાં 6 ઓપરેશન થિયેટરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
ફૂલટાઇમ ડોક્ટરની ટીમ
ગાયનેક તથા ઓબ્સ: ડો. ભાર્ગવ પટેલ, ડો. રાહુલ સિંહાર, ડો.પંકજ કોટડિયા
સર્જરી: ડો. જતીન બેલડીયા, ડો. દિપક રામાણી, ડો. સોમેશ કટેશિયા
ઓર્થોપેડિક: ડો.કૃણાલ મીસ્ત્રી, ડો.નરશી વેકરિયા, ડો. વિજય સરધારા
પીડિયાટ્રીક: ડો. મિતુલ કળથિયા
મેડિસીન: ડો. સાગર પટોળીયા
રેડીયોલોજી: ડો. આકાશ પંચાણી
પેથોલોજી: ડો. અનિલ સાવલિયા,
ડેન્ટલ: ડો.અંકિતા પીસેજિયા
ડિજીયોથેરપી: ડો. પટોળિયા
હોસ્પિટલમાં પ્રવેશ કરતા જ દર્દીને દેશની નામાંકિત હોસ્પિટલમાં આવ્યાનો અહેસાસ થશે
દર્દીઓ માત્ર 150 રૂપિયામાં જનરલ વોર્ડમાં સારવાર લઈ શકશે
હોસ્પિટલમાં 3 ટાઈમ ભોજનની સગવડ આપવામાં આવશે
WatchGujarat.દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 તારીખે આટકોટ આવી રહ્યા છે. તેમના હસ્તે પાટીદાર સમાજની રૂ 50 કરોડનાં ખર્ચે બનેલી કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે. 200 બેડની હોસ્પિટલમાં રૂપિયા 14 કરોડથી વધુના આધુનિક મશીનો સહિતની એઇમ્સ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. જેમાં દર્દીઓ માત્ર 150 રૂપિયામાં જનરલ વોર્ડમાં સારવાર લઈ શકશે. આ હોસ્પિટલમાં 3 ટાઈમ ભોજનની સગવડ આપવામાં આવશે. હાલ PMનાં આ કાર્યક્રમને લઈને જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ગુજરાત ભાજપનાં ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, આ હોસ્પિટલમાં પ્રવેશ કરતા જ દર્દીને દેશની નામાંકિત હોસ્પિટલમાં આવ્યાનો અહેસાસ થશે. તેમજ અત્યંત આધુનિક સારવાર પણ મળશે. હોસ્પિટલ માટે રૂ. 14 કરોડથી વધુના મશીન બહારથી મંગવાયા છે. આમ છતાં અહીં સારવાર માટેનો ખર્ચ ખૂબ નજીવો રખાયો છે. જેમાં એન્જિયોપ્લાસ્ટી માટે માત્ર 40થી 60 હજારમાં જ એન્જીયોપ્લાસ્ટિ કરવામાં આવશે. ઉપરાંત ક્રિટિકલ કેરમાં દાખલ દર્દી પાસેથી 250, જનરલ વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી પાસેથી 150 રૂપિયાનો જ ચાર્જ વસૂલવામાં આવશે.
આટકોટમાં હેમરેજ થયા બાદ સારવારનાં અભાવે એક યુવાનનું મોત નિપજ્યા બાદ અહીં હોસ્પિટલ બનાવવા માટેનો વિચાર ડો. ભરત બોધરાને આવ્યો હતો. બાદમાં લંડન, હોંગકોંગ, અમેરિકાથી દાન મળ્યું અને હોસ્પિટલ માટે દાનની સરવાણી ફૂટી નીકળી હોય તેવી રીતે આ પવિત્ર કાર્યમાં સહભાગી થવા માટે દાતાઓની લાઈન લાગી ગઈ હતી. હોસ્પિટલને મળી રહેલા આ દાનની સિસ્ટમ પારદર્શી છે. જેમાં એક સોફ્ટવેરના આધારે જ સંપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. કોઈપણ દાતા હોસ્પિટલને દાન આપે એટલે સોફ્ટવેરમાં તેની એન્ટ્રી થઈ જાય છે. અને તેમાં દરેક પ્રકારનો હિસાબ-કિતાબ પણ રહે છે. હોસ્પિટલનાં ટ્રસ્ટમાં કુલ રૂ. 25 લાખના ડોનેશનના ભાગરૂપે 100 ટ્રસ્ટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલનું ભૂમિપૂજન પાંચ વર્ષ પહેલાં 2017માં મોરારિબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારથી હોસ્પિટલના નિર્માણ સુધીમાં હોસ્પિટલ માટે સહભાગી થનારા લોકોએ દિવસ-રાત એક કરીને હોસ્પિટલ ઝડપથી બને તે માટે પ્રયત્નો કર્યા હતા જેમાં સફળતા મળી છે.
કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ
આ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફૂલટાઈમ ડોક્ટર તરીકે ગાયનેક તથા આબ્સ., સર્જરી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, મેડિસીન, રેડિયોલોજી, પેથોલોજી, ડેન્ટલ અને ફિઝિયોથેરેપી કાર્યરત રહેશે. જ્યારે વિઝિટીંગ સુપર સ્પેશિયાલિટી કન્સલ્ટન્ટ તરીકે નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ન્યુરો સર્જરી, રૂમેટોલોજી, યૂરોલોજી, ગેસ્ટ્રો સર્જરી, ઓન્ક્રોલોજી, ગેસ્ટ્રોલોજી, ક્રિટિકલ કેર સહિતના દરરોજ 3 કલાક માટે ઉપસ્થિત રહેશે. એકંદરે કુલ 300 જેટલા તબીબી તેમજ નર્સિંગ સ્ટાફની ટીમ દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવશે. આ હોસ્પિટલમાં 6 ઓપરેશન થિયેટરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.