ગત તારીખ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ પડેલા વરસાદથી રાજકોટ જિલ્લામાં કેટલી જમીનનું ધોવાણ થયુ
અત્યાર સુધીમાં 800 ખેડૂતની 810 હેકટર જમીનનું સંપૂર્ણ ધોવાણ થઈ ગયું હોવાનું સામે આવ્યું
બીજીતરફ છેલ્લા બે દિવસથી જિલ્લામાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું હોય આ નુકસાનનો આંકડો વધવાની પૂરતી શક્યતા
WatchGujarat. હાલ ચાલી રહેલા ‘શાહિન’ વાવાઝોડાના પગલે રાજકોટ જિલ્લાના પ્રભારીમંત્રી જીતુભાઈ વાઘાણીએ કલેકટર અરૂણ મહેશબાબુ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા કામગીરી અંગે વાતચીત કરી હતી. જેમાં કલેકટરે કહ્યું હતું કે અગાઉ પડેલા વરસાદથી જિલ્લામાં 810 હેકટર જેટલી જમીનનું સંપૂર્ણ ધોવાણ થઈ ગયું છે. હજુ પણ આ સર્વેની કામગીરી ચાલી રહી છે. અને આગામી સમયમાં વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં એનડીઆરએફની ટીમ ઉતારી દેવામા આવી છે. એટલું જ નહીં ફૂડ પેકેટ અને તેમજ શેલ્ટર હોમની પણ તૈયારી કરવામાં આવી રહી છે.
વધુમાં કલેક્ટરે કહ્યું હતું કે, ગત તારીખ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ પડેલા વરસાદથી રાજકોટ જિલ્લામાં કેટલી જમીનનું ધોવાણ થયુ છે તે અંગેનો સર્વે કરવા 126 ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 800 ખેડૂતની 810 હેકટર જમીનનું સંપૂર્ણ ધોવાણ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. અને હજુ પણ સર્વેની કામગીરી ચાલુ હોય આ આંકડો વધે તેવી શક્યતા છે. સૌથી વધુ નુકસાન કોટડાસાંગાણી, લોધીકા, પડધરી, જામકંડોરણા તેમજ ધોરાજીનાં ખેડૂતોને થયું હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગત તારીખ 12 અને 13 સપ્ટેમ્બરે શહેર અને જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હતા. જેને પગલે અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા જમીનનું ધોવાણ થયું હોવાથી ખેડૂતોને વળતર આપવાની માંગ ઉઠી હતી. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા પણ સર્વે કરવાના આદેશો અપાયા હતા. ત્યારબાદ શરૂ થયેલા સર્વેમાં અત્યાર સુધી 800 ખેડૂતોની 810 હેકટર જમીનનું સંપૂર્ણ ધોવાણ થયું હોવાનું સામે આવ્યું છે. બીજીતરફ છેલ્લા બે દિવસથી જિલ્લામાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું હોય આ નુકસાનનો આંકડો વધવાની પૂરતી શક્યતા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વળતર ક્યારે અને કેટલું ચૂકવાય છે તેના પર જગતનો તાત મીટ માંડીને બેઠો છે.
- ગત તારીખ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ પડેલા વરસાદથી રાજકોટ જિલ્લામાં કેટલી જમીનનું ધોવાણ થયુ
- અત્યાર સુધીમાં 800 ખેડૂતની 810 હેકટર જમીનનું સંપૂર્ણ ધોવાણ થઈ ગયું હોવાનું સામે આવ્યું
- બીજીતરફ છેલ્લા બે દિવસથી જિલ્લામાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું હોય આ નુકસાનનો આંકડો વધવાની પૂરતી શક્યતા
WatchGujarat. હાલ ચાલી રહેલા ‘શાહિન’ વાવાઝોડાના પગલે રાજકોટ જિલ્લાના પ્રભારીમંત્રી જીતુભાઈ વાઘાણીએ કલેકટર અરૂણ મહેશબાબુ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા કામગીરી અંગે વાતચીત કરી હતી. જેમાં કલેકટરે કહ્યું હતું કે અગાઉ પડેલા વરસાદથી જિલ્લામાં 810 હેકટર જેટલી જમીનનું સંપૂર્ણ ધોવાણ થઈ ગયું છે. હજુ પણ આ સર્વેની કામગીરી ચાલી રહી છે. અને આગામી સમયમાં વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં એનડીઆરએફની ટીમ ઉતારી દેવામા આવી છે. એટલું જ નહીં ફૂડ પેકેટ અને તેમજ શેલ્ટર હોમની પણ તૈયારી કરવામાં આવી રહી છે.
વધુમાં કલેક્ટરે કહ્યું હતું કે, ગત તારીખ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ પડેલા વરસાદથી રાજકોટ જિલ્લામાં કેટલી જમીનનું ધોવાણ થયુ છે તે અંગેનો સર્વે કરવા 126 ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 800 ખેડૂતની 810 હેકટર જમીનનું સંપૂર્ણ ધોવાણ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. અને હજુ પણ સર્વેની કામગીરી ચાલુ હોય આ આંકડો વધે તેવી શક્યતા છે. સૌથી વધુ નુકસાન કોટડાસાંગાણી, લોધીકા, પડધરી, જામકંડોરણા તેમજ ધોરાજીનાં ખેડૂતોને થયું હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગત તારીખ 12 અને 13 સપ્ટેમ્બરે શહેર અને જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હતા. જેને પગલે અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા જમીનનું ધોવાણ થયું હોવાથી ખેડૂતોને વળતર આપવાની માંગ ઉઠી હતી. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા પણ સર્વે કરવાના આદેશો અપાયા હતા. ત્યારબાદ શરૂ થયેલા સર્વેમાં અત્યાર સુધી 800 ખેડૂતોની 810 હેકટર જમીનનું સંપૂર્ણ ધોવાણ થયું હોવાનું સામે આવ્યું છે. બીજીતરફ છેલ્લા બે દિવસથી જિલ્લામાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું હોય આ નુકસાનનો આંકડો વધવાની પૂરતી શક્યતા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વળતર ક્યારે અને કેટલું ચૂકવાય છે તેના પર જગતનો તાત મીટ માંડીને બેઠો છે.