એરપોર્ટ ખાતે બહારથી આવતા મુસાફરોનું સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું
કલેક્ટર અને મનપાનાં મુખ્ય આરોગ્ય અધિકારી લલિત વાંઝા પણ એરપોર્ટ દોડી ગયા હતા
સાંસદ સાથે યોજાયેલી બેઠકમાં વેક્સિનેશન તેમજ કોરોનાની ગાઇડલાઇનના પાલન અંગે ચર્ચા
WatchGujarat.શહેરનાં સરકીટ હાઉસ ખાતે ઓમીક્રોન મુદ્દે ગઈકાલે સાંસદ રામ મોકરીયા દ્વારા કલેક્ટર અને મ્યુ. ઉપરાંત પોલીસ કમિશ્નર સાથે એક બેઠક યોજાઇ હતી. ત્યારબાદ વહીવટી તેમજ મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ એરપોર્ટ ખાતે બહારથી આવતા મુસાફરોનું સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ કલેક્ટર અને મનપાનાં મુખ્ય આરોગ્ય અધિકારી લલિત વાંઝા પણ એરપોર્ટ દોડી ગયા હતા. અને કામગીરીની સમીક્ષા કરી હતી. કલેક્ટર દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત પણ લેવામાં આવનાર છે.
આ અંગે કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, કેનેડાથી રાજકોટ વાયા દિલ્હી આવેલા મુસાફરનું દિલ્હી એરપોર્ટ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. સાંસદ સાથે યોજાયેલી બેઠકમાં વેક્સિનેશન તેમજ કોરોનાની ગાઇડલાઇનના પાલન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઓમીક્રોન સામે હાલ વહીવટી તંત્ર સજ્જ છે. તમામ તૈયારીઓ રાખવામાં આવી છે. જેમાં વિદેશથી આવતા મુસાફરોને ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે. આ માટે પોલીસ સાથે સંકલન પણ કરાઈ રહ્યું છે. રાજકોટથી ત્રણેક દર્દીના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે. જેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. અને આ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજ્યસભાનાં સાંસદ રામ મોકરીયાએ એરપોર્ટ પર જ મુસાફરોનું ચેકિંગ બરાબર થતું નહીં હોવાનો આરોપ લગાવ્યો હતો. અને જણાવ્યું હતું કે, કેનેડાનો એક મુસાફર મારી સાથે કાલે દિલ્હીથી રાજકોટ આવ્યો હતો. પણ એરપોર્ટ પર કોઈએ ખાસ કોઈ ચેકીંગ કર્યું નહોતું. સાથે પોતે સિવિલ હોસ્પિટલમાં મુલાકાત કરી ઓમીક્રોન અંગે તંત્રની તૈયારીઓ અંગે ચકાસણી કરી હોવાનું કહ્યું હતું. અને હાલ સિવિલમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા પૂરતી સગવડ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
- એરપોર્ટ ખાતે બહારથી આવતા મુસાફરોનું સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું
- કલેક્ટર અને મનપાનાં મુખ્ય આરોગ્ય અધિકારી લલિત વાંઝા પણ એરપોર્ટ દોડી ગયા હતા
- સાંસદ સાથે યોજાયેલી બેઠકમાં વેક્સિનેશન તેમજ કોરોનાની ગાઇડલાઇનના પાલન અંગે ચર્ચા
WatchGujarat.શહેરનાં સરકીટ હાઉસ ખાતે ઓમીક્રોન મુદ્દે ગઈકાલે સાંસદ રામ મોકરીયા દ્વારા કલેક્ટર અને મ્યુ. ઉપરાંત પોલીસ કમિશ્નર સાથે એક બેઠક યોજાઇ હતી. ત્યારબાદ વહીવટી તેમજ મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ એરપોર્ટ ખાતે બહારથી આવતા મુસાફરોનું સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ કલેક્ટર અને મનપાનાં મુખ્ય આરોગ્ય અધિકારી લલિત વાંઝા પણ એરપોર્ટ દોડી ગયા હતા. અને કામગીરીની સમીક્ષા કરી હતી. કલેક્ટર દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત પણ લેવામાં આવનાર છે.
આ અંગે કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, કેનેડાથી રાજકોટ વાયા દિલ્હી આવેલા મુસાફરનું દિલ્હી એરપોર્ટ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. સાંસદ સાથે યોજાયેલી બેઠકમાં વેક્સિનેશન તેમજ કોરોનાની ગાઇડલાઇનના પાલન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઓમીક્રોન સામે હાલ વહીવટી તંત્ર સજ્જ છે. તમામ તૈયારીઓ રાખવામાં આવી છે. જેમાં વિદેશથી આવતા મુસાફરોને ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે. આ માટે પોલીસ સાથે સંકલન પણ કરાઈ રહ્યું છે. રાજકોટથી ત્રણેક દર્દીના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે. જેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. અને આ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજ્યસભાનાં સાંસદ રામ મોકરીયાએ એરપોર્ટ પર જ મુસાફરોનું ચેકિંગ બરાબર થતું નહીં હોવાનો આરોપ લગાવ્યો હતો. અને જણાવ્યું હતું કે, કેનેડાનો એક મુસાફર મારી સાથે કાલે દિલ્હીથી રાજકોટ આવ્યો હતો. પણ એરપોર્ટ પર કોઈએ ખાસ કોઈ ચેકીંગ કર્યું નહોતું. સાથે પોતે સિવિલ હોસ્પિટલમાં મુલાકાત કરી ઓમીક્રોન અંગે તંત્રની તૈયારીઓ અંગે ચકાસણી કરી હોવાનું કહ્યું હતું. અને હાલ સિવિલમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા પૂરતી સગવડ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.