'અંબા' ફેબ્રુઆરી-2020માં ઠેબચડા ગામની સીમમાંથી મળી આવી હતી
માસુમ બાળકી અંબાને ઇટલીનાં દંપતિએ દત્તક લીધી હતી
તમામ જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ આજે માસુમ ઇટલી જવા રવાના થઈ
WatchGujarat.ફેબ્રુઆરી 2020માં લોહીલુહાણ હાલતમાં ત્યજી દીધેલી મળી આવેલી માસુમ બાળકી અંબાને ઇટલીનાં દંપતિએ દત્તક લીધી હતી. તમામ જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ આજે માસુમ ઇટલી જવા રવાના થઈ છે. પૂર્વ CM વિજય રૂપાણીની હાજરીમાં આજે અંબાને ભાવભરી વિદાય આપવામાં આવી હતી આ તકે કાઠિયાવાડ બાલાશ્રમનાં પ્રમુખ હરેશ વોરાએ બાળકીના ભવિષ્ય માટે આનંદ સાથે તેના જવાથી દુઃખ પણ થતું હોવાની બેવડી લાગણી વ્યક્ત કરી હતી.
'અંબા' ફેબ્રુઆરી-2020માં ઠેબચડા ગામની સીમમાંથી મળી આવી હતી. ગામની સીમમાં એક કૂતરું મોઢામાં આ માસુમ બાળકીને લઈને જતું નજરે પડતા જાગૃત નાગરિકે તે બાળકીને બચાવી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી હતી. બાળકીને પ્રથમ કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાની પોલીસે શંકા દર્શાવી હતી પરંતુ બાદમાં બાળકીને શરીર પર જે ઇજાના નિશાન હતા તે કૂતરાનાં બચકા હોવાનો રિપોર્ટ FSLમાં આવ્યો હતો. આજીડેમ પોલીસે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી હતી. જો કે, બાળકીને આ રીતે તરછોડનારનો પતો નહીં મળતા શહેર પોલીસ વતી મનોજ અગ્રવાલે તેનો ઉછેર કરવાની જાહેરાત કરી હતી.
બાળકી મળી આવી ત્યારે તેની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાને કારણે સૌપ્રથમ તો તેને ત્રણેક મહિના અમૃતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. બાદમાં તેણીને કાઠિયાવાડ બાલાશ્રમમાં રાખવામાં આવી હતી. જ્યાંથી અંટ્રેનર ગુંથર અને તેમની પત્ની પ્લેન્ક કેટરીને માસુમ અંબાને દત્તક લીધી છે. કાઠિયાવાડ બાલાશ્રમ સંચાલક હરેશભાઇ વોરાનાં જણાવ્યા મુજબ અંબાને દત્તક લેવાની આ અરજી મળ્યા બાદ દંપતિ અંગે તમામ પ્રકારની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ અંબા આ ઇટલીનાં દંપતિને સોંપવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજે વિધિવત રીતે અંબાને દંપતિ સાથે ઇટલી મોકલવામાં આવી છે. આગામી સમયમાં પણ બાલાશ્રમ દ્વારા સમયાંતરે અંબાનાં ઉછેરની જરૂરી વિગતો મેળવવામાં આવતી રહેશે.
આ અંગે અંબાને દતક લેનાર પિતા ગુંથરે જણાવ્યું હતું કે, લાંબા સમય બાદ અમે જે ક્ષણની રાહ જોતા હતા તે ક્ષણ આવી છે. અમારો પ્રથમ દત્તક લીધેલ બાળક તેજરામ આજે 6 વર્ષનો થયો છે તે જર્મન ભાષા બોલે છે. તેજરામ બે વર્ષનો હતો ત્યારે તેને છતીસગઢમાંથી દત્તક લીધો હતો. દત્તક લીધા બાદ તેની સંભાળ રાખવી થોડી અઘરી છે પણ અમને ભારતીય લોકો બહુજ ગમે છે માટે અંબાને પણ દત્તક લીધી છે. આજે તેજરામને પણ બહેન મળી જતા અમારો પરિવાર ખૂબ ખુશ છે.
અંબાની માતા કેટરિનાએ જણાવ્યું હતું કે, હું ઇટાલીની એક હોસ્પિટલમાં નર્સીંગની કામગીરી કરી રહી છું. મને અને મારા પતિનેને ભારત અને તેમના લોકોનો સ્વભાવ ખુબ પસંદ હોવાથી તેઓએ અમે બીજું બાળક પણ ભારતમાંથી દત્તક લીધું છે. ઇટાલીમાં સંયુક્ત પરિવાર સાથે રહેતા હોવાથી અને પ્રથમ બાળક દત્તક લીધાના ચાર વર્ષ બાદ ફરી બાળક દત્તક લેવાની ઈચ્છા થતા અમે અંબાને દત્તક લીધી છે. હવે એક વર્ષ સુધી હું મારી જોબ છોડી અંબાની સંભાળ રાખીશ.
ઉલ્લેખનીય છે કે, આ બાળકી મળી ત્યારથી તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટનાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને તત્કાલીન કલેકટર રેમ્યા મોહને બાળકીની સારવાર કરાવી અંબા નામ આપ્યું હતું. અને ત્યારબાદ પણ સમયાંતરે પોલીસ કમિશ્નર, કલેક્ટર સહિત પૂર્વ મુખ્યમંત્રી દ્વારા અંબાની મુલાકાતો લેવામાં આવી હતી. અને તેના ઉછેરમાં કોઈપણ કચાશ ન રહે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવતો હતો. આજરોજ અંબાની વિદાય સમયે પણ પૂર્વ સીએમ રૂપાણી ખાસ હાજર રહ્યા હતા. તેમજ માસુમ અંબાનાં ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
'અંબા' ફેબ્રુઆરી-2020માં ઠેબચડા ગામની સીમમાંથી મળી આવી હતી
માસુમ બાળકી અંબાને ઇટલીનાં દંપતિએ દત્તક લીધી હતી
તમામ જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ આજે માસુમ ઇટલી જવા રવાના થઈ
WatchGujarat.ફેબ્રુઆરી 2020માં લોહીલુહાણ હાલતમાં ત્યજી દીધેલી મળી આવેલી માસુમ બાળકી અંબાને ઇટલીનાં દંપતિએ દત્તક લીધી હતી. તમામ જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ આજે માસુમ ઇટલી જવા રવાના થઈ છે. પૂર્વ CM વિજય રૂપાણીની હાજરીમાં આજે અંબાને ભાવભરી વિદાય આપવામાં આવી હતી આ તકે કાઠિયાવાડ બાલાશ્રમનાં પ્રમુખ હરેશ વોરાએ બાળકીના ભવિષ્ય માટે આનંદ સાથે તેના જવાથી દુઃખ પણ થતું હોવાની બેવડી લાગણી વ્યક્ત કરી હતી.
'અંબા' ફેબ્રુઆરી-2020માં ઠેબચડા ગામની સીમમાંથી મળી આવી હતી. ગામની સીમમાં એક કૂતરું મોઢામાં આ માસુમ બાળકીને લઈને જતું નજરે પડતા જાગૃત નાગરિકે તે બાળકીને બચાવી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી હતી. બાળકીને પ્રથમ કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાની પોલીસે શંકા દર્શાવી હતી પરંતુ બાદમાં બાળકીને શરીર પર જે ઇજાના નિશાન હતા તે કૂતરાનાં બચકા હોવાનો રિપોર્ટ FSLમાં આવ્યો હતો. આજીડેમ પોલીસે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી હતી. જો કે, બાળકીને આ રીતે તરછોડનારનો પતો નહીં મળતા શહેર પોલીસ વતી મનોજ અગ્રવાલે તેનો ઉછેર કરવાની જાહેરાત કરી હતી.
બાળકી મળી આવી ત્યારે તેની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાને કારણે સૌપ્રથમ તો તેને ત્રણેક મહિના અમૃતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. બાદમાં તેણીને કાઠિયાવાડ બાલાશ્રમમાં રાખવામાં આવી હતી. જ્યાંથી અંટ્રેનર ગુંથર અને તેમની પત્ની પ્લેન્ક કેટરીને માસુમ અંબાને દત્તક લીધી છે. કાઠિયાવાડ બાલાશ્રમ સંચાલક હરેશભાઇ વોરાનાં જણાવ્યા મુજબ અંબાને દત્તક લેવાની આ અરજી મળ્યા બાદ દંપતિ અંગે તમામ પ્રકારની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ અંબા આ ઇટલીનાં દંપતિને સોંપવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજે વિધિવત રીતે અંબાને દંપતિ સાથે ઇટલી મોકલવામાં આવી છે. આગામી સમયમાં પણ બાલાશ્રમ દ્વારા સમયાંતરે અંબાનાં ઉછેરની જરૂરી વિગતો મેળવવામાં આવતી રહેશે.
આ અંગે અંબાને દતક લેનાર પિતા ગુંથરે જણાવ્યું હતું કે, લાંબા સમય બાદ અમે જે ક્ષણની રાહ જોતા હતા તે ક્ષણ આવી છે. અમારો પ્રથમ દત્તક લીધેલ બાળક તેજરામ આજે 6 વર્ષનો થયો છે તે જર્મન ભાષા બોલે છે. તેજરામ બે વર્ષનો હતો ત્યારે તેને છતીસગઢમાંથી દત્તક લીધો હતો. દત્તક લીધા બાદ તેની સંભાળ રાખવી થોડી અઘરી છે પણ અમને ભારતીય લોકો બહુજ ગમે છે માટે અંબાને પણ દત્તક લીધી છે. આજે તેજરામને પણ બહેન મળી જતા અમારો પરિવાર ખૂબ ખુશ છે.
અંબાની માતા કેટરિનાએ જણાવ્યું હતું કે, હું ઇટાલીની એક હોસ્પિટલમાં નર્સીંગની કામગીરી કરી રહી છું. મને અને મારા પતિનેને ભારત અને તેમના લોકોનો સ્વભાવ ખુબ પસંદ હોવાથી તેઓએ અમે બીજું બાળક પણ ભારતમાંથી દત્તક લીધું છે. ઇટાલીમાં સંયુક્ત પરિવાર સાથે રહેતા હોવાથી અને પ્રથમ બાળક દત્તક લીધાના ચાર વર્ષ બાદ ફરી બાળક દત્તક લેવાની ઈચ્છા થતા અમે અંબાને દત્તક લીધી છે. હવે એક વર્ષ સુધી હું મારી જોબ છોડી અંબાની સંભાળ રાખીશ.
ઉલ્લેખનીય છે કે, આ બાળકી મળી ત્યારથી તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટનાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને તત્કાલીન કલેકટર રેમ્યા મોહને બાળકીની સારવાર કરાવી અંબા નામ આપ્યું હતું. અને ત્યારબાદ પણ સમયાંતરે પોલીસ કમિશ્નર, કલેક્ટર સહિત પૂર્વ મુખ્યમંત્રી દ્વારા અંબાની મુલાકાતો લેવામાં આવી હતી. અને તેના ઉછેરમાં કોઈપણ કચાશ ન રહે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવતો હતો. આજરોજ અંબાની વિદાય સમયે પણ પૂર્વ સીએમ રૂપાણી ખાસ હાજર રહ્યા હતા. તેમજ માસુમ અંબાનાં ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.