રાજકોટમાં પણ 99 ટકાનું રસીકરણ થઈ ચૂક્યું હોવાથી ત્રીજી લહેરની શક્યતા ઘટી છે
માત્ર 9 મહિનાનાં ટૂંકા ગાળામાં જ ભારતે આ મોટી સિદ્ધિ હાંસિલ કરી છે. અને રસીકરણ ક્ષેત્રે ભારતે વિશ્વ ગુરુનો ખિતાબ મેળવ્યો છે - પંકજ રાઠોડ
PM મોદી આ પ્રસંગે એક કાર્યક્રમમાં સામેલ થવા માટે દિલ્હીની રામ મનોહર લોહિયા RML હોસ્પિટલ પહોંચ્યા
WatchGujarat. દેશમાં કોરોના રસીકરણનો આંકડો 100 કરોડને પાર થતા ઠેર-ઠેર ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ લાભાર્થીઓનાં મોઢા મીઠા કરાવ્યા હતા. તો રાજકોટનાં સદર આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કર્મચારીઓએ રંગોળી બનાવી અનોખી ઉજવણી કરી હતી. તો શ્યામનાગર આરોગ્ય કેન્દ્રમાં પણ આરોગ્ય કર્મચારીઓ દ્વારા મીણબત્તી જલાવી રાસ લઈને અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
https://youtu.be/onU_e6q408A
આ અંગે નાયબ આરોગ્ય અધિકારી પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, માત્ર 9 મહિનાનાં ટૂંકા ગાળામાં જ ભારતે આ મોટી સિદ્ધિ હાંસિલ કરી છે. અને રસીકરણ ક્ષેત્રે ભારતે વિશ્વ ગુરુનો ખિતાબ મેળવ્યો છે. આ માટે લોકોનો સાથ-સહકાર પણ પૂરતા પ્રમાણમાં મળ્યો હોય આ લક્ષ્યાંક સિદ્ધ થયું છે. રાજકોટમાં પણ 99 ટકાનું રસીકરણ થઈ ચૂક્યું હોવાથી ત્રીજી લહેરની શક્યતા ઘટી છે. આગામી દિવસોમાં હવે રાજકોટ સહિત દેશ 100 ટકા રસીકરણનાં લક્ષ્યાંક તરફ અગ્રેસર બનશે.
ભારતે આજે એક ઐતિહાસિક લક્ષ્યાંક પાર કર્યો છે. દેશ 100 કરોડ કોરોના વેક્સિનેશનના જાદુઈ આંકડાને પાર કરી ગયો છે. PM મોદી આ પ્રસંગે એક કાર્યક્રમમાં સામેલ થવા માટે દિલ્હીની રામ મનોહર લોહિયા RML હોસ્પિટલ પહોંચ્યા હતા. પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું કે દેશને 100 કરોડ વેક્સિનનું સુરક્ષા કવચ મળ્યું છે. મોદીએ સ્વાસ્થ્ય સેવાઓ સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન આપતા કહ્યું કે આજે ઉત્સાહ છે અને જવાબદારીની ભાવના પણ છે કે આપણે સાથે મળીને કોરોનાને હરાવવાનો છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના રસીના 100 કરોડ ડોઝનો આંકડો પૂર્ણ થઈ ગયો છે. છેલ્લા 20 કરોડ ડોઝ 31 દિવસમાં લગાવવામાં આવ્યા છે. સરકાર વેક્સિનના 100 કરોડ ડોઝ પૂર્ણ કરવાની જાહેરાત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. 9 મહિના પહેલાં શરૂ થયેલા વેક્સિનેશન અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 99 કરોડ 85 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 70 કરોડ 68 લાખ 91 હજાર 643 લોકોએ એક ડોઝ લીધો છે અને 29 કરોડ 16 લાખ 61 હજાર 794 લોકોએ બંને ડોઝ લીધા છે.
રાજકોટમાં પણ 99 ટકાનું રસીકરણ થઈ ચૂક્યું હોવાથી ત્રીજી લહેરની શક્યતા ઘટી છે
માત્ર 9 મહિનાનાં ટૂંકા ગાળામાં જ ભારતે આ મોટી સિદ્ધિ હાંસિલ કરી છે. અને રસીકરણ ક્ષેત્રે ભારતે વિશ્વ ગુરુનો ખિતાબ મેળવ્યો છે - પંકજ રાઠોડ
PM મોદી આ પ્રસંગે એક કાર્યક્રમમાં સામેલ થવા માટે દિલ્હીની રામ મનોહર લોહિયા RML હોસ્પિટલ પહોંચ્યા
WatchGujarat. દેશમાં કોરોના રસીકરણનો આંકડો 100 કરોડને પાર થતા ઠેર-ઠેર ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ લાભાર્થીઓનાં મોઢા મીઠા કરાવ્યા હતા. તો રાજકોટનાં સદર આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કર્મચારીઓએ રંગોળી બનાવી અનોખી ઉજવણી કરી હતી. તો શ્યામનાગર આરોગ્ય કેન્દ્રમાં પણ આરોગ્ય કર્મચારીઓ દ્વારા મીણબત્તી જલાવી રાસ લઈને અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
આ અંગે નાયબ આરોગ્ય અધિકારી પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, માત્ર 9 મહિનાનાં ટૂંકા ગાળામાં જ ભારતે આ મોટી સિદ્ધિ હાંસિલ કરી છે. અને રસીકરણ ક્ષેત્રે ભારતે વિશ્વ ગુરુનો ખિતાબ મેળવ્યો છે. આ માટે લોકોનો સાથ-સહકાર પણ પૂરતા પ્રમાણમાં મળ્યો હોય આ લક્ષ્યાંક સિદ્ધ થયું છે. રાજકોટમાં પણ 99 ટકાનું રસીકરણ થઈ ચૂક્યું હોવાથી ત્રીજી લહેરની શક્યતા ઘટી છે. આગામી દિવસોમાં હવે રાજકોટ સહિત દેશ 100 ટકા રસીકરણનાં લક્ષ્યાંક તરફ અગ્રેસર બનશે.
ભારતે આજે એક ઐતિહાસિક લક્ષ્યાંક પાર કર્યો છે. દેશ 100 કરોડ કોરોના વેક્સિનેશનના જાદુઈ આંકડાને પાર કરી ગયો છે. PM મોદી આ પ્રસંગે એક કાર્યક્રમમાં સામેલ થવા માટે દિલ્હીની રામ મનોહર લોહિયા RML હોસ્પિટલ પહોંચ્યા હતા. પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું કે દેશને 100 કરોડ વેક્સિનનું સુરક્ષા કવચ મળ્યું છે. મોદીએ સ્વાસ્થ્ય સેવાઓ સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન આપતા કહ્યું કે આજે ઉત્સાહ છે અને જવાબદારીની ભાવના પણ છે કે આપણે સાથે મળીને કોરોનાને હરાવવાનો છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના રસીના 100 કરોડ ડોઝનો આંકડો પૂર્ણ થઈ ગયો છે. છેલ્લા 20 કરોડ ડોઝ 31 દિવસમાં લગાવવામાં આવ્યા છે. સરકાર વેક્સિનના 100 કરોડ ડોઝ પૂર્ણ કરવાની જાહેરાત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. 9 મહિના પહેલાં શરૂ થયેલા વેક્સિનેશન અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 99 કરોડ 85 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 70 કરોડ 68 લાખ 91 હજાર 643 લોકોએ એક ડોઝ લીધો છે અને 29 કરોડ 16 લાખ 61 હજાર 794 લોકોએ બંને ડોઝ લીધા છે.