કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા અનુસાર મેલેરીયાને અટકાવવા 7654 ઘરોમાં ફોગીંગ કરી પાણીના ટાંકા વગેરેમાં દવા નાખવામાં આવી
રોગચાળો વધવાની સાથે તંત્ર પણ સતર્ક થયું છે. અને બે તબક્કામાં કામગીરી કરવામાં આવી રહી છે - સિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદી
જે રીતે રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે તેવી જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો વકરી રહ્યો છે
WatchGujarat. શહેર અને જિલ્લામાં ફરીવાર રોગાચાળાએ માથું ઊંચક્યું છે. મિશ્ર વાતાવરણને લઈ મચ્છરજન્ય રોગોએ ભરડો લીધો છે. જિલ્લામાં એક અઠવાડિયામાં 8 હજારથી વધુ તાવના કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના પણ 12 કૈસ સામે આવ્યા છે. મનપાનાં સત્તાવાર આંકડાઓ મુજબ તા. 4 થી 10 ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુના 20 તથા મેલેરીયાના 4 તથા ચિકનગુનિયાના 1 સહિત કુલ 25 કેસ નોંધાતા સીઝનનાં ડેન્ગ્યુના 156, મેલેરીયાના 42 તથા ચિકનગુનિયાનાં 18 કેસ નોંધાયા છે.
કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા અનુસાર મેલેરીયાને અટકાવવા 7654 ઘરોમાં ફોગીંગ કરી પાણીના ટાંકા વગેરેમાં દવા નાખવામાં આવી છે. તો અંદાજે એકાદ લાખ ઘરોમાં પોરાનાશક કામગીરી થઈ છે. અને 1362 લોકોને મચ્છર ઉત્પતિ સબબ નોટીસ આપવામાં આવી છે. સાથે સાથે મચ્છર ઉત્પતિ સબબ રૂ. 1,31,650નો વહિવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે. આ ઉપરાંત બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં દવા છંટકાવ કામગીરી કરવામાં આવી છે.
સિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદીનાં જણાવ્યા મુજબ, રોગચાળો વધવાની સાથે તંત્ર પણ સતર્ક થયું છે. અને બે તબક્કામાં કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં પ્રથમ તબક્કામાં રોગચાળો અટકાવવા માટે જરૂરી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. તો અન્ય એક તબક્કામાં રોગનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને સારી સારવાર આપી શકાય તે માટેની વ્યવસ્થા કરાઈ છે. રોગચાળો ફેલાવાનું મુખ્ય કારણ મચ્છર હોવાથી લોકોએ પણ સાવધાની રાખવાની જરૂર છે. આ માટે મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે જરૂરી પગલાં લેવા સાથે આખી બાયનાં કપડાં પહેરવા, મચ્છરની ક્રીમ લગાવવી સહિતની સાવધાની રાખવાથી રોગનો ભોગ બનતા બચી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, જે રીતે રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે તેવી જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો વકરી રહ્યો છે. અને દિવસે ને દિવસે ઝાડા-ઊલટી ટાઇફોઇડ, મેલેરિયાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ચકાસણી કરાવવા માટે આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણીના ભરાવો થવાને કારણે મચ્છરનો ઉપદ્રવ છે. જેથી મચ્છરજન્ય રોગોમાં કેસ સતત વધી રહ્યાં છે. હોસ્પિટલમાં તાવ શરદી તેમજ ડેન્ગ્યુ અને મલેરિયાના કેસના દર્દીઓ ઊભરાઈ રહ્યા છે.
કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા અનુસાર મેલેરીયાને અટકાવવા 7654 ઘરોમાં ફોગીંગ કરી પાણીના ટાંકા વગેરેમાં દવા નાખવામાં આવી
રોગચાળો વધવાની સાથે તંત્ર પણ સતર્ક થયું છે. અને બે તબક્કામાં કામગીરી કરવામાં આવી રહી છે - સિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદી
જે રીતે રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે તેવી જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો વકરી રહ્યો છે
WatchGujarat. શહેર અને જિલ્લામાં ફરીવાર રોગાચાળાએ માથું ઊંચક્યું છે. મિશ્ર વાતાવરણને લઈ મચ્છરજન્ય રોગોએ ભરડો લીધો છે. જિલ્લામાં એક અઠવાડિયામાં 8 હજારથી વધુ તાવના કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના પણ 12 કૈસ સામે આવ્યા છે. મનપાનાં સત્તાવાર આંકડાઓ મુજબ તા. 4 થી 10 ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુના 20 તથા મેલેરીયાના 4 તથા ચિકનગુનિયાના 1 સહિત કુલ 25 કેસ નોંધાતા સીઝનનાં ડેન્ગ્યુના 156, મેલેરીયાના 42 તથા ચિકનગુનિયાનાં 18 કેસ નોંધાયા છે.
કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા અનુસાર મેલેરીયાને અટકાવવા 7654 ઘરોમાં ફોગીંગ કરી પાણીના ટાંકા વગેરેમાં દવા નાખવામાં આવી છે. તો અંદાજે એકાદ લાખ ઘરોમાં પોરાનાશક કામગીરી થઈ છે. અને 1362 લોકોને મચ્છર ઉત્પતિ સબબ નોટીસ આપવામાં આવી છે. સાથે સાથે મચ્છર ઉત્પતિ સબબ રૂ. 1,31,650નો વહિવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે. આ ઉપરાંત બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં દવા છંટકાવ કામગીરી કરવામાં આવી છે.
સિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદીનાં જણાવ્યા મુજબ, રોગચાળો વધવાની સાથે તંત્ર પણ સતર્ક થયું છે. અને બે તબક્કામાં કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં પ્રથમ તબક્કામાં રોગચાળો અટકાવવા માટે જરૂરી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. તો અન્ય એક તબક્કામાં રોગનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને સારી સારવાર આપી શકાય તે માટેની વ્યવસ્થા કરાઈ છે. રોગચાળો ફેલાવાનું મુખ્ય કારણ મચ્છર હોવાથી લોકોએ પણ સાવધાની રાખવાની જરૂર છે. આ માટે મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે જરૂરી પગલાં લેવા સાથે આખી બાયનાં કપડાં પહેરવા, મચ્છરની ક્રીમ લગાવવી સહિતની સાવધાની રાખવાથી રોગનો ભોગ બનતા બચી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, જે રીતે રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે તેવી જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો વકરી રહ્યો છે. અને દિવસે ને દિવસે ઝાડા-ઊલટી ટાઇફોઇડ, મેલેરિયાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ચકાસણી કરાવવા માટે આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણીના ભરાવો થવાને કારણે મચ્છરનો ઉપદ્રવ છે. જેથી મચ્છરજન્ય રોગોમાં કેસ સતત વધી રહ્યાં છે. હોસ્પિટલમાં તાવ શરદી તેમજ ડેન્ગ્યુ અને મલેરિયાના કેસના દર્દીઓ ઊભરાઈ રહ્યા છે.